ખેડૂતો જો આ પાક પદ્ધતિ અપનાવશે તો, જમીનની ફળદ્રુપતા અને આવક વધશે તથા ખર્ચમાં ઘટાડો થશે

ખેડૂતોએ આર્થિક સ્થિતિ સુધારવી હોય તો એકમ વિસ્તારમાં ઉત્પાદન વધારવું પડશે અને ખર્ચ ઘટાડવો પડશે અને ખેત ઉત્પાદનના બજારભાવ સારા મળવા જોઈએ.

ખેડૂતો જો આ પાક પદ્ધતિ અપનાવશે તો, જમીનની ફળદ્રુપતા અને આવક વધશે તથા ખર્ચમાં ઘટાડો થશે
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2021 | 12:01 PM

આજે જગતના તાત ગણાતાં ખેડૂતની (Farmers) આર્થિક સ્થિતિ નબળી પડતી જાય છે. જેના મુખ્ય કારણો મોંઘા બિયારણો અને દવાઓ, અપૂરતો અને અનિયમિત વરસાદ, પિયત પાણીની ખેંચ તથા પિયત માટે થતો વધુ પડતો ખર્ચ, જમીનની ઘટતી જતી ઉત્પાદકતા, ખેત મજૂરોની તંગી અને વધતાં જતાં મજૂરીના દર, વિજળી અને ઈંધણના વધતાં જતાં ભાવ ઉપરાંત પાક ઉત્પાદનના નીચા બજારભાવ કારણભૂત છે.

જો ખેડૂતોએ આર્થિક સ્થિતિ સુધારવી હોય તો એકમ વિસ્તારમાં ઉત્પાદન વધારવું પડશે અને ખર્ચ ઘટાડવો પડશે અને ખેત ઉત્પાદનના બજારભાવ સારા મળવા જોઈએ. જે પૈકી ખેત ઉત્પાદન અને ખેતી ખર્ચ ખેડૂતના હાથની બાબત છે. આવા સમયે ખેડૂતોએ સંશોધન આધારિત ખેતી પધ્ધતિઓ (Farming Method) અપનાવવી જોઈએ. બિન ખર્ચાળ કે ઓછી ખર્ચાળ ખેતી પધ્ધતિમાં ખેડૂતોને નાણાંની ઓછી જરૂરિયાત રહે છે.

સતત એકને એક પાક લેવાથી અમુક તત્વોની ખેતીની જમીનમાં ઉણપ આવે છે. રોગ-જીવાતના પ્રશ્નો ઉદભવે છે, જેથી ધાન્ય વર્ગના પાક પછી કઠોળ વર્ગના પાકની ફરબદલી કરવાથી ઉત્પાદન ખર્ચ વધાર્યા સિવાય બંને પાકોનું ઉત્પાદન વધારી શકાય છે. ધાન્ય વર્ગના પાકને નાઈટ્રોજન તત્વની વધારે જરૂરીયાત રહે છે, જયારે કઠોળ વર્ગના પાકને ફોસ્ફરસ તત્વની વધારે જરૂરીયાત રહે છે. જેથી પાક ફેરબદલીથી જમીનમાં પોાક તત્વોનું સંતુલન પણ જળવાઈ રહે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જે તે વિસ્તારનું હવામાન, જમીન, ખેડૂતની સ્થિતિ, બજાર વ્યવસ્થા, કૃષિ સામગ્રી, મજૂર તથા મશીનરીની ઉપલબ્ધતા વગેરેને અનુરૂપ ખેત પધ્ધતિ અપનાવવી જોઈએ. આર્થિક વળતર ઉપરાંત જમીનની ઉત્પાદકતા જળવાઈ રહે તે જરૂરી છે. જે માટે પાક પધ્ધતિમાં કઠોળ પાકોનો સમાવેશ કરવો જોઈએ.

ઉપલબ્ધ સંસાધનોના કાર્યક્ષમ ઉપયોગ કરવા, પાક નિષ્ફળનું જોખમ ઘટાડવા અને રોગ-જીવાત તથા નીંદણનું નિયંત્રણ કરવા માટે યોગ્ય પાક પધ્ધતિ, પાકની ફેરબદલી, મિશ્ર કે આંતરપાક પધ્ધતિ અપનાવવી જોઈએ. પહોળા અંતરે વવાતાં લાંબાગાળાના પાકોમાં શરૂઆતના સમયમાં ટુંકાગાળાના આંતરપાકો લઈ વધારાની આવક મેળવી શકાય. પશુપાલન જેવા ખેતીના પૂરક વ્યવસાયથી ખર્ચ ઘટાડી આવક વધારી શકાય.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">