AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surendranagar : માવઠાએ ખેડૂતોને કર્યા પાયમાલ ! અંદાજિત 1 લાખ હેક્ટર જમીન પર જીરુનો પાક બગડ્યો, જુઓ Video

Surendranagar : માવઠાએ ખેડૂતોને કર્યા પાયમાલ ! અંદાજિત 1 લાખ હેક્ટર જમીન પર જીરુનો પાક બગડ્યો, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2025 | 2:39 PM
Share

ગુજરાતના હવામાનમાં પલટો આવતા ખેડૂતોને પડ્યા પર પાટું માર્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ભર શિયાળે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્તા ખેતરોમાં પાણી ભરાયા હતા જેના પગલે પાક બગડ્યો છે. સુરેન્દ્રનગરના ખેડૂતોની પણ કંઈક આવી જ સ્થિતિ છે. જાણો શું છે સમગ્ર ઘટના

ગુજરાતના હવામાનમાં પલટો આવતા ખેડૂતોને પડ્યા પર પાટું માર્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ભર શિયાળે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્તા ખેતરોમાં પાણી ભરાયા હતા જેના પગલે પાક બગડ્યો છે. સુરેન્દ્રનગરના ખેડૂતોની પણ કંઈક આવી જ સ્થિતિ છે.

ખેડૂતોએ સરકાર પાસે સહાયની કરી માગ

સુરેન્દ્રનગરમાં આશરે 1 લાખ હેક્ટર જમીનમાં ઉગાડવામાં આવેલો જીરુનો પાક બગડ્યો છે. જીરુનું વાવેતર બળી જતા ખેડૂતો પાયમાલ થયા છે. પ્રતિમણ 18 હજારના ભાવે બિયારણ ખરીદી કરીને વાવેતર કરવામાં આવ્યું હતુ. માવઠું થતા પાક બગડ્યો હોવાથી ખેડૂતોએ સરકાર પાસે સહાયની માગ કરી છે.

મીઠાના રણમાં ફરી વળ્યું કેનાલનું પાણી

બીજી તરફ સુરેન્દ્રનગરના મીઠાના રણમાં નર્મદા કેનાલનું પાણી ફરી વળતા નુકસાન થયું છે. જેને લઇ અગરિયાઓએ સહાય માટે સરકાર પાસે માગ કરી છે. નર્મદા વિભાગની બેદરકારીના કારણે મીઠાના રણમાં કેનાલનું પાણી ભરાઇ ગયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. લગભગ 45 કિલોમીટરના વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. અગરિયાઓને અંદાજિત 2 કરોડથી વધુનું નુકસાન થયું હોવાના અહેવાલ છે.

g clip-path="url(#clip0_868_265)">