AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે વ્યાજખોરોની ખેર નથી ! વ્યાજના ખપ્પરમાં હોમાતા લોકોને બચાવવા સુરત અને રાજકોટ જિલ્લા પોલીસનું ખાસ અભિયાન

રાજકોટ અને સુરત શહેર પોલીસ વ્યાજના વિષચક્રનો ભોગ બનનારાઓને ભયમુક્ત કરવા વધુ લોક દરબારનું પણ આયોજન કરી રહી છે. આમ પોલીસે હવે વ્યાજના ખપ્પરમાં હોમાતા લોકો અને પરિવારોને બચાવવા એક ખાસ અભિયાન ઉપાડ્યું છે.

હવે વ્યાજખોરોની ખેર નથી ! વ્યાજના ખપ્પરમાં હોમાતા લોકોને બચાવવા  સુરત અને રાજકોટ જિલ્લા પોલીસનું ખાસ અભિયાન
File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2023 | 6:59 AM
Share

વ્યાજના ચક્કરમાં આવીને અનેક પરિવારોએ બરબાદ થઈને જીવન ટૂંકાવ્યું છે. બાળકો સહિત આખી પેઢીએ આપઘાત કર્યો હોવાના સમાજમાં અનેક દાખલા બનતા પોલીસ હવે વ્યાજખોરો પર આક્રમક બનવા જઈ રહી છે, ત્યારે એ જાણીએ કે સુરત, અને રાજકોટ જેવા જિલ્લાઓમાં પોલીસે વ્યાજખોરોને સકંજામાં લેવા કેવો પ્લાન બનાવ્યો છે.

પોલીસે કાર્યવાહી કરીને 14 લોકોની ધરપકડ કરી

સુરત શહેર ગુજરાતનું આર્થિક પાટનગર કહેવાય છે અને આ પાટનગરમાં દેશભરના અલગ અલગ રાજ્યના લોકો રોજગારીની શોધમાં આવીને વસ્યા છે. શહેરમાં વસીને નાનો મોટો ધંધો કરતા હોવાથી પૈસાની જરૂર હોય છે. બસ આ જ વાતનો લાભ ઉઠાવી કેટલાક અસામાજીક તત્વો આવા લોકોને રૂપિયા વ્યાજ તો આપે છે પણ તેની અવેજમાં વ્યાજની મોટી રકમ પડાવી લેતા હોય છે. આવી સતત ફરિયાદો સુરત પોલીસ સામે આવી રહી છે. ત્યારે સુરત પોલીસ આવા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. સુરતના આઈ ડિવિઝન વિસ્તારમાં સચિન અને સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરો સામે પોલીસે કાર્યવાહી કરીને 14 લોકોની ધરપકડ કરી છે.

આ ડ્રાઈવ અંતર્ગત સચિન GIDC પોલીસ અને સચિન પોલીસે વ્યાજખોરો સામે 10 ગુના નોંધ્યા છે. અને 14 લોકોને જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે. સચિન GIDC પોલીસે 10 અને સચિન પોલીસે 4 વ્યાજખોરોની ધરપકડ કરી. આ શખ્સો નાના ધંધાર્થીઓને મહિને 15 ટકા વ્યાજે રૂપિયા આપતા અને ત્યારબાદ પરેશાન કરતા હતા. જો 10 હજાર વ્યાજે આપ્યા હોય તો વ્યાજપેટે રૂપિયા 2 હજાર પહેલેથી જ કાપી લેતા, ત્યારબાદ રોજેરોજ વ્યાજ વસૂલ કરતા હતા. અને જો વ્યાજના રૂપિયા ન આપે તો ધાકધમકી આપીને હેરાન કરતા હતા. પોલીસે આવા નાના ધંધાર્થીઓ, શાકભાજીની લારીવાળા અને કટલરી વેચતા લોકોને વ્યાજના વિષચક્રમાંથી છોડાવ્યા છે.

વ્યાજખોરોને પણ સકંજામાં લઈને પોલીસની સરાહનીય કામગીરી

આ તરફ રાજકોટમાં પણ વ્યાજખોરો આતંક મચાવ્યો છે. જેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. DCP ઝોન 1ના વિસ્તારમાં 7 ગુના નોંધવામાં આવ્યા છે. વ્યાજખોરોને ડામવા માટે 5 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી કડક કાર્યવાહી માટે પોલીસ એક ડ્રાઈવ ચલાવી રહી છે..જે અંતર્ગત વ્યાજખોર આરોપીઓ વિરૂદ્ધ મની લેન્ડ એક્ટ સહિતની કલમ હેઠળ ગુના નોંધવામાં આવી રહ્યા છે. રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 4, બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 2 અને થોરાળા પોલીસ સ્ટેશનમાં 1 મળીને કુલ 7 ગુના નોંધવામાં આવ્યા છે.

આગામી દિવસોમાં રાજકોટ શહેર પોલીસ વ્યાજના વિષચક્રનો ભોગ બનનારાઓને ભયમુક્ત કરવા વધુ લોક દરબારનું પણ આયોજન કરી રહી છે. આમ પોલીસે હવે વ્યાજના ખપ્પરમાં હોમાતા લોકો અને પરિવારોને બચાવવા એક ખાસ અભિયાન ઉપાડ્યું છે જેમાં લોકોનો સહકાર પણ મળી રહ્યો છે. વધુને વધુ લોકો જાગૃત થાય એવો પ્રયાસ પોલીસ કરી રહી છે. સાથે જ વ્યાજખોરોને પણ સકંજામાં લઈને પોલીસે સરાહનિય કામગીરી શરૂ કરી છે.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">