સરકારે પેટ્રોલ સાથે મિશ્રણ કરવામાં આવતા ઈથેનોલ માટે GST ઘટાડ્યો, જાણો શું છે નવો દર

|

Dec 16, 2021 | 8:39 PM

સરકારે ઈથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (EBP) પ્રોગ્રામ હેઠળ મિશ્રણ માટે ઉપયોગમાં લેવાતા ઈથેનોલ માટેનો GST દર 18 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યો છે.

સરકારે પેટ્રોલ સાથે મિશ્રણ કરવામાં આવતા ઈથેનોલ માટે GST ઘટાડ્યો, જાણો શું છે નવો દર
File Image

Follow us on

સરકારે ઈથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (EBP) પ્રોગ્રામ હેઠળ મિશ્રણ માટે ઉપયોગમાં લેવાતા ઈથેનોલ (Ethanol) માટેનો GST દર 18 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યો છે. પેટ્રોલ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી રામેશ્વર તેલીએ (Minister of State for Petrol and Natural Gas Rameshwar Teli) લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. 

 

 

પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ
જાણો કોણ છે દીપ્તિ સાધવાણી જે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી, જુઓ ફોટો
ઉનાળામાં બપોરે સમયે સૂવાના છે અઢળક ફાયદા, ન જાણતા હો તો જાણી લો
Slow train : કાચબાથી પણ ધીમી સ્પીડે ચાલે છે ભારતની આ ટ્રેન, જાણો કઇ છે આ ટ્રેન

મંત્રીએ આજે ​​માહિતી આપી હતી કે ઈથેનોલના મિશ્રણને પ્રોત્સાહન આપવા માટે સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)નો દર 18 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યો છે. આ ઈથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (EBP) હેઠળ મિશ્રણ માટે કરવામાં આવ્યું છે.

 

 

આયાતી ગેસોલિન પર નિર્ભરતા ઘટાડવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા 

સરકાર શેરડી આધારિત ફીડસ્ટોક જેમ કે C&B હેવી મોલાસીસ, શેરડીનો રસ, ખાંડ, ખાંડની ચાસણીમાંથી ઉત્પાદિત ઈથેનોલની ખરીદી કિંમત નક્કી કરે છે. આ સાથે અનાજ-આધારિત ફીડસ્ટોકમાંથી ઉત્પાદિત ઈથેનોલની ખરીદ કિંમત જાહેર ક્ષેત્રની માર્કેટિંગ કંપનીઓ દ્વારા વાર્ષિક ધોરણે નક્કી કરવામાં આવે છે.

 

આયાતી ગેસોલિન પર નિર્ભરતા ઘટાડવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓમાં સ્થાનિક બજારમાં ક્રૂડ ઓઈલ વધારવા માટે અનેક પહેલનો સમાવેશ થાય છે.  આમાં ભૌગોલિક-વૈજ્ઞાનિક ડેટા અને તેની સરળ ઍક્સેસનો આપવી, નવા અન્વેષણ ક્ષેત્રને પુરસ્કાર આપવો, નવા ડેવલપમેન્ટ acreagesથી ઉત્પાદનમાં વેગ લાવવા અને હાલ પ્રોડક્શન acreagesથી મહત્તમ ઉત્પાદન કરવાનો સમાવેશ થાય છે.

 

નિવેદન અનુસાર સરકારે દેશમાં બાયોફ્યુઅલના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે આ માટે સરકારે બાયોફ્યુઅલ પર રાષ્ટ્રીય નીતિ (NPB), 2018ની નોટીફીકેશન જાહેર કરી હતી. જેમાં પેટ્રોલ સાથે ઈથેનોલના સંમિશ્રણમાં વધારો કરવા માટે બાયો-ઈથેનોલ ઉત્પન્ન કરવા માટે એક કરતાં વધુ ફીડસ્ટોકનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે.

 

2025-26 સુધીમાં દેશમાં પેટ્રોલમાં 20% ઈથેનોલનું મિશ્રણ કરવાનો લક્ષ્યાંક

ઈથેનોલના સપ્લાઈ પર લેવાયેલા પગલાંને કારણે સરકારે દેશમાં પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ ભેળવવાનો લક્ષ્યાંક 2030થી 2025-26 સુધી કરવામાં આવ્યો છે. સરકારે સેકન્ડ જનરેશન (2G) ઈથેનોલના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી જીવન યોજનાને પણ સૂચિત કરી હતી. આ માટે સરકારે દેશમાં આર્થિક મદદ ઉપલબ્ધ કરાવી હતી.

 

સરકારે ગયા મહિને પેટ્રોલમાં મિશ્રણ માટે શેરડીમાંથી કાઢેલા ઈથેનોલના ભાવમાં 1.47 રૂપિયા પ્રતિ લીટર સુધીનો વધારો કર્યો હતો. ડિસેમ્બરથી શરૂ થતા માર્કેટિંગ વર્ષ 2021-22 માટે કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે પેટ્રોલમાં વધુ ઈથેનોલ ઉમેરવાથી તેલના આયાત બિલમાં ઘટાડો થશે અને તેનાથી શેરડીના ખેડૂતો તેમજ સુગર મિલોને ફાયદો થશે.

 

 

આ પણ વાંચો :  Nirbhaya Fund: 30 રૂપિયામાં સુરક્ષિત થશે દેશની દીકરી! નિર્ભયા ફંડમાંથી 9764.30 કરોડની યોજનાઓ, પીડિતાઓને શું મળ્યું?

 

આ પણ વાંચો: Gram Panchayat Election: આ કારણથી સેજલ બારિયાનું રદ થયું હતું ફોર્મ, હાઈકોર્ટે આપ્યો જોરદાર ચુકાદો

Next Article