પ્રેમિકાના પતિની હત્યા કરી, લાશને મોપેડ પર લઇ જઇ, પૂલ પરથી ખારી નદીમાં નાંખી દીધી, સાબરકાંઠાના ગઢોડા મર્ડર કેસમાં પ્રેમી-પ્રેમીકા ઝડપાયા
હિમતનગરના ગઢોડામાં દંપતી સાથે એક જ ઘરમાં પાંચ મહિનાથી રહેતા પ્રેમીએ પ્રેમમાં આડખીલી રૂપ પ્રેમિકાના પતિની ઊંઘમાં જ હથોડી માર્યા બાદ ગળું દબાવી હત્યા કરી દીધી હતી. પ્રેમી આરોપીએ લાશને ચાદરમાં વિંટાળીને ટુ વ્હીલર પર એકલો લઇ જઇને ખારી નદીમાં પુલ પરથી નીચે નાંખી દીધી હતી. પ્રાંતિજ પોલીસે મૃતકની પત્નિ અને તેના હત્યારા પ્રેમીની ધરપકડ કરી […]
હિમતનગરના ગઢોડામાં દંપતી સાથે એક જ ઘરમાં પાંચ મહિનાથી રહેતા પ્રેમીએ પ્રેમમાં આડખીલી રૂપ પ્રેમિકાના પતિની ઊંઘમાં જ હથોડી માર્યા બાદ ગળું દબાવી હત્યા કરી દીધી હતી. પ્રેમી આરોપીએ લાશને ચાદરમાં વિંટાળીને ટુ વ્હીલર પર એકલો લઇ જઇને ખારી નદીમાં પુલ પરથી નીચે નાંખી દીધી હતી. પ્રાંતિજ પોલીસે મૃતકની પત્નિ અને તેના હત્યારા પ્રેમીની ધરપકડ કરી છે.
સાબરકાંઠાના હિમતનગર થી તલોદ રોડ પર ૧૮ દિવસ પહેલા પ્રાંતિજના અંબાવાડાની સીમમાંથી પસાર થતી ખારી નદીના પુલ નીચે ત્રીસેક વર્ષના અજાણ્યા યુવકની લાશ જોવા મળી હતી. સ્થાનિક લોકોએ આ અંગે પ્રાંતિજ પોલીસને જાણ કરતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાનમાં માહિતી મળી હતી કે નનાનપુર ગામની સીમમાં આવેલ માર્ક એલોય કંપનીમાંથી અમરનાથ નામનો શખ્સ ગુમ થયેલ છે. જે માર્ક એલોય કંપનીમાં મેન્ટેનન્સ વર્કર તરીકે નોકરી કરતો હતો અને ગઢોડાની સીમમાં આવેલ સાગર વિલેજ સોસાયટીમાં રહેતો હતો. જેથી પોલીસે તેના ઘરની આસપાસમાં રહેતા લોકોની પૂછપરછ કરતાં માહિતી મળી હતી કે અમરનાથ, તેની પત્ની, બે વર્ષનો બાળક અને પપ્પુ નામનો શખ્સ રહેતા હતા. અમરનાથની પત્ની નિધિએ પડોશીઓને કહ્યું કે અમરનાથ ઝઘડો કરીને ક્યાંક જતો રહ્યો છે, તેથી નિધિ સાથે બે વર્ષનો બાળક અને પપ્પુ ઠાકુર ઘરનો સામાન લઈને બિહાર જતા રહ્યા છે. ત્યારે પત્ની પણ ચાલી ગઇ હોવાની માહિતી મળતાં પોલીસનો શક મજબૂત બન્યો હતો. પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી હતી અને મૃતકના ભાઈનો સંપર્ક કરી ફોટા વગેરે મોકલી ઓળખ નક્કી કરી હતી.
પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર પ્રહલાદસિંહ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, લાશને લઇને તેની ઓળખ કરવા માટે પ્રયાસ હાથ ધર્યો હતોમાં જેમાં એક યુવક ગુમ હોવાનુ જાણમાં આવ્યુ હતુ, આ માટે અમે તેના ઘરે તપાસ કરતા તેની પત્નિ પણ ઘરે થી વતન ચાલી ગઇ હોવાનુ જાણવા મળતા શંકા ગઇ હતી. જેને લઇને તપાસ કરતા આખરે હત્યાની કડી મલી આવી હતી.
પ્રાંતિજની નાનપુરની ફેક્ટરીમાં નોકરી કરતાં મૂળ બિહાર રાજ્યના અને ગઢોડાની સાગર વિલેજ સોસાયટીમાં પાંચ વર્ષથી રહેતા યુવક અમરનાથની લાશ ખારી નદીમાંથી મળી હતી. જે લાશને નદીમાં નાંખતા અગાઉ પ્રેમાંધ પપ્પુએ પતિ અમરનાથની પત્ની નિધિ સાથે મળી, પતિ અમરનાથની હત્યા કરી લાશને નવેક કલાક ઘરમાં બાથરૂમમાં મૂકી રાખી હતી. લાશની દુર્ગંધ અટકાવવા માટે સ્પ્રે લાવીને બાથરૂમમાં છાંટવામાં આવ્યો હતો, ત્યારબાદ લાશને ચાદરમાં વીંટી મૃતક અમરનાથ પોતાના મોપેડ પર આગળ ઉંધો બાંધી રાત્રીના દરમ્યાન ઘરે થી સાતેક કિલોમીટર દુર પ્રેમી પપ્પુ લઇ ગયો હતો. જ્યાં રાત્રીના અંધકારમાં ખારી નદીમાં પુલ પરથી ફેંકી દીધી હતી. આમ હત્યાને આત્મહત્યામાં ખપી જશે તેવુ તેનુ અનુમાન હતુ.
પ્રેમી લાશ ફેકી આવ્યા બાદ હથોડી સહીતના લોહી વાળા કપડા તમામ એક થેલીમાં ઘરથી થોડે દુર રોડ સાઈડે ફેંકી આવ્યો હતો. ત્યારબાદ પપ્પુ તેની પ્રેમિકા નિધિ સાથે બે વર્ષના બાળકને લઇ બિહાર પલાયન થઇ ગયા હતા. પ્રાંતિજ પોલીસે બંને આરોપીને બિહારથી લઈ આવ્યા બાદ મૃતકના ભાઇની ફરિયાદને પગલે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાંતિજ પોલીસે હત્યાનો ભેદ ઉકેલી દઇને પ્રાંતિજ પોલીસે પતિની હત્યા કરનારા પ્રેમી અને પત્નીને ઝડપી લઈને જેલ હવાલે કર્યા છે. તો પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી સાથે ગર્ભવતી પ્રેમીકા નિધિનો ડીએનએ ટેસ્ટ પણ કરવામાં આવશે.
આરોપી
1. પપ્પુ રામસુરત ઠાકુર, રહે ઇસરોલી પટેરી રેલ્વે સ્ટેશન પાસે,તા.ઇસરોલી થાના-મન્હાવરા જી.છપરા (બિહાર) હાલ રહે સાગર વિલેજ સોસાયટી,ગઢોડા,તા.હિમતનગર.જી,સાબરકાંઠા
2. નિધિ અમરનાથસિંગ સુરેન્દ્રસીંગ કુશવાહા, રહે બાહુઆરા પોસ્ટ સેરુકાહાન મન્હાવરા જી.સારન (છાપરા), બિહાર હાલ રહે સાગર વિલેજ સોસાયટી,ગઢોડા,તા.હિમતનગર.જી,સાબરકાંઠા
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો