AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લગ્નની સિઝનમાં સોનું ચમક્યું અને ચાંદીના ચળકાટમાં પણ આવ્યો ઉછાળો, જાણો તમારા શહેરમાં નવા લેટેસ્ટ ભાવ

સોના અને ચાંદીના ભાવ લગ્ન સીઝન દરમિયાન સતત ઉપર તરફ ગતિ કરી રહયા છે. આમ તો ઘણા સમયથી સોના અને ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી છે. આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 57,100 રૂપિયા છે જે 25 ડિસેમ્બરે 56,800 રૂપિયા હતો. એટલે કે 22 કેરેટ સોનાની કિંમતમાં 300 રૂપિયાનો વધારો થયો છે.

લગ્નની સિઝનમાં સોનું ચમક્યું અને ચાંદીના ચળકાટમાં પણ આવ્યો ઉછાળો, જાણો તમારા શહેરમાં નવા લેટેસ્ટ ભાવ
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2023 | 8:06 AM
Share

સોના અને ચાંદીના ભાવ લગ્ન સીઝન દરમિયાન સતત ઉપર તરફ ગતિ કરી રહયા છે. આમ તો ઘણા સમયથી સોના અને ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી છે. આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 57,100 રૂપિયા છે જે 25 ડિસેમ્બરે 56,800 રૂપિયા હતો. એટલે કે 22 કેરેટ સોનાની કિંમતમાં 300 રૂપિયાનો વધારો થયો છે.

તે જ સમયે 24 કેરેટ સોનાની કિંમત પણ વધીને 62,290 રૂપિયા થઈ ગઈ છે. 24 કેરેટ સોનાની કિંમતમાં પણ 320 રૂપિયાનો વધારો થયો છે.વાયદા બજારમાં સોનામાં 298 રૂપિયા છે જયારે ચાંદી પણ પાછળ નથી. ચાંદીમાં 1.40 ટકાનો જમબરદ્ત્ત ઉછાળો નોંધાયો છે.

દેશના મુખ્ય શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ

  • દિલ્હી- રૂ. 62,440
  • ચેન્નાઈ- રૂ. 62,780
  • મુંબઈ- રૂ. 62,290
  • કોલકાતા- રૂ. 62,290

સોનાની શુદ્ધતા તપાસવા આ કામ કરો

સોનાની શુદ્ધતા માટે ISO (ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન) દ્વારા હોલ માર્ક આપવામાં આવ્યા છે, જેના દ્વારા તમે સોનાની શુદ્ધતા જાણી શકો છો. 24 કેરેટ પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું છે.

વાયદા બજારમાં સોના ચાંદીના બંધ ભાવ (Nov 24, 23:54)

  • સોનુ : 61370.00  +298.00 (0.49%)
  • ચાંદી : 73915.00  +1,017.00 (1.40%)

કેરેટની શુદ્ધતા આ આધાર મુજબ નક્કી કરવામાં આવે છે

સોનાની શુદ્ધતાના આધારે તેને કેરેટમાં માપવામાં આવે છે. 24 કેરેટ સોનું સૌથી શુદ્ધ છે, પરંતુ ભેળસેળની ગેરહાજરીને કારણે તે નબળું છે અને તેનો ઉપયોગ ઘરેણાં બનાવવા માટે થતો નથી. મોટાભાગે 22 કેરેટ સોનાનો ઉપયોગ ઘરેણાં બનાવવા માટે થાય છે, જે 91% શુદ્ધ છે. 18 કેરેટ સોનામાં માત્ર 75% સોનું હોય છે, તેમાં 25% અન્ય ધાતુઓ ભળે છે, જે તેને ટકાઉ બનાવે છે.

મિસ્ડ કોલ દ્વારા જાણો સોના અને ચાંદીના ભાવ

જો તમે 22 કેરેટ અને 18 કેરેટ સોનાના છૂટક ભાવ જાણવા માંગતા હો, તો તમે 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપી શકો છો. થોડી જ વારમાં તમારા ફોનમાં સોનાની નવીનતમ કિંમતનો મેસેજ આવી જશે. આ નંબર ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) નો છે, જેના દ્વારા જારી કરાયેલા દર સમગ્ર દેશમાં માન્ય છે. આ સાથે, તમે www.ibja.co અથવા ibjarates.com પર કિંમત અપડેટ્સ પણ જોઈ શકો છો.

આ પણ વાંચો : સબકા સપના મની મની: માત્ર 14 હજાર રુપિયાનું રોકાણ તમને બનાવશે કરોડપતિ, જાણો કેવી રીતે ક્યાં રોકાણ કરશો

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">