AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : પેઢીમાં કામ કરતા કર્મચારીનું કારસ્તાન, પુણામાં આંગડિયા પેઢીનો કર્મચારી રૂપિયા 44 લાખ લઇ રફુચક્કર

છેલ્લા 10 વર્ષથી તેમની આંગડિયા પેઢીમાં( Angadia firm) અરવિંદભાઇ સોમાજીભાઇ પ્રજાપતિ કામ કરતો હોવાથી તે પેઢીનો વિશ્વાસુ કર્મચારી હતો. તારીખ 6 એપ્રિલ ના રોજ સવારે તેની જ સોસાયટીમાં રહેતા ગીમાજીભાઈના ઘરેથી તેની એક્ટિવા બાઈક લઇ સરગમ પાર્કમાં રહેતા જિનાજીભાઈના ઘરે ગયો હતો. જ્યાંથી તે રોકડા રૂપિયા 44 લાખ લઇ ભવાનીવાડ ખાતે આવેલ રમેશકુમાર પ્રવીણકુમાર એન્ડ કંપની નામની આંગડીયા પેઢીએ જવા માટે નીકળ્યો હતો.

Surat : પેઢીમાં કામ કરતા કર્મચારીનું કારસ્તાન, પુણામાં આંગડિયા પેઢીનો કર્મચારી રૂપિયા 44 લાખ લઇ રફુચક્કર
Surat Angadia Firm Employee Run Away With Money (File Image)
Parul Mahadik
| Edited By: | Updated on: Apr 09, 2022 | 6:44 PM
Share

સુરતના(Surat)પુણામાં આઈમાતા રોડ પર આવેલ સરિતા વિહાર સોસાયટીમાં રહેતો યુવાન બાજુમાં આવેલ સરગમ પાર્ક સોસાયટીમાંથી આંગડિયા પેઢીના માલિકના ઘરેથી રોકડા રૂપિયા 44 લાખ લઇ મહિધરપુરામાં આવેલ પેઢીની ઓફિસે જવા માટે નીકળ્યો હતો. પરંતુ આ યુવક પેઢીએ પહોંચવાની જગ્યાએ બારોબાર પૈસા લઇ રફુચક્કર(Run Away)થઇ ગયો હતો. પેઢીના માલિક ઓફિસે પહોંચ્યા ત્યારે જાણ થઇ હતી કે કર્મચારી પૈસા લઈને હજુ સુધી આવ્યો નથી. તેને ફોન કરતા ફોન બંધ આવ્યો હતો. બાદમાં પૈસા ચોરી પલાયન થઇ ગયો હોવાની જાણ થતા પેઢીના ભાગીદારે પુણા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બનાવની વિગત એવી છે કે પુણા આઈમાતા રોડ પર આવેલ સરગમ પાર્ક સોસાયટીમાં રહેતા જિનાજીભાઈ કાળુજીભાઈ પ્રજાપતિ મુંબઈના હકમાજી ઊકાજી પ્રજાપતિ સાથે સુરતમાં રમેશકુમાર પ્રવિણકુમાર એન્ડ કંપની નામની આંગડિયા પેઢી ચલાવે છે. સુરત શહેરમાં ગીમાજી અચલાજી પ્રજાપતિ પણ તેમના પેઢીમાં પાર્ટનર છે. મહિધરપુરામાં હરિપુરા ભવાની વાડ ખાતે તેમની પેઢીની ઓફિસ આવેલી છે.

ગિનાજીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે અરવિંદ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

છેલ્લા 10 વર્ષથી તેમની આંગડિયા પેઢીમાં અરવિંદભાઇ સોમાજીભાઇ પ્રજાપતિ કામ કરતો હોવાથી તે પેઢીનો વિશ્વાસુ કર્મચારી હતો. તારીખ 6 એપ્રિલ ના રોજ સવારે તેની જ સોસાયટીમાં રહેતા ગીમાજીભાઈના ઘરેથી તેની એક્ટિવા બાઈક લઇ સરગમ પાર્કમાં રહેતા જિનાજીભાઈના ઘરે ગયો હતો. જ્યાંથી તે રોકડા રૂપિયા 44 લાખ લઇ ભવાનીવાડ ખાતે આવેલ રમેશકુમાર પ્રવીણકુમાર એન્ડ કંપની નામની આંગડીયા પેઢીએ જવા માટે નીકળ્યો હતો. જોકે આ દરમિયાન તે આંગડિયા પેઢી પર ન પહોંચી બાઈક અને રોકડા રૂપિયા 44 લાખ લઇ ફરાર થઇ ગયો હતો. બાદમાં ગિનાજી પેઢીએ પહોંચતા હકીકતની જાણ થતા તેમણે અરવિંદને ફોન કરતા ફોન બંધ આવ્યો હતો. બનાવને પગલે ગિનાજીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે અરવિંદ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાંડેસરામાં પણ ભાગીદારે 49 લાખની મશીનરી પચાવી પાડતા પોલીસ ફરિયાદ

આ જ પ્રમાણે પાંડેસરા વિસ્તારમાં રહેતા બિહારના યુવાન સાથે ભાગો ખાતે રહેતા યુવાને ભાગીદારીમાં પેઢી શરુ કરી હતી. ચાર વર્ષ પહેલા બિહારના યુવાનની વતનમાં માતાની તબિયત ખરાબ થતા તે વતન ગયો હતો. આ તકનો લાભ લઇ ભાગીદાર યુવાને ઉધના ખાતે આવેલ ખાતામાંથી રૂપિયા 48.75 લાખના મશીનો પાંડેસરામાં પોતાની પેઢીમાં ખસેડી દીધા હતા. જોકે બાદમાં બિહારથી યુવાન પરત આવતા પોતાને કઈ ખબર ન હોવાનું કહી તથા ભાગીદાર પેઢીનો પણ કોઈ હિસાબ ન આપી ઠગાઈ કરતા ભોગ બનનારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેઓએ અવારનવાર મનીષને મશીનરી આપવા અને ભાગીદારી પેઢીનો હિસાબ આપવા કહ્યું હતું. પરંતુ મનીષે એકપણ રૂપિયાનો હિસાબ નહિ આપી અને મશીનરી પણ નહીં આપી ઠગાઈ કરી હતી. જેથી આખરે બાદમાં મહેશકુમારે ગતરોજ પાંડેસરા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :  ધોરણ-10નું હિન્દીનું પેપર વાયરલ થવા મુદ્દે કોંગ્રેસના પ્રહાર, પેપર ફૂટવું તે શિક્ષણ વિભાગ માટે શરમજનક વાતઃ કોંગ્રેસ

આ પણ વાંચો : CNGના ભાવ વધારા સામે રીક્ષા ચાલકો આક્રમક, રીક્ષા ચાલકોએ 15 એપ્રિલે એક દિવસીય હડતાળની જાહેરાત કરી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો 

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">