AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય ખેડૂતો માટે સારા સમાચાર, હવે દેશના કેળા અને બેબી કોર્નની કેનેડામાં નિકાસ કરી શકાશે

કેનેડામાં ભારતીય કેળા અને બેબી કોર્નની નિકાસને લઈને ભારત અને કેનેડા નેશનલ પ્લાન્ટ પ્રોટેક્શન ઓર્ગેનાઈઝેશન વચ્ચે લાંબા સમયથી વાતચીત ચાલી રહી હતી.

ભારતીય ખેડૂતો માટે સારા સમાચાર, હવે દેશના કેળા અને બેબી કોર્નની કેનેડામાં નિકાસ કરી શકાશે
Banana Farming (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2022 | 5:05 PM
Share

ભારતીય ખેડૂતો માટે સારા સમાચાર છે. ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના (Department Of Agriculture and Farmer Welfare) પ્રયાસોથી દેશના ખેડૂતો માટે તેમની આવક વધારવા માટે નવા રસ્તાઓ તૈયાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને એવા ખેડૂતો માટે કે જેઓ કેળા અને બેબી કોર્નની (Banana and Baby Corn) ખેતી કરે છે. શુક્રવારે ભારતના કેન્દ્રીય કૃષિ અને કલ્યાણ વિભાગ અને કેનેડા સરકાર વચ્ચે સમજૂતી થઈ છે. જે અંતર્ગત ભારતના કેળા અને બેબી કોર્ન હવે કેનેડામાં નિકાસ કરી શકાશે. બંને દેશો વચ્ચેના આ કરાર બાદ કેળા અને મકાઈની ખેતી કરતા ભારતીય ખેડૂતો તેમના પાકના ઊંચા ભાવ સરળતાથી મેળવી શકશે.

કેળાની નિકાસ મળી મંજૂરી, બેબી કોર્નની નિકાસને ટૂંક સમયમાં મળશે મંજૂરી

કેનેડામાં ભારતીય કેળા અને બેબી કોર્નની નિકાસને લઈને ભારત અને કેનેડા નેશનલ પ્લાન્ટ પ્રોટેક્શન ઓર્ગેનાઈઝેશન વચ્ચે લાંબા સમયથી વાતચીત ચાલી રહી હતી. આ ક્રમમાં 7 એપ્રિલના રોજ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના સચિવ મનોજ આહુજા અને કેનેડાના હાઈ કમિશનર કેમેરોન મેકે વચ્ચે બેઠક યોજાઈ હતી.

જેમાં કેનેડામાં ભારતીય કેળા અને બેબી કોર્નની નિકાસ માટે કરાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ભારતીય કેળાની કેનેડા નિકાસને તાત્કાલિક અસરથી મંજૂરી આપવામાં આવી છે. સાથે જ કેટલીક જરૂરી મંજૂરીઓ બાદ એપ્રિલ મહિનાથી બેબી કોર્નની નિકાસને મંજૂરી આપવામાં આવશે.

ભારતની કૃષિ નિકાસ નવી ઊંચાઈએ, $50 બિલિયનને વટાવી ગઈ

ભારતીય કેળા અને બેબી કોર્નની નિકાસને એવા સમયે મંજૂરી આપવામાં આવી છે જ્યારે ભારતે કૃષિ ઉત્પાદનોની નિકાસમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. આ વર્ષે ભારતીય કૃષિ ઉત્પાદનોની નિકાસ $50 બિલિયનને વટાવી ગઈ છે, જે અત્યાર સુધીની સૌથી વધુ છે. ભારતીય કૃષિ ઉત્પાદનોની આ નિકાસમાં ઘઉં, ચોખાનું પ્રમાણ વધુ છે, પરંતુ તેમાં ભારતીય ફળો, શાકભાજીનો પણ સમાવેશ થાય છે.

રશિયા અને યુક્રેન વિશ્વમાં ઘઉંના સૌથી મોટા નિકાસકાર હોવાનું કહેવાય છે, જે બંને વિશ્વના ઘણા દેશોની ઘઉંની જરૂરિયાતોને પૂર્ણ કરે છે, પરંતુ બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ઘઉંની નિકાસને અસર થઈ હતી. જે ભારતીય ઘઉંને વિદેશમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળતા મળી છે. આ ક્રમમાં ઘણા દેશો ભારતીય ઘઉંના નવા ગ્રાહકો તરીકે ઉભરી આવ્યા છે.

આ પણ વાંચો : Solar Pumps Subsidy: સોલાર પંપ પર સરકાર આપે છે સબસિડી, પડતર જમીનમાં સોલાર પ્લાન્ટથી ખેડૂતો કરી શકે છે કમાણી

આ પણ વાંચો : Success Story: મોટી કંપનીની નોકરી છોડી ખેતી કરી રહ્યા છે આ યુવા પ્રગતીશિલ ખેડૂત, યુવાઓ માટે બન્યા પ્રેરણાસ્ત્રોત

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
g clip-path="url(#clip0_868_265)">