હવે સરળતાથી બંધ થઈ શક્શે ક્રેડિટ કાર્ડ, 1 જુલાઈથી લાગુ થઈ રહ્યો છે આ નવો નિયમ

|

Apr 24, 2022 | 6:42 AM

બેંકે ગ્રાહક તરફથી ક્રેડિટ કાર્ડ ( credit card ) બંધ કરવાની રીક્વેસ્ટ પ્રક્રિયા 7 દિવસની અંદર પૂર્ણ કરવાની રહેશે. આમ કરવામાં નિષ્ફળતા પર કાર્ડ જાહેર કરનાર બેંક સામે પ્રતિ દિવસ 500 રૂપિયાનો દંડ થશે. ક્રેડિટ કાર્ડ બંધ ન થાય ત્યાં સુધી આ દંડ વસૂલવાનું ચાલુ રહેશે.

હવે સરળતાથી બંધ થઈ શક્શે ક્રેડિટ કાર્ડ, 1 જુલાઈથી લાગુ થઈ રહ્યો છે આ નવો નિયમ
Credit Card (Symbolic Image)

Follow us on

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ક્રેડિટ અને ડેબિટ કાર્ડને લઈને કેટલાક નવા નિયમો જાહેર કર્યા છે. આ નિયમો ગ્રાહકોને નવા કાર્ડ આપવા સંબંધિત છે. આ વર્તમાન નિયમોમાં કેટલાક ફેરફારો પણ કરવામાં આવ્યા છે. રિઝર્વ બેંકે ક્રેડિટ કાર્ડ બંધ કરવા અંગે કેટલાક નવા નિયમો પણ બનાવ્યા છે. ગ્રાહકોને હવે પહેલા કરતાં ક્રેડિટ કાર્ડ બંધ (Credit Card Closure) કરવાના વધુ અનુકૂળ અધિકારો મળી રહ્યા છે. જો ગ્રાહક બેંકને ક્રેડિટ કાર્ડ (Credit Card) બંધ કરવા અથવા રદ કરવા કહેશે, તો તેના પર તરત જ કાર્યવાહી કરવામાં આવશે. બેંકો કાર્ડ બંધ કરશે અને ઈમેલ, એસએમએસ દ્વારા માહિતી આપશે.

રિઝર્વ બેંકે પોતાના નવા નિયમમાં જણાવ્યું છે કે ક્રેડિટ કાર્ડ બંધ કરવા માટે ગ્રાહકને ઘણી ચેનલો આપવામાં આવશે. જેમ કે બેંકનો હેલ્પલાઈન નંબર, સમર્પિત ઈમેલ આઈડી, આઈવીઆર, વેબસાઈટ પરની તેની લિંક, ઈન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ એપ વગેરે. આ તમામ માધ્યમથી ક્રેડિટ કાર્ડ બંધ કરી શકાય છે.

500 રૂપિયાનો દંડ

બેંકે ગ્રાહક તરફથી ક્રેડિટ કાર્ડ બંધ કરવાની વિનંતીની પ્રક્રિયા 7 દિવસની અંદર પૂર્ણ કરવાની રહેશે. આમ કરવામાં નિષ્ફળતા પર કાર્ડ જાહેર કરનાર બેંક સામે પ્રતિ દિવસ 500 રૂપિયાનો દંડ થશે. ક્રેડિટ કાર્ડ બંધ ન થાય ત્યાં સુધી આ દંડ વસૂલવાનું ચાલુ રહેશે. જો કે, જે ગ્રાહકે તેનું ક્રેડિટ કાર્ડ બંધ કરવાનું કહ્યું છે તેના ખાતામાં કોઈ બાકી રકમ હોવી જોઈએ નહીં. આ અહેવાલ ‘ઈકોનોમિક ટાઈમ્સ’ દ્વારા ઓનલાઈન પ્રકાશિત કરવામાં આવ્યો છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

આરબીઆઈના નિર્દેશમાં જણાવાયું છે કે બેંકો ગ્રાહકને ક્રેડિટ કાર્ડ બંધ કરવા માટે પોસ્ટ દ્વારા ક્લોઝર રિક્વેસ્ટ મોકલવાનું કહી શકે નહીં. જો આમ કહેવામાં આવશે તો તેને વિનંતીમાં વિલંબનું કારણ ગણવામાં આવશે અને બેંકને દંડ કરવામાં આવશે. આ નિયમ NBFC માટે બેંકોની જેમ જ લાગુ પડે છે. જો ગ્રાહક કોઈપણ ઈલેક્ટ્રોનિક માધ્યમથી અથવા તો IVR દ્વારા કાર્ડ બંધ કરવાની વિનંતી આપે તો બેંકોએ કાર્ડ બંધ કરવાની પ્રક્રિયા 7 દિવસની અંદર પૂર્ણ કરવાની રહેશે.

બેંકો પોતે પણ કાર્ડ બંધ કરી શકે છે

જો એક વર્ષ સુધી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ન થાય તો બેંકો ગ્રાહકને ઈમેલ, મેસેજ દ્વારા તેની જાણ કરશે અને તેને બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરશે. જો કાર્ડધારક 30 દિવસની અંદર જવાબ નહીં આપે, તો બેંક આપમેળે ક્રેડિટ કાર્ડ રદ કરી દેશે. આ પછી, ક્રેડિટ માહિતી કંપનીને કાર્ડ રદ કરવાની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. જો ખાતાધારકના ક્રેડિટ કાર્ડમાં કોઈ રકમ બાકી બચી છે, તો તે તે જ બેંકના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

આ પણ વાંચો : ડ્રાઇવર પાસે માન્ય લાઇસન્સ ન હોય તો પણ વીમા કંપની વળતર ચૂકવવા માટે જવાબદાર: મદ્રાસ હાઇકોર્ટ

Next Article