Maharashtra : પરમબીર સિંહ વિરુદ્ધ કેસ દાખલ કરનાર બિલ્ડરે અનિલ દેશમુખને ગણાવ્યો નિર્દોષ, કહ્યું ” સચિન વાઝે પરમબીરની સૂચના પર કામ કરતો હતો “

પરમબીર સિંહ વિરુદ્ધ કેસ દાખલ કરનાર બિલ્ડરે (Builder) તપાસ સમિતિ સમક્ષ સોગંદનામું રજુ કર્યું છે. જેમાં તેણે પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને (Anil Deshmukh) નિર્દોષ ગણાવ્યા છે.

Maharashtra : પરમબીર સિંહ વિરુદ્ધ કેસ દાખલ કરનાર બિલ્ડરે અનિલ દેશમુખને ગણાવ્યો નિર્દોષ, કહ્યું  સચિન વાઝે પરમબીરની સૂચના પર કામ કરતો હતો
Parambir Singh (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2021 | 11:34 AM

Maharashtra : 100 કરોડના વસૂલાત કેસમાં બિલ્ડર વિમલ અગ્રવાલે રાજ્ય સરકાર દ્વારા રચાયેલી તપાસ સમિતિ સમક્ષ સોગંદનામું રજૂ કર્યું છે. અગ્રવાલે સમિતિને પોતાના સોગંદનામામાં જણાવ્યું છે કે, મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે અને આ આક્ષેપો પરમબીર સિંહે (Parambir Singh) વેરની ભાવના સાથે કર્યા હોવાનો ખુલાસો કર્યો છે.

તમને જણાવી દઈએ કે, બિલ્ડર વિમલ અગ્રવાલે પહેલેથી જ પરમબીર સિંહ અને સચિન વાઝે વિરુદ્ધ વસૂલીનો કેસ દાખલ કર્યો છે, ત્યારે હાલમાં અગ્રવાલે તપાસ સમિતી સમક્ષ 26 પાનાનું સોગંદનામું રજુ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર સરકારે તત્કાલીન ગૃહ મંત્રી અનિલ દેખમુખ સામે પરમબીર સિંહ દ્વારા લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ માટે આ પંચની (SIT) રચના કરી હતી. પોતાના સોગંદનામામાં બિલ્ડરે જણાવ્યું છે કે, સચિન વાજે પરમબીર સિંહના કહેવાથી તેમની પાસેથી ખંડણી ઉઘરાવતો હતો.

અનિલ દેશમુખ વિરુધ્ધના આક્ષેપો પાયાવિહોણા – બિલ્ડર વિમલ અગ્રવાલ

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

સોગંદનામામાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, અનિલ દેશમુખ વિરુધ્ધના આક્ષેપો પાયાવિહોણા છે. કારણ કે સચિન વાઝે  માત્ર પરમબિર સિંહની સુચનાથી જ ખંડણી ઉઘરાવતો હતો.

વધુમાં વિમલ અગ્રવાલે સમિતીને જણાવ્યું છે કે, પરમબીર સિંહે મુખ્યમંત્રીને (Chief Minister) લખેલા પત્રમાં લગાવેલા તમામ આરોપોને ફગાવી દેવા અને પરમબીર સિંહ સહિત સચિન વાઝે (Sachin Waze) સામે પગલાં લેવાની અપીલ કરી છે. આપને જણાવી દઈએ કે, તપાસ પંચ સમક્ષ 30 ઓગસ્ટે સુનાવણી હાથ ધરવામાં આવશે.

એક મહિનામાં ચોથી FIR દાખલ

ગયા અઠવાડિયે બિલ્ડરની ફરિયાદના આધારે ગોરેગાંવ પોલીસે (Police Station) પરમબીર સિંહ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી. તમને જણાવવું રહ્યુ કે, પરમબીર સિંહ સામે આ ચોથો અને મુંબઈમાં બીજો કેસ નોંધવામાં આવ્યો છે. ઉપરાંત થાણેમાં અન્ય બે કેસ નોંધાયા છે. આ તમામ FIR એક મહિનાની અંદર નોંધવામાં આવી છે. આ કેસમાં સચિન સહિત અન્ય ચાર સુમિત સિંહ, વિનય સિંહ, અલ્પેશ પટેલ, રિયાઝ ભાટી વિરુધ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

અગ્રવાલની ફરિયાદ મુજબ, આરોપીએ તેને બાર અને રેસ્ટોરન્ટમાં દરોડા ન પાડવાના બદલામાં 9 લાખ રૂપિયા અને 2.92 લાખ રૂપિયાના બે સ્માર્ટફોન ખરીદવાનું કહ્યું હતુ. ઉલ્લેખનીય છે કે, આ ઘટના જાન્યુઆરી 2020 અને માર્ચ 2021 દરમિયાન બની હતી.

આ પણ વાંચો: Corona in Maharashtra : મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેરના એંધાણ ? એક દિવસમાં મૃત્યુઆંક 216 પર પહોંચતા તંત્રની વધી ચિંતા

આ પણ વાંચો: નારાયણ રાણેએ ઠાકરે સરકારને આપ્યો જવાબ, સુશાંત સિંહ રાજપૂતને યાદ કરી, દિશા સાલિયન કેસ પર પ્રશ્નો ઉઠાવ્યા

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">