AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : પરમબીર સિંહ વિરુદ્ધ કેસ દાખલ કરનાર બિલ્ડરે અનિલ દેશમુખને ગણાવ્યો નિર્દોષ, કહ્યું ” સચિન વાઝે પરમબીરની સૂચના પર કામ કરતો હતો “

પરમબીર સિંહ વિરુદ્ધ કેસ દાખલ કરનાર બિલ્ડરે (Builder) તપાસ સમિતિ સમક્ષ સોગંદનામું રજુ કર્યું છે. જેમાં તેણે પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને (Anil Deshmukh) નિર્દોષ ગણાવ્યા છે.

Maharashtra : પરમબીર સિંહ વિરુદ્ધ કેસ દાખલ કરનાર બિલ્ડરે અનિલ દેશમુખને ગણાવ્યો નિર્દોષ, કહ્યું  સચિન વાઝે પરમબીરની સૂચના પર કામ કરતો હતો
Parambir Singh (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2021 | 11:34 AM
Share

Maharashtra : 100 કરોડના વસૂલાત કેસમાં બિલ્ડર વિમલ અગ્રવાલે રાજ્ય સરકાર દ્વારા રચાયેલી તપાસ સમિતિ સમક્ષ સોગંદનામું રજૂ કર્યું છે. અગ્રવાલે સમિતિને પોતાના સોગંદનામામાં જણાવ્યું છે કે, મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે અને આ આક્ષેપો પરમબીર સિંહે (Parambir Singh) વેરની ભાવના સાથે કર્યા હોવાનો ખુલાસો કર્યો છે.

તમને જણાવી દઈએ કે, બિલ્ડર વિમલ અગ્રવાલે પહેલેથી જ પરમબીર સિંહ અને સચિન વાઝે વિરુદ્ધ વસૂલીનો કેસ દાખલ કર્યો છે, ત્યારે હાલમાં અગ્રવાલે તપાસ સમિતી સમક્ષ 26 પાનાનું સોગંદનામું રજુ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર સરકારે તત્કાલીન ગૃહ મંત્રી અનિલ દેખમુખ સામે પરમબીર સિંહ દ્વારા લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ માટે આ પંચની (SIT) રચના કરી હતી. પોતાના સોગંદનામામાં બિલ્ડરે જણાવ્યું છે કે, સચિન વાજે પરમબીર સિંહના કહેવાથી તેમની પાસેથી ખંડણી ઉઘરાવતો હતો.

અનિલ દેશમુખ વિરુધ્ધના આક્ષેપો પાયાવિહોણા – બિલ્ડર વિમલ અગ્રવાલ

સોગંદનામામાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, અનિલ દેશમુખ વિરુધ્ધના આક્ષેપો પાયાવિહોણા છે. કારણ કે સચિન વાઝે  માત્ર પરમબિર સિંહની સુચનાથી જ ખંડણી ઉઘરાવતો હતો.

વધુમાં વિમલ અગ્રવાલે સમિતીને જણાવ્યું છે કે, પરમબીર સિંહે મુખ્યમંત્રીને (Chief Minister) લખેલા પત્રમાં લગાવેલા તમામ આરોપોને ફગાવી દેવા અને પરમબીર સિંહ સહિત સચિન વાઝે (Sachin Waze) સામે પગલાં લેવાની અપીલ કરી છે. આપને જણાવી દઈએ કે, તપાસ પંચ સમક્ષ 30 ઓગસ્ટે સુનાવણી હાથ ધરવામાં આવશે.

એક મહિનામાં ચોથી FIR દાખલ

ગયા અઠવાડિયે બિલ્ડરની ફરિયાદના આધારે ગોરેગાંવ પોલીસે (Police Station) પરમબીર સિંહ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી. તમને જણાવવું રહ્યુ કે, પરમબીર સિંહ સામે આ ચોથો અને મુંબઈમાં બીજો કેસ નોંધવામાં આવ્યો છે. ઉપરાંત થાણેમાં અન્ય બે કેસ નોંધાયા છે. આ તમામ FIR એક મહિનાની અંદર નોંધવામાં આવી છે. આ કેસમાં સચિન સહિત અન્ય ચાર સુમિત સિંહ, વિનય સિંહ, અલ્પેશ પટેલ, રિયાઝ ભાટી વિરુધ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

અગ્રવાલની ફરિયાદ મુજબ, આરોપીએ તેને બાર અને રેસ્ટોરન્ટમાં દરોડા ન પાડવાના બદલામાં 9 લાખ રૂપિયા અને 2.92 લાખ રૂપિયાના બે સ્માર્ટફોન ખરીદવાનું કહ્યું હતુ. ઉલ્લેખનીય છે કે, આ ઘટના જાન્યુઆરી 2020 અને માર્ચ 2021 દરમિયાન બની હતી.

આ પણ વાંચો: Corona in Maharashtra : મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેરના એંધાણ ? એક દિવસમાં મૃત્યુઆંક 216 પર પહોંચતા તંત્રની વધી ચિંતા

આ પણ વાંચો: નારાયણ રાણેએ ઠાકરે સરકારને આપ્યો જવાબ, સુશાંત સિંહ રાજપૂતને યાદ કરી, દિશા સાલિયન કેસ પર પ્રશ્નો ઉઠાવ્યા

ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ઝઘડિયા GIDCમાં પ્લાન્ટમાં બ્લાસ્ટ, 1નું મોત
ઝઘડિયા GIDCમાં પ્લાન્ટમાં બ્લાસ્ટ, 1નું મોત
નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના, મિત્રએ જ મિત્ર પર ચલાવી ગોળી
નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના, મિત્રએ જ મિત્ર પર ચલાવી ગોળી
સંઘપ્રદેશ દાદરામાં લાગી ભીષણ આગ, 4 ફેકટરી બળીને ખાખ
સંઘપ્રદેશ દાદરામાં લાગી ભીષણ આગ, 4 ફેકટરી બળીને ખાખ
જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત
જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત
g clip-path="url(#clip0_868_265)">