Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વધુ ઉપજ આપતા 109 પ્રકારના બાયોફોર્ટિફાઈડ બીજ વિકસાવ્યા, PM મોદીએ કહ્યું બિયારણની નવી જાત અપનાવો

ખેડૂતો સાથે વાતચીત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, કૃષિક્ષેત્રે નવા સંશોધન અને નવીનતા ઉપર ભાર મૂકવા જણાવ્યું. તેમણે પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી દ્વારા આપવામાં આવેલ “જય જવાન, જય કિસાન” ના સૂત્ર અને અટલજી દ્વારા પાછળથી ઉમેરાયેલ “જય વિજ્ઞાન” ને યાદ કર્યું હતું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, “જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન” સૂત્રમાં “જય અનુસંધાન” ઉમેર્યું છે.

વધુ ઉપજ આપતા 109 પ્રકારના બાયોફોર્ટિફાઈડ બીજ વિકસાવ્યા, PM મોદીએ કહ્યું બિયારણની નવી જાત અપનાવો
PM Modi and Shivraj Singh with farmers
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2024 | 3:47 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગઈકાલ રવિવારે 11 ઓગસ્ટે ખેડૂતોને મળ્યા અને ખેડૂતોને નવા વિકસાવેલા બીજની મોટી ભેટ આપી. વાસ્તવમાં પીએમ મોદી પુસા ઇન્સ્ટિટ્યૂટ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ખેડૂતો સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદીએ 109 નવા પ્રકારના બીજ લોંચ કર્યા હતા. જે વધુ ઉપજ આપતા અને બાયોફોર્ટિફાઈડ બીજ પણ છે. આ પ્રસંગે પીએમ મોદી સાથે કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

જ્યારે પીએમ મોદી ખેડૂતો સાથે વાત કરવા માટે પુસા પહોંચ્યા, ત્યારે ત્યાં ભારે વરસાદ શરૂ થયો હતો, ત્યારબાદ અધિકારીઓએ પીએમને વિનંતી કરી કે વાતચીત રદ કરવામાં આવે, પરંતુ પીએમએ ભારપૂર્વક કહ્યું કે તેઓ વરસાદ હોવા છતાં ખેડૂતો સાથે વાત કરશે.

PMએ કૃષિ ક્ષેત્રે સંશોધન પર ભાર મૂક્યો

ખેડૂતો સાથે વાતચીત કરતી વખતે પીએમ મોદીએ કૃષિમાં સંશોધન અને નવીનતાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી દ્વારા આપવામાં આવેલ “જય જવાન, જય કિસાન” ના સૂત્ર અને અટલજી દ્વારા પાછળથી ઉમેરાયેલ “જય વિજ્ઞાન” ને યાદ કર્યું હતું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, “જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન” સૂત્રમાં “જય અનુસંધાન” ઉમેર્યું છે. PM એ કહ્યું કે, કેવી રીતે તેમણે સંશોધન અને નવીનતાને મહત્વ આપતા સૂત્રમાં “જય અનુસંધાન” ઉમેર્યું.

Video : 'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા પર થયો પૈસાનો વરસાદ
IPL 2025 દરમિયાન જસપ્રીત બુમરાહે 'ટ્રિપલ સેન્ચુરી' ફટકારી
Pahalgam Attack : ભારતમાં સૌથી વધુ શું ભણવા આવે છે પાકિસ્તાની વિદ્યાર્થીઓ, જાણો
AC Electricity Bill : દરરોજ 10 કલાક 1.5 ટનનું AC ચલાવો, તો વીજળીનું બિલ કેટલું આવશે?
Pahalgam Attack : પહલગામ આતંકી હુમલા બાદ સેનાના જવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ
Cobra Vs King Cobra: કોબ્રા અને કિંગ કોબ્રા વચ્ચે 5 મોટા તફાવત, જાણો

કુદરતી ખેતીનું મહત્વ

પીએમ મોદીએ કહ્યું કે, ખેડૂતો કુદરતી ખેતી અપનાવીને મહત્વની સિદ્ધિઓ મેળવે તેવી અપેક્ષા છે. ખેડૂતો સાથે વાતચીત કરતી વખતે પીએમએ કહ્યું કે, ખેડૂતો ધરતી માતા પ્રત્યેની તેમની જવાબદારી પ્રત્યે જાગૃત છે અને જંતુનાશકોથી દૂર રહે છે. કુદરતી ખેતી તરફનો આ બદલાવ ખેડૂતોને વધુ સારા પરિણામો આપી રહ્યો છે.

નવી જાતો અપનાવવા પીએમનુ સૂચન

વડા પ્રધાને ખેડૂતોને સંશોધનની મદદથી વિકસિત કરેલા બિયારણની નવી જાતો અપનાવવાનું સૂચન કર્યું, પીએમએ ખેડૂતોને પૂછ્યું કે શું તેઓ બિયારણની નવી જાતોનો ઉપયોગ કરવા માટે તૈયાર છે કે પછી અન્ય લોકો તેનો ઉપયોગ કરે અને તેના પરિણામો જોયા પછી, તેઓ ઉપયોગ કરવાનું શરૂ કરશે. પીએમએ તેમને સૌપ્રથમ તેમની જમીનના નાના ભાગ પર નવી જાતના બીજનો ઉપયોગ કરવા અને પરિણામો જોવાનું સૂચન કર્યું અને કહ્યું કે જો તેઓને સંતોષકારક પરિણામો મળે તો તેઓએ તેનો ઉપયોગ કરવો જોઈએ અને બીજાને પણ આની જાણકારી આપવી જોઈએ.

ત્રીજી ટર્મમાં ત્રણ ગણી ઝડપે કામ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું કે, વર્તમાન સરકારે ત્રીજી વખત દેશની કમાન સંભાળી છે, જેના કારણે તેઓ તેમના ત્રીજા કાર્યકાળમાં ત્રણ ગણી ઝડપે કામ કરશે.

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">