AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7th Pay Commission : 16 માર્ચે સરકાર DA નો નિર્ણય લેશે, જાણો સરકારી કર્મચારીઓને કેટલો થશે લાભ?

એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર 18 મહિનાના DA ના વન ટાઈમ સેટલમેન્ટની તૈયારી કરી રહી છે. સરકારે હાલ જાન્યુઆરી 2020 થી જૂન 2021 સુધીના એરિયર્સ ચૂકવવાના નિર્ણયને અટકાવી રાખ્યો છે.

7th Pay Commission : 16 માર્ચે સરકાર DA નો નિર્ણય લેશે, જાણો સરકારી કર્મચારીઓને કેટલો થશે લાભ?
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2022 | 8:56 AM
Share

7th Pay Commission : કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં તેના કર્મચારીઓને હોળીની ભેટ આપી શકે છે. આ અઠવાડિયે પગારમાં મોંઘવારી ભથ્થું (DA) વધારવા ઉપરાંત 18 મહિનાથી અટવાયેલા જૂના DAનું પણ સમાધાન થઈ શકે છે. મામલા સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે સરકાર 16 માર્ચે નિર્ણય લઈ શકે છે. સૂત્રોનું કહેવું છે કે આ વખતે DA માં 3 ટકાનો વધારો કરવામાં આવશે જે 31 ટકાથી વધીને 34 ટકા થશે. જો આમ થશે તો કર્મચારીઓના પગારમાં તેમના બેઝિક પગાર પ્રમાણે મોટો વધારો થશે. આ સિવાય સરકાર 16 માર્ચે પેન્ડિંગ DA પર પણ નિર્ણય લઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર 18 મહિનાના DA ના વન ટાઈમ સેટલમેન્ટની તૈયારી કરી રહી છે. સરકારે હાલ જાન્યુઆરી 2020 થી જૂન 2021 સુધીના એરિયર્સ ચૂકવવાના નિર્ણયને અટકાવી રાખ્યો છે.

ચૂંટણીના કારણે વિલંબ

મોંઘવારી ભથ્થામાં વધારો અને પેન્ડિંગ DA પર નિર્ણય લેવામાં વિલંબ યુપી સહિત પાંચ રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીને કારણે થયો છે. કર્મચારીઓ 18 મહિનાના અટકેલા ડીએને બહાલ કરવાની માંગ કરી રહ્યા છે. આ અંગે નિર્ણય 16 માર્ચે લેવાનો છે અને તે પહેલા કેબિનેટ સચિવ સાથે વાતચીત થશે. જો સરકાર મોંઘવારી ભથ્થું વધારશે તો લગભગ 48 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનધારકોને ફાયદો થશે.

અત્યારે તમને 31% ના દરે DA મળે છે

હાલમાં સરકારી કર્મચારીઓને 31 ટકા ડીએ મળે છે. 3 ટકાના વધારાથી સરકારી કર્મચારીઓના પગારમાં મહત્તમ રૂ. 20,000 અને લઘુત્તમ રૂ. 6,480નો વધારો થશે. AICPI (All India Consumer Price Index for Industrial Workers) ના ડેટા અનુસાર ડીએ ડિસેમ્બર 2021 સુધીમાં 34.04% સુધી પહોંચી ગયું છે. જો કોઈ કર્મચારીનો મૂળ પગાર રૂ. 18,000 દર મહિને છે તો નવું DA (34%) રૂ. 6,120 દર મહિને મળશે જે હાલમાં ડીએ રૂ. 31% પર 5,580 છે.

DA  ક્યારે શરૂ થયું?

કર્મચારીઓના જીવનધોરણને સુધારવા માટે ડીએ આપવામાં આવે છે. ડીએ દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈમાં બદલાય છે. સૌપ્રથમ ડીએ 1972 માં મુંબઈમાં શરૂ કરવામાં આવ્યું હતું. આ પછી કેન્દ્ર સરકારે તમામ સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપવાનું શરૂ કર્યું. ગયા વર્ષે જુલાઈ અને ઓક્ટોબરમાં કેન્દ્રીય કર્મચારીઓનો ડીએ બમણો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Commodity prices : કોમોડિટીમાં ભયંકર તેજી, સિક્કા બનાવવાની કિંમત ફેસ વેલ્યુ કરતાં વધી

આ પણ વાંચો : મહાનદી કોલફિલ્ડ્સ દેશની સૌથી મોટી કોલસા ઉત્પાદક કંપની બની, કોલસાના સંકટને પહોંચી વળવા કરશે મદદ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">