Opening Bell : વૈશ્વિક બજારના નબળા કારોબારની ભારતીય શેરબજાર ઉપર અસર દેખાઈ , Sensex 57,488 ઉપર ખુલ્યો

ગુરુવારના કારોબારમાં સેન્સેક્સ 105 પોઈન્ટ ઘટીને 57,892 પર અને નિફ્ટી 17 પોઈન્ટ ઘટીને 17,304 પર બંધ થયા હતા. નાના શેરોમાં વધુ વેચવાલી જોવા મળી હતી

Opening Bell : વૈશ્વિક બજારના નબળા કારોબારની ભારતીય શેરબજાર ઉપર અસર દેખાઈ , Sensex 57,488 ઉપર ખુલ્યો
આજે શેરબજારમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 9:22 AM

Share Market: યુક્રેન અને રશિયા વચ્ચે તણાવની સ્થિતિ શાંત થવાનું નામ ન લેતા વિશ્વભરના બજારમાં ચિંતાનો માહોલ છે. આ યુદ્ધ ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત પણ બની શકે તેવો ભય છે. આ વચ્ચે નબળા વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજાર(stock market of india) પણ મોટા ઘટાડા સાથે ખુલ્યા(Opening Bell) હતા. સેન્સેક્સ(sensex)  105 પોઈન્ટ ઘટીને 57,892 પર બંધ થયો હતો જે આજે  57,488.39 ઉપર ખુલ્યો હતો. નિફટી(nifty)ની વાત કરીએતો નિફ્ટી 17 પોઈન્ટ ઘટીને 17,304 પર બંધ થયા હતા જે આજે 17,236.05 ઉપર ખુલ્યો હતો.

શેરબજારની છેલ્લી સ્થિતિ (9.21 AM)

SENSEX  57,740.69 −151.32 (0.26%)
NIFTY  17,236.05 −68.55 (0.40%)

વૈશ્વિક સંકેત નબળા

યુક્રેન અને રશિયા વચ્ચે વધતા તણાવની યુએસ બજારો પર ગંભીર અસર પડી છે. ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં યુએસ બજારોમાં મોટો ઘટાડો થયો હતો. ડાઉ જોન્સ 600 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. ડાઉ જોન્સ લગભગ 2 ટકા ઘટીને 34,312.03 પર બંધ રહ્યો હતો. નાસ્ડેક ઈન્ડેક્સમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી અને 400થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. ઇન્ડેક્સ લગભગ 3 ટકા ઘટીને 13,716.72 પર બંધ થયો હતો. એશિયન બજારોની વાત કરીએ તો વૈશ્વિક બજારોમાં ઘટાડાનાં સંકેતો વચ્ચે SGX નિફ્ટીએ પણ લાલ નિશાન સાથે શરૂઆત કરી છે. ઈન્ડેક્સ લગભગ 70 પોઈન્ટના ઘટાડા સાથે 17200 ના સ્તર પર ખુલ્યો છે.

આજે બજારમાં આ બાબતો મહત્વની ભૂમિકા ભજવશે

  • રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ વધી રહ્યો છે
  • ડાઉમાં વર્ષનો સૌથી મોટો ઘટાડો
  • 8 મહિના પછી સોનું 1900 ડોલર થી મોંઘુ થયું
  • ગ્રીન હાઇડ્રોજન પોલિસીની જાહેરાત

FII અને DII ડેટા

17 ફેબ્રુઆરીના ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 1242.10 કરોડનું વેચાણ કર્યું હતું તો બીજી તરફ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 901 કરોડની ખરીદી કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

આ આંકડા પણ બજારને અસર કરે છે

  • યુરોપિયન બજારોમાં 1% સુધીનો ઘટાડો નોંધાયો
  • વધઘટ વચ્ચે કાચા તેલ ચોક્કસ દાયરામાં રહ્યો
  • 8 મહિના પછી સોનું 1900 ડૉલરને પાર પહોંચ્યું

ગુરુવારે બજાર ઘટાડા સાથે બંધ થયું

શેરબજારમાં ગુરુવારે સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. જોકે ઘટાડો મર્યાદિત રહ્યો હતો. બજારની મંદી વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) અને HDFC જેવા સ્ટોક્સમાં ખરીદી જોવા મળી હતી. ગુરુવારના કારોબારમાં સેન્સેક્સ  105 પોઈન્ટ ઘટીને 57,892 પર અને નિફ્ટી 17 પોઈન્ટ ઘટીને 17,304 પર બંધ થયા હતા. નાના શેરોમાં વધુ વેચવાલી જોવા મળી હતી જ્યારે સરકારી બેંકો સેક્ટરમાં સૌથી વધુ લુઝર હતી. બીજી તરફ એનર્જી સેક્ટરમાં વધારો જોવા મળ્યો છે. બુધવારે પણ કારોબાર સુસ્ત રહ્યો હતો.

આ પણ વાંચો : Zomato અને Paytmની ચિંતાજનક સ્થિતિ બાદ નવા સ્ટાર્ટઅપ્સને IPO લાવવાનો ડર, mcap હજારો કરોડ રૂપિયા ઘટ્યું

આ પણ વાંચો : Sunny Leone સાથે થઇ છેતરપિંડી, સનીના PAN ની મદદથી 2000 રૂપિયાની લોન લેવાતા નારાજ અભિનેત્રીએ જાણો શું કહ્યું

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">