Corona: દક્ષિણ કોરિયાએ RT-PCR ટેસ્ટ ફરજીયાત કર્યો તો ભડક્યું ચીન, કોરિયન લોકોને નહીં આપે વિઝા

ચીને એવા દેશો સામે બદલો લેવાની ધમકી આપી છે કે જેમણે ચીની પ્રવાસીઓ માટે છેલ્લા 48 કલાકમાં કોવિડ-19 ટેસ્ટના નેગેટિવ રિપોર્ટ બતાવવાનું જરૂરી કર્યું છે.

Corona: દક્ષિણ કોરિયાએ RT-PCR ટેસ્ટ ફરજીયાત કર્યો તો ભડક્યું ચીન, કોરિયન લોકોને નહીં આપે વિઝા
Image Credit source: Tv9 ભારતવર્ષ
Follow Us:
krushnapalsinh chudasama
| Edited By: | Updated on: Jan 10, 2023 | 3:46 PM

કોરોના વાયરસને લઈને ચીને દક્ષિણ કોરિયા પર જવાબી કાર્યવાહી કરી છે. ડ્રેગને દક્ષિણ કોરિયામાં ચીનના પ્રવાસીઓ માટે ફરજિયાત કોરોના ટેસ્ટનો વિરોધ કર્યો છે અને હવે પ્રવાસન અથવા વ્યવસાયના સંબંધમાં દેશમાં આવતા દક્ષિણ કોરિયના લોકો માટે વિઝા બંધ કરી દીધા છે. એટલે કે હવે ચીન દક્ષિણ કોરિયાના લોકોને વિઝા નહીં આપે. સિઓલમાં ચીની દૂતાવાસે ઓનલાઈન પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, જ્યાં સુધી દક્ષિણ કોરિયા ચીનના લોકોના પ્રવેશ અંગે ભેદભાવપૂર્ણ પગલાને હટાવશે નહીં ત્યાં સુધી પ્રતિબંધ ચાલુ રહેશે. આ સંદર્ભે અન્ય કોઈ વિગતો આપવામાં આવી નથી.

ચીને અન્ય દેશોને પણ જવાબી કાર્યવાહીની આપી ધમકી

ચીને તે દેશો સામે જવાબી કાર્યવાહી કરવાની ધમકી આપી છે, જેણે ચીનના પ્રવાસીઓ માટે છેલ્લા 48 કલાકમાં કોરોના ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ બતાવવો જરૂરી બનાવી દીધો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ ચીન પર રોગચાળા દરમિયાન આંકડા છુપાવવાનો આરોપ લગાવ્યો છે. ચીનમાં પ્રતિબંધો હટાવ્યા બાદ કોવિડના કેસોમાં ઝડપથી વધારો થવાની માહિતી છે.

દક્ષિણ કોરિયાએ RT-PCR ટેસ્ટ કર્યો ફરજિયાત

2 જાન્યુઆરીએ દક્ષિણ કોરિયાએ ચીનથી આવતા તમામ લોકો માટે દેશમાં પ્રવેશતા પહેલા RT-PCR ટેસ્ટ કરાવવો ફરજિયાત કર્યો છે. જેઓ સંક્રમિત જોવા મળે છે તેમને એક અઠવાડિયા માટે અલગ રાખવામાં આવે છે. એટલું જ નહીં, દક્ષિણ કોરિયાએ હોંગકોંગ અને મકાઉના મુસાફરો માટે તેમની ફ્લાઈટમાં સવાર થતાં પહેલાં પીસીઆર અથવા એન્ટિજેન ટેસ્ટ કરાવવું ફરજિયાત કર્યું છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

40 દિવસ સુધી દેશમાં ઓછામાં ઓછા બે અબજ લોકો મુસાફરી કરે તેવી અપેક્ષા

ચીનના (china) પરિવહન મંત્રાલયે જણાવ્યું છે કે આગામી 40 દિવસ સુધી દેશમાં ઓછામાં ઓછા બે અબજ લોકો મુસાફરી કરે તેવી અપેક્ષા છે. આ દરમિયાન તેઓ કોવિડ પ્રતિબંધ વિના મુસાફરી કરી શકશે. ચીનમાં કોરોના વાયરસ સતત તબાહી મચાવી રહ્યો છે અને દેશની આરોગ્ય વ્યવસ્થા પહેલાથી જ ખુલ્લી પડી ગઈ છે. શૂન્ય કોવિડ પોલિસી હટાવ્યા પછી, કોરોના ચીનમાં પાછો ફર્યો અને કરોડો લોકો તેનાથી સંક્રમિત થવાની આશંકા છે. દરમિયાન, ચીનના પરિવહન મંત્રાલયે જણાવ્યું છે કે આગામી 40 દિવસ સુધી દેશમાં ઓછામાં ઓછા બે અબજ લોકો મુસાફરી કરે તેવી અપેક્ષા છે. આ દરમિયાન તેઓ કોવિડ પ્રતિબંધ વિના મુસાફરી કરી શકશે. નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે કે આનાથી ચીનમાં કોરોનાનો પ્રકોપ વધશે.

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">