દાહોદ : નકલી કચેરીના કેસમાં ચોંકાવનારા ખુલાસા, પૂર્વ IAS અધિકારીની સંડોવણી આવી સામે

પૂર્વ IASએ સત્તાના જોરે કાગળ પર 6 કચેરીઓ ઉભી કરીને માત્ર 4 વર્ષમાં 18.59 કરોડના કૌભાંડનો ખેલ પાડ્યો હતો. આ ઉપરાંત સરકારી નોકરીના અંતિમ દિવસે નિનામાએ 8 કલાકમાં 10 કરોડના 46 કામોને એક ઝાટકે મંજૂરી આપી દીધી હતી. આરોપો સાબિત થતાં પૂર્વ IASની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દાહોદ : નકલી કચેરીના કેસમાં ચોંકાવનારા ખુલાસા, પૂર્વ IAS અધિકારીની સંડોવણી આવી સામે
Dahod fake office
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Nov 29, 2023 | 7:55 PM

દાહોદના નકલી કચેરીના અસલી કૌભાંડ કેસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. કૌભાંડના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતની પૂછપરછમાં, પૂર્વ IAS બી.ડી.નિનામાની સંડોવણી સામે આવી છે. તપાસમાં ખુલાસો થયો છે કે નિનામાએ સત્તાના જોરે કાગળ પર 6 કચેરીઓ ઉભી કરીને માત્ર 4 વર્ષમાં 18.59 કરોડના કૌભાંડનો ખેલ પાડ્યો હતો.

આ ઉપરાંત સરકારી નોકરીના અંતિમ દિવસે નિનામાએ 8 કલાકમાં 10 કરોડના 46 કામોને એક ઝાટકે મંજૂરી આપી દીધી હતી. આરોપો સાબિત થતાં પૂર્વ IAS નિનામાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કૌભાંડી પૂર્વ IAS બી.ડી.નિનામા વર્ષ 2013ની બેચના પૂર્વ IAS અધિકારી છે. નિનામા વર્ગ-3ના કર્મચારી તરીકે ગુજરાત સરકારમાં જોડાયા હતા. GAS તરીકે બઢતી મળ્યા બાદ તેમને પ્રમોશન આપીને IAS બનાવાયા હતા અને વર્ષ 2019થી દાહોદ ખાતે પ્રાયોજન અધિકારી પદે નિમણૂક મળી હતી. તો પોરબંદરમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ડિસેમ્બર 2022 સુધી સેવા આપ્યા બાદ તાજેતરમાં જ તેઓએ VRS લીધુ હતું.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

નિનામાની તપાસમાં સામે આવ્યું છે કે, નિનામાએ પોતાની સત્તાનો દૂરૂપયોગ કરીને રૂ.18.59 કરોડોના કૌભાંડને અંજામ આપ્યો હતો, પ્રાપ્ત વિગતો મુજબ 100 સરકારી કામોમાંથી 82 કામોને નિનામાએ જ મંજૂરી આપી હતી. 82માંથી 10 કરોડના 46 કામો એવા હતા. જેને માત્ર 8 કલાકમાં જ નિનામાએ મંજૂરીની મહોર મારી દીધી હતી. આ તમામ કામો કાગળ પર બનાવાયેલી કચેરીઓના નામે મંજૂર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો દાહોદ : નકલી સરકારી કચેરીમાં અધિકારીઓની પણ સંડોવણી આવી શકે છે બહાર, કૌભાંડી સંદીપની પૂછપરછમાં થયા મહત્વના ખુલાસા

હાલ નિનામા 6 દિવસના રિમાન્ડ પર છે. અધિકારીઓને શંકા છે કે કૌભાંડના તાર અન્ય શહેરોમાં પણ જોડાયેલા હોઇ શકે છે. તેથી તપાસનો ધમધમાટ અન્ય શહેરો સુધી લંબાઇ શકે છે.

દાહોદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">