AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PMFBY: ખેડૂતોને પાક વીમા પોલિસી માટે સરકાર ડોર-ટુ-ડોર કરશે પ્રચાર, ‘મેરી પોલિસી મેરે હાથ’ ચલાવશે અભિયાન

મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે જૂનથી શરૂ થનારી આગામી ખરીફ સિઝનમાં આ યોજનાનો અમલ કરતા તમામ રાજ્યોમાં ડોર ટુ ડોર અભિયાન શરૂ કરવામાં આવશે.

PMFBY: ખેડૂતોને પાક વીમા પોલિસી માટે સરકાર ડોર-ટુ-ડોર કરશે પ્રચાર, 'મેરી પોલિસી મેરે હાથ' ચલાવશે અભિયાન
Government will give crop insurance paper to farmers' homes (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2022 | 8:13 AM
Share

સરકારે શુક્રવારે કહ્યું કે તે ખેડૂતોને પાક વીમા પોલિસી (Crop Insurance)પ્રદાન કરવા માટે ડોર-ટુ-ડોર જવાનું અભિયાન શરૂ કરવામાં આવશે. આ યોજના આગામી ખરીફ સિઝનમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના (PMFBY) ના અમલીકરણના સાતમા વર્ષમાં પ્રવેશ સાથે શરૂ કરવામાં આવી રહી છે. કૃષિ મંત્રાલયે (Agriculture Ministry)જણાવ્યું હતું કે ડોર-ટુ-ડોર ચલાવામાં આવનાર આ અભિયાન ‘મેરી પોલિસી મેરે હાથ’નો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે તમામ ખેડૂતો PMFBY હેઠળ સરકારની નીતિઓ, જમીનના રેકોર્ડ, દાવાની પ્રક્રિયા અને ફરિયાદ નિવારણ, તમામ માહિતીથી સારી રીતે વાકેફ રહે.

મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે જૂનથી શરૂ થનારી આગામી ખરીફ સિઝનમાં આ યોજનાનો અમલ કરતા તમામ રાજ્યોમાં ડોર ટુ ડોર અભિયાન શરૂ કરવામાં આવશે. ફેબ્રુઆરી 2016માં શરૂ કરાયેલ PMFBYનો ઉદ્દેશ્ય કુદરતી આફતોને કારણે પાકના નુકસાન/નુકશાનનો ભોગ બનેલા ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે.

આ યોજનામાં 85 ટકા નાના અને સીમાંત ખેડૂતો

મંત્રાલયના જણાવ્યા અનુસાર, PMFBY હેઠળ 36 કરોડથી વધુ ખેડૂતોની અરજીઓનો વીમો કરવામાં આવ્યો છે. આ વર્ષે 4 ફેબ્રુઆરી સુધી, આ યોજના હેઠળ રૂ. 1,07,059 કરોડથી વધુના દાવા ચૂકવવામાં આવ્યા છે. પાક વીમા યોજના સૌથી વધુ આર્થિક રીતે નબળા ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવામાં સફળ રહી છે કારણ કે યોજનામાં નોંધાયેલા લગભગ 85 ટકા ખેડૂતો નાના અને સીમાંત ખેડૂતો છે.

ખેડૂતોની સ્વૈચ્છિક ભાગીદારીના સંદર્ભમાં વર્ષ 2020માં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ખેડૂતને પાક વીમા એપ, સીએસસી સેન્ટર અથવા નજીકના કૃષિ અધિકારી દ્વારા કોઈપણ ઘટનાના 72 કલાકની અંદર પાકના નુકસાનની જાણ કરવા માટે અનુકૂળ બનાવવામાં આવ્યું છે. પાત્રતા ધરાવતા ખેડૂતના બેંક ખાતામાં દાવાની ઈલેક્ટ્રોનિક રીતે ચૂકવણી કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે તેમના 2022-23 માટેના બજેટ ભાષણમાં પાક વીમા માટે ડ્રોનનો ઉપયોગ કરવાની દરખાસ્ત કરી છે. આ જમીન પર યોજનાના સરળ અમલીકરણ માટે ટેકનોલોજીના એકીકરણને વધુ મજબૂત કરશે.

આ પણ વાંચો: દેશનું ખાઈને દેશ સાથે ગદ્દારી કરનારો NIAનો અધિકારી ઝડપાયો, આતંકવાદી સંગઠન લશ્કર માટેના ગોપનીય દસ્તાવેજો લીક કરવાનો છે આરોપ

આ પણ વાંચો: પહાડોમાં 2 કલાક સુધી નેટવર્ક શોધતો રહ્યો આ શખ્સ, સોશિયલ મીડિયામાં Viral થયો અનોખા ઈન્ટરવ્યુંનો કિસ્સો

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">