PMFBY: ખેડૂતોને આપવામાં આવશે પાક વીમાની હાર્ડ કોપી, ‘મેરી પોલિસી-મેરે હાથ’ અભિયાન શનિવારથી થશે શરૂ
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે (Narendra Singh Tomar) કહ્યું કે આ એક મહા અભિયાન છે જે સમગ્ર દેશમાં શરૂ થવા જઈ રહ્યું છે. અમે PMFBY ના પોલિસી દસ્તાવેજો ખેડૂતોને સોંપીશું.
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના (PMFBY)ના 6 વર્ષ પૂર્ણ થવા પર કેન્દ્ર સરકાર શનિવારથી એક વિશેષ અભિયાન શરૂ કરવા જઈ રહી છે. આ અંતર્ગત ખેડૂતોને પાક વીમા પોલિસીની હાર્ડ કોપી આપવામાં આવશે. આ અભિયાનને ‘મેરી પોલીસી, મેરે હાથ’ (Meri Policy Mere Hath) નામ આપવામાં આવ્યું છે. શુક્રવારે આ સંદર્ભમાં માહિતી આપતાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે (Narendra Singh Tomar) કહ્યું કે આ એક મહા અભિયાન છે જે સમગ્ર દેશમાં શરૂ થવા જઈ રહ્યું છે. અમે PMFBY ના પોલિસી દસ્તાવેજો ખેડૂતોને સોંપીશું. કૃષિ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 26 ફેબ્રુઆરી એટલે કે શનિવારે નરેન્દ્ર સિંહ તોમર ઈન્દોરથી આ પોલિસી વિતરણ અભિયાનની શરૂઆત કરશે. આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ હાજર રહેશે.
‘મેરી પોલિસી, મેરે હાથ’ ઝુંબેશ એ એક અનોખી પહેલ છે, જે અંતર્ગત ગ્રામ પંચાયત/ગ્રામ્ય સ્તરે વિશેષ શિબિરો દ્વારા PMFBYમાં નોંધાયેલા ખેડૂતોને પાક વીમા પૉલિસીની હાર્ડ કૉપીઓનું વિતરણ કરવામાં આવશે. આ ઝુંબેશ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ હેઠળ 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં યોજવામાં આવશે જ્યાં PMFBY લાગુ કરવામાં આવી રહી છે. તેનો ઉદ્દેશ્ય યોજના હેઠળ નોંધાયેલા તમામ લોન લેનાર અને લોન ન લેનારા ખેડૂતો સુધી પહોંચવાનો અને તેમને પાક વીમા વિશે જાગૃત કરવાનો છે.
सुरक्षा की सौगात, फसल बीमा पॉलिसी अब आपके हाथ !
पूरे देश में शुरू होने जा रहा है प्रधानमंत्री फसल बीमा योजना के पॉलिसी दस्तावेज़ों के वितरण का महाअभियान।#मेरीपॉलिसीमेरेहाथ अभियान के अंतर्गत कल से किसानों को फसल बीमा से जुड़े दस्तावेज़ उनके हाथों में सौंपे जाएंगे।#PMFBY pic.twitter.com/eEH3Q1ePeb
— Narendra Singh Tomar (@nstomar) February 25, 2022
ઈન્દોર જિલ્લાના સાંવર તાલુકાના બુધી બરલાઈ ગામ (માલવા કોઓપરેટિવ સુગર ફેક્ટરી સંકુલ)માં આયોજિત આ કાર્યક્રમમાં 20 હજારથી વધુ ખેડૂતો ભાગ લેશે. આ દરમિયાન મહેમાનો દ્વારા કેટલાક ખેડૂતોને પાક વીમા પોલિસી આપવામાં આવશે. અહીંના કૃષિ મેળા દ્વારા ખેડૂતોને ખેતીમાં ડ્રોનના ઉપયોગ વિશે પણ જાગૃત કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક ખેતીને લગતી ટૂંકી ફિલ્મો અને ખેડૂતોના લાભ માટે અનેક સરકારી યોજનાઓની જાગૃતિ પણ પ્રસારિત કરવામાં આવશે.
PMFBY એ તેના અમલીકરણના 6 વર્ષ પૂર્ણ કર્યા છે. આ યોજનાની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 18 ફેબ્રુઆરી 2016ના રોજ મધ્યપ્રદેશના સિહોરથી કરી હતી. છેલ્લા 6 વર્ષોમાં, આ યોજના હેઠળ લગભગ 36.5 કરોડ ખેડૂત અરજદારોનો વીમો લેવામાં આવ્યો છે અને વીમાધારક ખેડૂતોને વળતર તરીકે 1.07 લાખ કરોડ રૂપિયાથી વધુના દાવા ચૂકવવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Gir somnath: ગીરની પ્રખ્યાત કેસર કેરીનો પાક વીમામાં થઇ શકે સમાવેશ, ખેડૂતોની રજૂઆતને સરકાર સુધી
પહોંચાડવાની સી.આર. પાટિલે આપી ખાતરી
આ પણ વાંચો : Mandi: અમરેલીના સાવરકુંડલા APMCમાં બાજરાના મહત્તમ ભાવ રૂપિયા 2305 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ