CORONA : “ધરતી પરના ભગવાન”ની સંખ્યા ઘટી રહી છે, 420 તબીબોના મોતનો IMAએ કર્યો ખુલાસો
CORONA : ભારતમાં કોરોનાની બીજી લહેર કેટલી ખતરનાક છે, તેનો તમે અંદાજ લગાવી શકો છો કે દેશમાં અત્યાર સુધીમાં 400 થી વધુ ડોકટરોના કોરોનાના કારણે મોત થયા છે.
CORONA : ભારતમાં કોરોનાની બીજી લહેર કેટલી ખતરનાક છે, તેનો તમે અંદાજ લગાવી શકો છો કે દેશમાં અત્યાર સુધીમાં 400 થી વધુ ડોકટરોના કોરોનાના કારણે મોત થયા છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ડોકટરોના મોત થયા છે.
420 doctors died due to Covid during 2nd wave: IMA#IndiaFightsCorona #COVID19 #coronavirus #TV9News pic.twitter.com/qCWXbbA5p4
— tv9gujarati (@tv9gujarati) May 22, 2021
પ્રસિદ્ધ ન્યૂઝ એજન્સી એએનઆઈએ આઈએમએને ટાંકીને એક ડેટા જાહેર કર્યો છે. કોરોના રોગચાળા દ્વારા અત્યાર સુધીમાં 420 ડોકટરોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેમાં સૌથી વધારે દિલ્હીમાં 100 ડોકટરો કોરોનાના ચેપથી મરી ગયા છે.
420 doctors including 100 in Delhi have lost their lives due to COVID19 in the second wave of the infection: Indian Medical Association (IMA)
— ANI (@ANI) May 22, 2021
દેશમાં સતત ચાલુ રહેલી આરોગ્ય વ્યવસ્થા અને ડોકટરોની અછત વચ્ચે આ આંકડા સરકારને ચોક્કસપણે અસ્વસ્થ કરી શકે છે. ભૂતકાળમાં બહાર પાડવામાં આવેલા આંકડામાં, બિહાર રાજયમાં સૌથી વધારે ડોકટરોના મોત થયા હતા. તમને જણાવી દઇએ કે બિહાર રાજય પહેલેથી જ નબળા આરોગ્ય માળખા અને ડૉક્ટરો અને આરોગ્ય કર્મચારીઓની અછત જેવા સંકટનો સામનો કરી રહ્યું છે.
તાજેતરમાં જ બિહારના ખરાબ સ્વાસ્થ્ય સામે અવાજ ઉઠાવવા માટે ટ્વિટર પર એક અભિયાન શરૂ કરાયું હતું. આ સમય દરમિયાન, દરભંગા સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ડીએમસીએચ દ્વારા શેર કરેલી તસવીર રાજ્યની આરોગ્ય પ્રણાલીની પોલ ખોલવા માટે પૂરતી હતી.
#WATCH | Bihar: Darbhanga Medical College & Hospital premises waterlogged & polluted; Administration undertake development work
"Didn't set up COVID ward in old building due to construction & technical issues. 140-bed COVID wing is functional in new building,"says DDC, Darbhanga pic.twitter.com/2wPAuRXpvY
— ANI (@ANI) May 22, 2021
હાલ દેશમાં કોરોનાની સામેની લડાઇમાં તબીબોની ભૂમિકા સૌથી મોટી છે. એવામાં તબીબોના મોત થવા દેશ માટે સૌથી મોટું સંકટ ઉભું કરી શકે છે. ત્યારે “ધરતી પરના ભગવાન” કહેવાતા તબીબોના મોત ચિંતાનું કારણ બન્યું છે.