નોકરિયાતો માટે મહત્વપૂર્ણ સમાચાર! સરકાર PF કપાત માટે પગારની મર્યાદામાં વધારો કરી શકે છે

સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ(Central Board of Trustees)ની બેઠક આગામી મહિને 4 માર્ચે શ્રીનગરમાં યોજાનાર છે. જેમાં કેટલાક મોટા નિર્ણયોની અપેક્ષા છે. સરકાર ફરજિયાત PFની પગારની મર્યાદામાં વધારો કરવાની યોજના બનાવી રહી છે.

નોકરિયાતો માટે મહત્વપૂર્ણ સમાચાર! સરકાર PF કપાત માટે પગારની મર્યાદામાં વધારો કરી શકે છે
EPFO
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 20, 2021 | 7:05 AM

સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ(Central Board of Trustees)ની બેઠક આગામી મહિને 4 માર્ચે શ્રીનગરમાં યોજાનાર છે. જેમાં કેટલાક મોટા નિર્ણયોની અપેક્ષા છે. સરકાર ફરજિયાત PFની પગારની મર્યાદામાં વધારો કરવાની યોજના બનાવી રહી છે. સાર્વત્રિક લઘુત્તમ વેતન મુજબ, સરકાર પીએફ કપાત માટે હાલની વેતન મર્યાદામાં વધારો કરવાની તૈયારી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએફ કપાત માટે હાલની વેતન મર્યાદામાં ફેરફાર શક્ય છે. જરૂરી પગારની મર્યાદા રૂ.15000 થી વધારીને 25000 કરી શકાય તેમ છે.

વધુ લોકોને EPFO ​​લાવવાની યોજના છે સરકાર વધુને વધુ લોકોને EPFOના કાર્યક્ષેત્ર હેઠળ લાવવાની યોજના બનાવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ બેઠકમાં FY 2021 માટેના ઇપીએફઓ રિટર્નની સમીક્ષા પણ કરવામાં આવશે. પીએફ પરનું વ્યાજ રોકાણમાંથી મળેલા વળતરના આધારે નક્કી કરવામાં આવશે. હાલમાં સીલિંગનો બેઝિક પગાર 15 હજાર રૂપિયા છે તેને વધારીને 25 હજાર રૂપિયા કરી શકાય તેમ છે. ઉલ્લેખનીય છે કે જેમની પાસે મૂળભૂત પગારની ટોચમર્યાદાથી ઉપરનો પગાર છે તેમના પીએફનું યોગદાન વૈકલ્પિક છે.

PF પરના વ્યાજ દર કેમ ઘટાડી શકે છે EPFOના ટ્રસ્ટી કેઇ રઘુનાથને કહ્યું કે તેમને 4 માર્ચે શ્રીનગરમાં CBTની આગામી બેઠક અંગે માહિતી મળી છે. બેઠકનો એજન્ડા ટૂંક સમયમાં આવી રહ્યો છે. જો કે, તેમણે કહ્યું હતું કે મીટિંગની માહિતીથી સંબંધિત ઈ-મેલમાં વ્યાજના દર પર કોઈ ચર્ચા થવાનો ઉલ્લેખ નથી. દરમિયાન, એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ઇપીએફઓ નાણાકીય વર્ષ 2020-21 માટે કર્મચારી ભવિષ્ય નિધિ પરના વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

નાણાકીય વર્ષ 2019-20 માટે પ્રોવિડન્ટ ફંડ પરનો વ્યાજ દર 8.5 ટકા હતો. એવું માનવામાં આવે છે કે કોરોના કટોકટીની વચ્ચે, પીએફમાંથી વધુ ઉપાડ અને ઓછા યોગદાનને કારણે વ્યાજ ઘટાડવાનો નિર્ણય લઈ શકાય છે.

કરોડો લોકોને લાભ મળશે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના ભૂતપૂર્વ સહાયક કમિશનર એ કે શુક્લાના કહેવા મુજબ, જો આ નિર્ણય લેવામાં આવે તો તેનો 6 કરોડ લોકોને ફાયદો થશે. પ્રથમ તેમનું પ્રથમ યોગદાન વધશે એટલે કે જો વધુ પૈસા એકઠા થાય છે તો તેમને વધુ વળતર પણ મળશે.

Latest News Updates

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">