પ્રેમિકાના પતિની હત્યા કરી, લાશને મોપેડ પર લઇ જઇ, પૂલ પરથી ખારી નદીમાં નાંખી દીધી, સાબરકાંઠાના ગઢોડા મર્ડર કેસમાં પ્રેમી-પ્રેમીકા ઝડપાયા

હિમતનગરના ગઢોડામાં દંપતી સાથે એક જ ઘરમાં પાંચ મહિનાથી રહેતા પ્રેમીએ પ્રેમમાં આડખીલી રૂપ પ્રેમિકાના પતિની  ઊંઘમાં જ હથોડી માર્યા બાદ ગળું દબાવી હત્યા કરી દીધી હતી. પ્રેમી આરોપીએ લાશને ચાદરમાં વિંટાળીને ટુ વ્હીલર પર એકલો લઇ જઇને ખારી નદીમાં પુલ પરથી નીચે નાંખી દીધી હતી. પ્રાંતિજ પોલીસે મૃતકની પત્નિ અને તેના હત્યારા પ્રેમીની ધરપકડ કરી […]

પ્રેમિકાના પતિની હત્યા કરી, લાશને મોપેડ પર લઇ જઇ, પૂલ પરથી ખારી નદીમાં નાંખી દીધી, સાબરકાંઠાના ગઢોડા મર્ડર કેસમાં પ્રેમી-પ્રેમીકા ઝડપાયા
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 05, 2020 | 5:28 PM
હિમતનગરના ગઢોડામાં દંપતી સાથે એક જ ઘરમાં પાંચ મહિનાથી રહેતા પ્રેમીએ પ્રેમમાં આડખીલી રૂપ પ્રેમિકાના પતિની  ઊંઘમાં જ હથોડી માર્યા બાદ ગળું દબાવી હત્યા કરી દીધી હતી. પ્રેમી આરોપીએ લાશને ચાદરમાં વિંટાળીને ટુ વ્હીલર પર એકલો લઇ જઇને ખારી નદીમાં પુલ પરથી નીચે નાંખી દીધી હતી. પ્રાંતિજ પોલીસે મૃતકની પત્નિ અને તેના હત્યારા પ્રેમીની ધરપકડ કરી છે.
 
 
સાબરકાંઠાના હિમતનગર થી તલોદ રોડ પર ૧૮ દિવસ પહેલા પ્રાંતિજના અંબાવાડાની સીમમાંથી પસાર થતી ખારી નદીના પુલ નીચે ત્રીસેક વર્ષના અજાણ્યા યુવકની લાશ જોવા મળી હતી. સ્થાનિક લોકોએ આ અંગે પ્રાંતિજ પોલીસને જાણ કરતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાનમાં માહિતી મળી હતી કે નનાનપુર ગામની સીમમાં આવેલ માર્ક એલોય કંપનીમાંથી અમરનાથ નામનો શખ્સ ગુમ થયેલ છે. જે માર્ક એલોય કંપનીમાં મેન્ટેનન્સ વર્કર તરીકે નોકરી કરતો હતો અને ગઢોડાની સીમમાં આવેલ સાગર વિલેજ સોસાયટીમાં રહેતો હતો. જેથી પોલીસે તેના ઘરની આસપાસમાં રહેતા લોકોની પૂછપરછ કરતાં માહિતી મળી હતી કે અમરનાથ, તેની પત્ની, બે વર્ષનો બાળક અને પપ્પુ નામનો શખ્સ રહેતા હતા. અમરનાથની પત્ની નિધિએ પડોશીઓને કહ્યું કે અમરનાથ ઝઘડો કરીને ક્યાંક જતો રહ્યો છે, તેથી નિધિ સાથે બે વર્ષનો બાળક અને પપ્પુ ઠાકુર ઘરનો સામાન લઈને બિહાર જતા રહ્યા છે. ત્યારે પત્ની પણ ચાલી ગઇ હોવાની માહિતી મળતાં પોલીસનો શક મજબૂત બન્યો હતો. પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી હતી અને મૃતકના ભાઈનો સંપર્ક કરી ફોટા વગેરે મોકલી ઓળખ નક્કી કરી હતી.
પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર પ્રહલાદસિંહ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, લાશને લઇને તેની ઓળખ કરવા માટે પ્રયાસ હાથ ધર્યો હતોમાં જેમાં એક યુવક ગુમ હોવાનુ જાણમાં આવ્યુ હતુ, આ માટે અમે તેના ઘરે તપાસ કરતા તેની પત્નિ પણ ઘરે થી વતન ચાલી ગઇ હોવાનુ જાણવા મળતા શંકા ગઇ હતી. જેને લઇને તપાસ કરતા આખરે હત્યાની કડી મલી આવી હતી.
 
પ્રાંતિજની નાનપુરની ફેક્ટરીમાં નોકરી કરતાં મૂળ બિહાર રાજ્યના અને ગઢોડાની સાગર વિલેજ સોસાયટીમાં પાંચ વર્ષથી રહેતા યુવક અમરનાથની લાશ ખારી નદીમાંથી મળી હતી. જે લાશને નદીમાં નાંખતા અગાઉ પ્રેમાંધ પપ્પુએ પતિ અમરનાથની પત્ની નિધિ સાથે  મળી, પતિ અમરનાથની હત્યા કરી લાશને નવેક કલાક ઘરમાં બાથરૂમમાં મૂકી રાખી હતી. લાશની દુર્ગંધ અટકાવવા માટે સ્પ્રે લાવીને બાથરૂમમાં છાંટવામાં આવ્યો હતો, ત્યારબાદ લાશને ચાદરમાં વીંટી મૃતક અમરનાથ પોતાના મોપેડ પર આગળ ઉંધો બાંધી  રાત્રીના દરમ્યાન ઘરે થી સાતેક કિલોમીટર દુર પ્રેમી પપ્પુ લઇ ગયો હતો. જ્યાં રાત્રીના અંધકારમાં ખારી નદીમાં પુલ પરથી ફેંકી દીધી હતી. આમ હત્યાને  આત્મહત્યામાં ખપી જશે તેવુ તેનુ અનુમાન હતુ.
પ્રેમી લાશ ફેકી આવ્યા બાદ હથોડી સહીતના લોહી વાળા કપડા તમામ એક થેલીમાં ઘરથી થોડે દુર રોડ સાઈડે ફેંકી આવ્યો હતો. ત્યારબાદ પપ્પુ તેની પ્રેમિકા નિધિ સાથે બે વર્ષના બાળકને લઇ  બિહાર પલાયન થઇ ગયા હતા. પ્રાંતિજ પોલીસે બંને આરોપીને  બિહારથી લઈ આવ્યા બાદ મૃતકના ભાઇની ફરિયાદને પગલે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાંતિજ પોલીસે હત્યાનો ભેદ ઉકેલી દઇને પ્રાંતિજ પોલીસે પતિની હત્યા કરનારા પ્રેમી અને પત્નીને ઝડપી લઈને જેલ હવાલે કર્યા છે. તો પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી સાથે ગર્ભવતી પ્રેમીકા નિધિનો ડીએનએ ટેસ્ટ પણ કરવામાં આવશે.
 
 
આરોપી
1. પપ્પુ રામસુરત ઠાકુર, રહે ઇસરોલી પટેરી રેલ્વે સ્ટેશન પાસે,તા.ઇસરોલી થાના-મન્હાવરા જી.છપરા (બિહાર) હાલ રહે સાગર વિલેજ સોસાયટી,ગઢોડા,તા.હિમતનગર.જી,સાબરકાંઠા  
2. નિધિ અમરનાથસિંગ સુરેન્દ્રસીંગ કુશવાહા, રહે બાહુઆરા પોસ્ટ સેરુકાહાન મન્હાવરા જી.સારન (છાપરા), બિહાર  હાલ રહે સાગર વિલેજ સોસાયટી,ગઢોડા,તા.હિમતનગર.જી,સાબરકાંઠા

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">