IRDAIએ LICના આઈપીઓને આપી મંજૂરી, જલ્દી જ SEBIની પાસે જમા થશે ડ્રાફ્ટ પેપર

LIC 11 ફેબ્રુઆરીએ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દાખલ કરે તેવી અપેક્ષા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ડિસઈન્વેસ્ટમેન્ટની માત્રા અને એમ્બેડેડ મૂલ્યનો ઉલ્લેખ DRHPમાં કરવામાં આવશે.

IRDAIએ LICના આઈપીઓને આપી મંજૂરી, જલ્દી જ SEBIની પાસે જમા થશે ડ્રાફ્ટ પેપર
Uma Exports Limited IPO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2022 | 4:19 PM

દેશની સૌથી મોટી ઈન્શ્યોરન્સ કંપની LICનો આઈપીઓ આગામી મહિને આવી શકે છે. વીમા નિયમનકાર ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (IRDAI)એ એલઆઈસીના IPOને મંજૂરી આપી દીધી છે. રાજ્યની માલિકીની કંપની ટૂંક સમયમાં તેનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કરે તેવી અપેક્ષા છે. સુત્રો મુજબ LIC 11 ફેબ્રુઆરીએ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દાખલ કરે તેવી અપેક્ષા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ડિસઈન્વેસ્ટમેન્ટની માત્રા અને એમ્બેડેડ મૂલ્યનો ઉલ્લેખ DRHPમાં કરવામાં આવશે.

CNBC ટીવી 18એ સુત્રોના હવાલાથી કહ્યું કે એલઆઈસી આવતીકાલે સેબીની પાસે પોતાનું ડીઆરએચપી દાખલ કરી શકે છે. IRDAI દ્વારા IPO પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ DRHP દાખલ કરવામાં આવશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પોતાના કેન્દ્રીય બજેટ 2022ના ભાષણમાં જાહેરાત કરી હતી કે એલઆઈસીનો આઈપીઓ જલ્દી જ આવશે. સરકાર એલઆઈસી આઈપીઓમાં શેયરોના વેચાણ દ્વારા 1 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી રહ્યું છે. જે ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ હોય શકે છે.

માર્ચમાં આઈપીઓ આવવાની અપેક્ષા

આ અઠવાડિયાની શરૂઆતમાં દીપમના સચિવ તુહિન કાંતા પાંડેએ કહ્યું હતું કે એલઆઈસી ગુરૂવાર અને શુક્રવાર સુધી આઈપીઓનો ડ્રાફ્ટ્ દાખલ કરી શકે છે. 5 લાખ કરોડ રૂપિયાથી વધારેની ઈવીને અંતિમ રૂપ આપ્યા બાદ પબ્લિક ઈશ્યુની તૈયારી પુરજોશમાં છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

એલઆઈસીનો આઈપીઓ સરકારને 78,000 કરોડ રૂપિયના ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરી શકે છે. આ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં, સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટમાંથી રૂ. 12,000 કરોડ એકત્ર કરવામાં સફળ રહી છે. IPO માર્ચમાં માર્કેટમાં આવવાની ધારણા છે.

પોલિસીધારકોને મળશે 5 ટકા ડિસ્કાઉન્ટ

એલઆઈસીના આવનારા આઈપીઓમાં તેના પોલિસીધારકોને 5 ટકાનું ડિસ્કાઉન્ટ મળવાની આશા છે. તેની સાથે રિટેલ બોલી લગાવનારા અને કર્મચારીઓને પ્રાઈસ બેન્ડ પર થોડી છૂટ મળવાની આશા છે. સરકારે દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઈસીના આઈપીઓને પુરો કરાવવા માટે ગયા સપ્ટેમ્બરમાં 10 મર્ચન્ટ બેન્કરોની નિમણુંક કરી હતી. તેમાં ગોલ્ડમેન સેક્સ, સિટી ગ્રુપ અને નોમુરા પણ સામેલ છે.

ત્યારે કાયદાકીય સલાહકાર તરીકે સિરિલ અમરચંદ્ર મંગળદાસને નામાંકિત કરવામાં આવ્યા હતા. આઈપીઓ પહેલા એલઆઈસીના નિર્દેશક મંડળમાં 6 સ્વતંત્ર નિર્દેશકોને સામેલ કરવામાં આવ્યા છે. કંપનીએ આ પગલું બિઝનેસના આચરણ સંબંધિત નિયમનકારી નિયમોને પરિપૂર્ણ કરવા માટે ઉઠાવ્યું છે.

આ પણ વાંચો: ShareChat ખરીદશે શોર્ટ વીડિયો પ્લેટફોર્મ MX TakaTak, જાણો કેટલા મિલિયનમાં થઈ ડીલ

આ પણ વાંચો: કેનેડામાં થયેલા વિરોધ પ્રદર્શનથી ગભરાયું ફ્રાંસ, પેરિસમાં કોવિડ પ્રતિબંધો વિરુદ્ધ પ્રદર્શન અને રસ્તો બ્લોક કરવા પર થશે જેલ

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">