AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાગૃતિ ફેલાવવા અનોખી પહેલ : આ શહેરમાં કોવિડના નિયમો સમજાવવા રસ્તા પર ઉતર્યા ખુદ ‘યમરાજ’​​

જયપુર હેરિટેજ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં, 'યમરાજ' ​​પોતે લોકોમાં કોવિડ માટે જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યા છે. ઉપરાંત અહીં શેરી નાટકો દ્વારા લોકોમાં જાગૃતિ લાવવામાં આવી રહી છે.

જાગૃતિ ફેલાવવા અનોખી પહેલ : આ શહેરમાં  કોવિડના નિયમો સમજાવવા રસ્તા પર ઉતર્યા ખુદ 'યમરાજ'​​
yamraj spreads awareness on covid-19 in jaipur
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2022 | 6:00 PM
Share

Rajasthan : સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર બાદ ફરી એક વાર કોરોનાની (Corona Case) દહેશત જોવા મળી રહી છે.ત્યારે રાજસ્થાનમાં (Corona Case in Rajasthan) પણ કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે સરકાર દ્વારા પણ શક્ય તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.ત્રીજી લહેરના જોખમ વચ્ચે રાજસ્થાનના જયપુર શહેરમાં(Jaipur City)  અનોખી રીતે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. ‘યમરાજ’ ​​પોતે જયપુર હેરિટેજ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યા છે. જી હા, તમને જાણીને આશ્વર્ય થશે,પરંતુ આ શહેરમાં લોકોને જાગૃત કરવા આ પહેલ કરવામાં આવી છે.

શેરી નાટક દ્નારા ગ્રામીણ વિસ્તારના લોકોને જાગૃત કરવાનો પ્રયાસ

આ સિવાય શેરી નાટક દ્નારા રાજસ્થાનના ગ્રામીણ વિસ્તારના લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. નાટક દ્વારા લોકોને કોવિડની માર્ગદર્શિકાનું (Covid Guidelines) પાલન કરવા અને માસ્ક, સામાજિક અંતર જાળવવા માટે સમજાવવામાં આવે છે.રાજધાની જયપુરના મ્યુનિસિપલ હેરિટેજ કોમ્પ્લેક્સના ચોટી ચોપર, હવા મહેલ, ઘાટ ગેટ વિસ્તારોમાં કલાકારોએ જનતાની સામે પ્રદર્શન કરીને કહ્યુ હતુ કે, કોરોના લોકોને ગંભીર રીતે બીમાર કરે છે જેના કારણે લોકોને ડોક્ટર પાસે જવું પડે છે અને જો તે સમયસર ડૉક્ટર પાસે ન પહોંચે તો પછી યમરાજ તેને લેવા આવે છે. આ સાથે કલાકારોએ સંદેશ આપ્યો કે લોકોએ સામાજિક અંતરની સાથે માસ્ક પહેરીને બહાર નીકળવુ જોઈએ અને વારંવાર સાબુથી હાથ ધોવા જોઈએ.

રાજસ્થાનમાં કોરોનાનો કહેર યથાવત

બીજી તરફ રાજસ્થાનમાં કોરોનાની સ્થિતિ પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના (Corona) 6366 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે જયપુરમાં 2166 નવા કેસ મળી આવ્યા છે. આ સાથે મંગળવારે રાજ્યમા 4 લોકોના કોરોનાને કારણે મૃત્યુ પણ થયા હતા. જેમાં જયપુર, નાગૌર, અજમેર અને અલવરમાં એક-એક કોરોના સંક્રમિત દર્દીનો સમાવેશ થાય છે.

રાજ્ય સરકારના ડેટાની વાત કરીએ તો મંગળવારે રાજ્યમાં રેકોર્ડ 73,417 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં 6366 સંક્રમિત દર્દીઓ મળી આવ્યા હતા. આ સાથે હાલ રાજ્યમાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 30,597 પર પહોંચી ગઈ છે.

આ પણ વાંચો : coronavirus in Delhi: દિલ્હીમાં કોરોનાના કેસમાં ફરી વધારો, 24 કલાકમાં 21,259 નવા કેસ આવ્યા, 23 દર્દીઓના મોત

Follow Us
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
g clip-path="url(#clip0_868_265)">