PAN Card ને જલ્દીથી Aadhar Card સાથે લિંક કરો, નહીં તો થઇ શકે છે ભારે દંડ

Income Tax Department : જો તમે હજુ સુધી તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો તેને ઝડપથી લિંક કરાવો. અન્યથા તમારું PAN કાર્ડ નિષ્ક્રિય થઈ જશે.

PAN Card ને જલ્દીથી Aadhar Card સાથે લિંક કરો, નહીં તો થઇ શકે છે ભારે દંડ
Aadhar PAN LinkingImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2022 | 12:45 PM

Pan Card Link Aadhar Card : જો તમે પાન કાર્ડનો ઉપયોગ કરો છો, તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે હજુ સુધી તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો તેને ઝડપથી લિંક કરાવો. અન્યથા તમારું PAN કાર્ડ નિષ્ક્રિય થઈ જશે અને પછી તમારે ભારે દંડ ભરવો પડી શકે છે. જો તમે 31 માર્ચ, 2023 સુધીમાં તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરો, તો તમારું પાન કાર્ડ આવકવેરા વિભાગ દ્વારા નિષ્ક્રિય કરવામાં આવશે. આ સાથે તે તમારા પર 1000 રૂપિયા સુધીનો દંડ પણ લગાવી શકે છે. જેના કારણે તમારે આ માટે નાણા પણ ખર્ચવા પડી શકે છે.

આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે 31 માર્ચ, 2022 સુધીમાં, પાન કાર્ડ ધારકોને દસ્તાવેજને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં નિષ્ફળતા માટે 1000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. જો કે આવા કાર્ડધારકોને માર્ચ 2023 સુધી પાન કાર્ડનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવશે, પરંતુ માર્ચ 2023 પછી તેને નિષ્ક્રિય કરી દેવામાં આવશે. એટલા માટે તમે 1000 રૂપિયાનો દંડ ભરીને આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરી શકો છો.

તમને જણાવી દઈએ કે આવકવેરા વિભાગે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સમયમર્યાદા ઘણી વખત વધારી છે. મહત્વપૂર્ણ દસ્તાવેજો લિંક કરવાની વર્તમાન છેલ્લી તારીખ 31મી માર્ચ 2022 હતી. સીબીડીટીએ જણાવ્યું છે કે જે વ્યક્તિઓને 1 જુલાઈ, 2017ના રોજ પાન કાર્ડ ફાળવવામાં આવ્યું છે અને તેઓ આધાર નંબર મેળવવા માટે પાત્ર છે, તેઓએ તેમના આધારની જાણ 31 માર્ચ, 2023ના રોજ અથવા તે પહેલાં નિયત સત્તાધિકારીને કરવાની રહેશે.

આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ

પાન કાર્ડ નિષ્ક્રિય રહેશે

સીબીડીટીએ કહ્યું કે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં નિષ્ફળતા તેને નિષ્ક્રિય બનાવી દેશે અને પાન માટે જરૂરી તમામ પ્રક્રિયાઓ બંધ થઈ જશે. વિભાગે જણાવ્યું હતું કે નિર્ધારિત ફીની ચુકવણી કર્યા પછી નિર્ધારિત સત્તાધિકારીને આધારની જાણ કર્યા પછી PAN ફરીથી સક્રિય કરી શકાય છે. જો કે, સીડીબીટીએ કહ્યું કે જેમણે 31 માર્ચ, 2023 સુધી તેમના PAN ને આધાર સાથે લિંક કર્યું નથી, તેમના PAN કાયદા હેઠળની પ્રક્રિયાઓ માટે કાર્યરત રહેશે, જેમ કે આવકવેરા રિટર્ન ભરવા, રિફંડની પ્રક્રિયા વગેરે.

પાન કાર્ડને આધાર સાથે કેવી રીતે લિંક કરવું

પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે, સૌપ્રથમ ઈન્કમ ટેક્સની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે અને પછી આધાર કાર્ડમાં આપેલ નામ, પાન નંબર અને આધાર નંબર દાખલ કરવો પડશે. આ પછી, આધાર કાર્ડમાં આપેલા જન્મના વર્ષ પર ટિક કરો. કેપ્ચા કોડ દાખલ કરો અને પછી લિંક આધાર બટન પર ક્લિક કરો. આ પછી તમારો PAN નંબર આધાર સાથે લિંક થઈ જશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">