વાહનચોર વિશાલ ગોસ્વામી કેવી રીતે ખતરનાક ખંડણીખોર બન્યો અને પકડાયો, જાણો વિગત

એક સામાન્ય વાહનચોર વિશાલ ગોસ્વામી ગેંગસ્ટર કેવી રીતે બન્યો તેની કથા પણ રોચક  છે. કદ કાઠીથી સામાન્ય વિશાલ ગોસ્વામીનો ચહેરો જ  તેની  ખતરનાક ગુનાહિત  છાપને છતી કરી દે છે. મૂળ મધ્યપ્રદેશનો વિશાલ ગોસ્વામી રાજસ્થાનમાં બુટ પોલિશ કરવાનું કે વેચવાનું કામ કરતો હતો તેને વાહન ચોરીથી ગુનાખોરીની દુનિયામાં પ્રવેશ કર્યો.  ચોરીના વાહનોને તે ઉત્તર ભારતના રાજ્યો […]

વાહનચોર વિશાલ ગોસ્વામી કેવી રીતે ખતરનાક ખંડણીખોર બન્યો અને પકડાયો, જાણો વિગત
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Jan 19, 2021 | 1:06 PM
એક સામાન્ય વાહનચોર વિશાલ ગોસ્વામી ગેંગસ્ટર કેવી રીતે બન્યો તેની કથા પણ રોચક  છે. કદ કાઠીથી સામાન્ય વિશાલ ગોસ્વામીનો ચહેરો જ  તેની  ખતરનાક ગુનાહિત  છાપને છતી કરી દે છે. મૂળ મધ્યપ્રદેશનો વિશાલ ગોસ્વામી રાજસ્થાનમાં બુટ પોલિશ કરવાનું કે વેચવાનું કામ કરતો હતો તેને વાહન ચોરીથી ગુનાખોરીની દુનિયામાં પ્રવેશ કર્યો.  ચોરીના વાહનોને તે ઉત્તર ભારતના રાજ્યો જેવા કે આસામ,  સિક્કિમ સુધી વેચવા જતો હતો. વાહનચોરીમાં જે જોખમ હતું તો સમય અને મહેનત હતી પણ  તેની સામે તેને વળતર ઓછું મળતું હતું.  જેથી તેને વાહનચોરીના ધંધાને છોડવાનું નક્કી કર્યું. તેને ઓછી મહેનતે વધુ નાણા કમાવવા હતા.  જેથી તેને  કેમિકલ ચોરી શરૂ કરી પણ તેમાં તેેને અપેક્ષા  મુજબ સંતોષ ના મળ્યો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કચ્છના મુન્દ્રામાં તેનો ભાઈ પ્રીતમપુરી ગોસ્વામી નોકરી માટે આવ્યો તેની પાછળ વિશાલ ગોસ્વામી પણ આવ્યો અને અહીં તેને ગુજરાતની આર્થિક સમૃદ્ધિ જોઈ. તેના એક મિત્ર એ તેને સલાહ આપી કે  ભીંડ મુરેનામાં હથિયારો મળે છે.  તું આ બધું કરે છે તેના કરતાં હથિયારથી ડરાવી લૂંટ કરી રૂપિયા કમાઇને ઠાઠથી રહે. વિશાલ ગોસ્વામી યુપી,એમપી રાજસ્થાનની સરહદો પર આવેલા અલવર, ભરતપુર,આગ્રા, ગ્વાલીયર આ બધા વિસ્તારોમાં હથિયાર સાથે ચોરી લૂંટ સહિતની ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપતો હતો.  ત્યાર બાદ તેને ગુજરાતમાં વર્ષ 2011થી લૂંટ હત્યાના બનાવોને અંજામ આપવાની શરૂઆત કરી.  અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વર્ષ 2015માં વિશાલ ગોસ્વામી અને તેની ગેંગને ઝડપી પાડી તેની હિંમત તોડી નાંખી પરંતુ જેલમાં ગયા પછી ફરી એક વાર સક્રિય થયો અને જેલમાંથી જ ખંડણી નું નેટવર્ક વિસ્તાર્યું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વિશાલ અનેં તેના બે સાગરીતોની કસ્ટડી મેળવ્યા બાદ હવે એ દિશામાં તપાસ શરૂ કરી છે કે જેલમાં રહીને કેટલાં સોની કે બિલ્ડરોને ટાર્ગેટ કર્યા.  આગામી દિવસો કોણ કોણ તેના નિશાને હતું. વિશાલ ગોસ્વામીના ખૌફથી ભયભીત કેટલાંક સોનીઓએ લાખો કે કરોડો રૂપિયાની ખંડણીની રકમ ચૂકવી હોવા છતાં ભોગ બનનારાઓ ફરિયાદ નોંધાવવાથી દુર ભાગી રહ્યા છે. પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ વિશાલ ગોસ્વામીના ત્રાસનો ભોગ બનેલા લોકોને સામે આવવા અપીલ કરી રહી છે. સાથે જ આવા લોકોના નામ ગુપ્ત રાખવાની તથા સુરક્ષાની ખાતરી પણ ક્રાઇમ બ્રાન્ચ આપી રહી છે. જો આવા ખંડણી ચૂકવનારા લોકો સામે આવશે તો આગામી દિવસોમાં સંખ્યાબંધ ગુના વિશાલ અને તેની ગેંગ વિરુદ્ધ નોંધાઈ શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સ્પેશિયલ કમિશનર અજય તોમરે વિશાલની ધમકીઓનો ભોગ બનેલા કે તેને શરણે થઈ ખંડણી ચૂકવી ચૂકેલા લોકો નિર્ભિક બની ફરિયાદ નોંધાવવા સામે આવે તેવી અપીલ કરતા જણાવ્યું કે આવા તમામ લોકો નામ ગુપ્ત રાખવામાં આવશે અને જરૂર પડશે તો સુરક્ષા પણ પુરી પાડવામાં આવશે.

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">