AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોના ચાંદીના ભાવ આસમાને છતાં ખરીદી પર કોઈ અસર નહીં, જાણો શું છે ભાવ વધારા પાછળના કારણો

સોનામાં છેલ્લા 30 દિવસમાં 1500 રૂપિયા ભાવ વધારો જોવા મળ્યો છે એટલે કે સોનું એક મહિના પહેલા 62 કે 64 હજારનું હતું તે હવે 75 હજારને પાર કરી ચૂક્યું છે. જોકે બજારમાં સોનાનો ભાવ વધતા કોઈ મોટી અસર જોવા મળી નથી.

સોના ચાંદીના ભાવ આસમાને છતાં ખરીદી પર કોઈ અસર નહીં, જાણો શું છે ભાવ વધારા પાછળના કારણો
Harin Matravadia
| Edited By: | Updated on: Apr 12, 2024 | 8:49 PM
Share

વર્ષો પહેલાથી લોકો મોટાભાગે પૈસાનું રોકાણો સોના ચાંદીમાં કરતા આવ્યા છે કેમકે સોનાની કિંમત વધતા તે પૂરતા ભાવે વહેંચી શકાય છે અને ખરીદી પણ શકાય છે, પરંતુ છેલ્લા એક મહિનાની વાત કરીએ તો છેલ્લા એક મહિનામાં સોનું અને ચાંદીમાં ભારે તેજી જોવા મળી છે.

જે સોનાનો એક મહિના પહેલા 64000 રૂપિયા ભાવ હતો તેનો આજે 75 હજાર રૂપિયાથી પણ વધુ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં હજી પણ 80 હજાર સુધી સોનું પહોંચે તેઓ અનુમાન લગાવવામાં આવી રહ્યો છે.

સોનામાં ભાવ વધારા પાછળનાં કારણો

  • વૈશ્વિક સ્તરે રશિયા – યુકેન યુદ્ધ જે ઘણા સમયથી ચાલી રહ્યું છે
  • વૈશ્વિક હાલાકીમાં ઇઝરાયલ-હમાસ અને ઈરાન-ઇઝરાયેલની યુદ્ધની સ્થિતિ
  • વિશ્વની આર્થિક મહાસત્તાઓ જેમાં ભારત, બ્રિટન, અમેરિકામાં ચૂંટણીનો માહોલ
  • ડોલરની સામે રશિયા અને ચીન દ્વારા ભવિષ્યમાં સોનાનો સ્ટોક ઊભો કરવાનું તાત્પર્ય

આ તમામ કારણોને લઈને સેન્ટ્રલ બેંકો દ્વારા સોનાની ખરીદી કરવામાં આવી રહી છે અને જેને કારણે જ સોનાના ભાવમાં ઉતરોતર વધારો જોવા મળી રહ્યો છે.

સોના ચાંદીનો ભાવ વધતા શું છે બજારમાં અસર

  • સોના ચાંદીનો ભાવ વધતા બજારમાં તેની કોઈ મોટી અસર જોવા મળી નથી.
  • સામાન્ય રીતે સોના ચાંદીનો ભાવ વધતો હોય છે ત્યારે ગ્રાહકો દાગીના વાંચતા હોય છે પરંતુ આ વખતે એવી કોઈ અસર જોવા મળી નથી.
  • સોનાનો ભાવ વધ્યો છે આમ છતાં 14 અને 18 કેરેટ એટલે કે લાઇટ વેઈટ દાગીનાની ખરીદી વધી છે.
  • જોકે અત્યારના સંજોગોમાં 22 કેરેટ સોનાની દાગીનાની ખરીદીમાં ઘટાડો થયો છે.
  • સોનાના સિક્કા, પેપર ગોલ્ડ અને સરકારની સોવેનીયર ગોલ્ડમાં પણ રોકાણો વધ્યા છે.

આગામી સમયમાં લગ્નસરાની સિઝન આવી રહી છે, ત્યારે સોનાના ભાવમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. જોકે હજી પણ આ ભાવમાં તેજી આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. દિવાળીની તારીખો સુધી સોનાના ભાવમાં તેજી જોવા મળશે. લોકોને પણ લાગી રહ્યું છે કે સોનાનો ભાવ હજી વધશે જેને કારણે હવે જો 70 હજારની આસપાસ સોનાનો ભાવ પહોંચશે તો હજી પણ સોનાની ખરીદીમાં વધારો જોવા મળી શકે છે.

Follow Us
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
g clip-path="url(#clip0_868_265)">