AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતમાં વીમો પકવવા માટે પરણીતાની કરાઈ હત્યા, કાવતરાખોર સસરા અને નણંદની ધરપકડ

સસરા અને નણંદ મળીને હત્યાનું (Murder) સમગ્ર કાવતરૂં ઘડયું હતુ. આ કેસમાં પુણા પોલીસે પતિ અનુજ અને તેના સાથી નઇમની ધરપકડ કરી, લાજપોર જેલમાં મોકલી આપ્યા હતા.

સુરતમાં વીમો પકવવા માટે પરણીતાની કરાઈ હત્યા, કાવતરાખોર સસરા અને નણંદની ધરપકડ
Murder of wife for insurance in Surat, conspiracy father-in-law and Nand arrested
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 09, 2022 | 6:47 PM
Share

સુરતમાં (SURAT) આજથી એક 16 મહિના પહેલા એક પરણીતાની હત્યાનો બનાવ સામે આવ્યો હતો. સુરતના પુણા વિસ્તારમાં રૂ. 65 લાખનો વીમો પકવવા કુંભારિયાની પરિણીતાને ટ્રક નીચે મારી સમગ્ર (Murder)હત્યાકાંડને અકસ્માતમાં ખપાવવાના ચકચારી કેસમાં પુણા પોલીસે (POLICE) યુપીના અલીગઢથી મુખ્ય કાવતરાખોર સસરા અને નણંદને પકડી પાડયા હતા.

મળતી વિગતો પ્રમાણે પુણા પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ કુંભારિયા ગામ સારથી રેસિડન્સીમાં રહેતા અનુજકુમાર સોહન યાદવે પત્ની શાલિનીની ઘાતકી હત્યા કરી દીધી હતી. પતિ અનુજે પત્ની શાલિનીના નામે 60-65 લાખની વીમા પોલિસી લીધી હતી. આ વીમા પોલિસી પકવવા શાલિનીની હત્યા કરી રોડ એક્સિડન્ટમાં ખપાવવાનું કાવતરૂં ઘડી કઢાયું હતુ. હત્યા માટે અનુજે નઇમ ઉર્ફે પપ્પુ ઉસ્માન ઇસ્લામની મદદ લીધી હતી. બંનેએ મળી શાલિનીનું ગળું દબાવી અર્ધબેભાન કરી દીધી હતી. તેઓ અર્ધબેહોશ શાલિનીને ટ્રક નીચે કચડી મારી હતી.

સસરા અને નણંદ મળીને હત્યાનું સમગ્ર કાવતરૂં ઘડયું હતુ. આ કેસમાં પુણા પોલીસે પતિ અનુજ અને તેના સાથી નઇમની ધરપકડ કરી, લાજપોર જેલમાં મોકલી આપ્યા હતા. દરમિયાન પોલીસ તપાસમાં મૃતકના સસરા સોહનસિંઘ અને નણંદ નીરૂ ઉર્ફે પૂજા યાદવની ભૂમિકા પણ સ્પષ્ટ થઇ હતી. તેઓ દહેજ માટે ત્રાસ ગુજારતા હતા. હત્યાનું સમગ્ર કાવતરૂં તેઓએ જ ઘડયું હતુ. ગુનો નોંધાયા બાદ 16 મહિનાથી સોહનસિંઘ અને નીરૂ યાદવ મૃતકની 4 વર્ષની દીકરી દિયાને લઇ નાસતા-ફરતા હતા.

મૃતકની 4 વર્ષની દીકરીનો કબજો નાના-નાનીને સોંપાયો હતો. દરમિયાન પુણા પોલીસને બાતમી મળી હતી કે, બંને જણા યુપીના મથુરા ખાતે હોટલમાં રોકાયા છે. રસ્તામાં બંને આરોપી અલીગઢ પાસે હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી બંનેને દબોચી લીધા હતા. પોલીસે સોહનસીંગ અને નીરૂ ઉર્ફે પુજા યાદવની ધરપકડ કરી તેઓ પાસેથી માસૂમ દિયાનો કબ્જો લઇ નાના-નાનીને બાળકી સોંપી દીધી હતી.

આ પણ વાંચો :Surat : પેઢીમાં કામ કરતા કર્મચારીનું કારસ્તાન, પુણામાં આંગડિયા પેઢીનો કર્મચારી રૂપિયા 44 લાખ લઇ રફુચક્કર

આ પણ વાંચો :Surat : રખડતા પશુઓના મુદ્દે હાઈકોર્ટના આદેશનું પાલન કરાશે તેવું કહી સી.આર.પાટીલે મનપાના ભરપેટ વખાણ કર્યા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">