AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડીઝલ ખર્ચ અને વીજળીના બિલમાંથી છુટકારો મેળવો, સિંચાઈ માટે સોલર પંપ લગાવો, સરકાર આપી રહી છે પૈસા

ડીઝલની કિંમતને કારણે ખેતીનો ખર્ચ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં ખેડૂતોની સિંચાઈની સમસ્યા દૂર કરવા માટે સરકાર 'કુસુમ યોજના' ચલાવી રહી છે. આ યોજના ખેડૂતો માટે સોદો સાબિત થઈ રહી છે.

ડીઝલ ખર્ચ અને વીજળીના બિલમાંથી છુટકારો મેળવો, સિંચાઈ માટે સોલર પંપ લગાવો, સરકાર આપી રહી છે પૈસા
Kusum Yojna Scheme
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 3:44 PM
Share

આ વખતે ખરીફ સિઝનમાં પાકનું વાવેતર ઘણા રાજ્યોમાં ચોમાસામાં વિલંબને કારણે પ્રભાવિત થયું હતું. વરસાદના અભાવે ખેડૂતોને ખેતરોમાં સિંચાઈના પાણી માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પંજાબ જેવા રાજ્યમાં ખેડૂતો વીજળીની સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યા હતા. અને ખેતરમાં ડાંગરનો પાક સુકાઈ રહ્યો હતો. ખેડૂતોને સિંચાઈ માટે હંમેશા સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

ડીઝલની કિંમતને કારણે ખેતીનો ખર્ચ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં ખેડૂતોની સિંચાઈની સમસ્યા દૂર કરવા માટે સરકાર ‘કુસુમ યોજના’ (Kusum Yojna Scheme) ચલાવી રહી છે. આ યોજના દ્વારા ખેડૂત પોતાની જમીન પર સૌરઉર્જાના સાધનો અને પંપ લગાવીને ખેતરોનું સિંચન કરી શકે છે.

‘પ્રધાનમંત્રી-કુસુમ યોજના’ હેઠળ, કેન્દ્ર સરકાર પહેલેથી જ ખેડૂતોના ડીઝલ પંપને સોલર પંપમાં રૂપાંતરિત કરવા અને નવા સોલર પંપ સ્થાપિત કરવા માટે કામ કરી રહી છે. આ માટે સરકાર ખેડૂતોને સબસિડી પણ આપી રહી છે. સરકાર હવે કૃષિ ફીડરોને સોલરાઇઝ કરવા જઈ રહી છે. આનાથી વીજ વપરાશ ઓછો થશે અને ખેડૂતોને સિંચાઈની સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં.

કુસુમ યોજનાની મદદથી ખેડૂતો તેમની જમીનમાં સોલાર પેનલ લગાવીને, તેમાંથી પેદા થતી વીજળીનો ઉપયોગ કરીને તેમના ખેતરોને સિંચાઈ કરી શકે છે. તેને ડીઝલ મશીનો અને વીજળીથી ટ્યુબવેલ ચલાવીને ખેતરોને સિંચાઈ કરવાની જરૂર નહીં પડે. તેનાથી વાવેતરનો ખર્ચ પણ ઘટશે. આ સિવાય તે ગામમાં 24 કલાક સોલર પેનલથી ઉત્પન્ન થતી વીજળી પણ પુરી પાડી શકે છે. આ દ્વારા પણ તે કમાણી કરી શકે છે.

કેન્દ્ર સરકારની ‘કુસુમ યોજના’ ખેડૂતો માટે નફાકારક સોદો સાબિત થઈ રહી છે. આ યોજના દ્વારા, ખેડૂતો માત્ર સૌર ઉપકરણો લગાવીને તેમના ખેતરોનું સિંચન કરી શકતા નથી, પણ વધારાની વીજળી ઉત્પન્ન કરીને તેને ગ્રીડમાં મોકલી શકે છે અને તેમની આવકમાં વધારો કરી શકે છે.

સરકાર અને બેંકો 90 ટકા ખર્ચ ઉઠાવશે આ યોજનાની ખાસ વિશેષતા એ છે કે સોલાર પ્લાન્ટ સ્થાપવા માટે કોઈપણ ખેડૂતને માત્ર 10 ટકા રકમનું રોકાણ કરવું પડે છે. બાકીનો 90 ટકા ખર્ચ સરકાર અને બેંકો મળીને ઉઠાવશે. કુસુમ યોજના હેઠળ ખેડૂતોને સબસિડી પર સોલાર પેનલ આપવામાં આવે છે. રાજ્ય સરકારો સૌર પેનલ પર 60 ટકા સબસિડી લાભાર્થીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરે છે. આ સિવાય 30 ટકા સબસિડી બેંકમાંથી મળે છે.

‘કુસુમ યોજના’ના ત્રણ ભાગ છે. કમ્પોનન્ટ-એ, બી અને સી કમ્પોનન્ટ-એમાં ખેડૂતોએ પોતાની જમીન પર પોતાનો સોલર પ્લાન્ટ લગાવવો પડશે. બીજી બાજુ, B અને C માં, ખેડૂતોના ઘરો અને તેમના ખેતરોમાં પમ્પ લગાવવામાં આવે છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ ખેતરો માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરવાનો છે.

આ પણ વાંચો : PM MODI સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી શકે છે, 14 સપ્ટેમ્બરથી શરૂ થશે 76મું વાર્ષિક સત્ર

આ પણ વાંચો :Elon Musk Salary: 2020માં એલન મસ્કનો પગાર Zero હતો, ટેસ્લા કંપનીએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું આ કારણ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
g clip-path="url(#clip0_868_265)">