AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈન્ડિયાનો સૌથી મોંઘો ડિવોર્સ, આ ઉદ્યોગપતિની પત્નીએ છૂટાછેડા માટે કરી 8745 કરોડની માગ, પણ રાખી આ શરત, જાણો

ગૌતમ સિંઘાનિયાની પત્ની નવાઝ મોદી સિંઘાનિયાના છૂટાછેડા થવાની વાત હાલમાં ખૂબ ચર્ચામાં છે. અગાઉ દિવાળી દરમિયાન ફેમિલી ફંક્શનમાં જવા દેવામાં ન આવતાં ઘણો મોટો હોબાળો થયો હતો. નવાઝે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. હવે નવાઝ મોદીએ છૂટાછેડા માટે ગૌતમ સિંઘાનિયાની 11,660 કરોડની સંપત્તિમાંથી 8745 કરોડ રૂપિયાની માગણી કરી છે. પણ ગૌતમ સિંઘાનિયાએ આ શરત રાખી છે.

ઈન્ડિયાનો સૌથી મોંઘો ડિવોર્સ, આ ઉદ્યોગપતિની પત્નીએ છૂટાછેડા માટે કરી 8745 કરોડની માગ, પણ રાખી આ શરત, જાણો
| Updated on: Mar 06, 2024 | 11:20 PM
Share

અબજોપતિ એવા ઉદ્યોગપતિ ગૌતમ સિંઘાનિયા અને તેમની પત્ની નવાઝ મોદી સિંઘાનિયા વચ્ચે કડવાશ ચાલી રહી હતી. દિવાળીના દિવસે જ બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ બાદ નવાઝે તેના પતિ ગૌતમ સિંઘાનિયા પાસેથી તેની નેટવર્થના 75 ટકા હિસ્સો માગ્યો હોવાની વાત વહેતી થઈ છે.

પત્નીએ 8745 કરોડ માગ્યા !

આ અફવાઓ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી પતિ-પત્ની વચ્ચે કોઈ ઝઘડો થયો ન હોવાનું બહાર આવ્યું હતું. આ બાદ ગૌતમ સિંઘાનિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને દાવો કર્યો છે કે તે તેની પત્નીથી અલગ થઈ રહ્યા છે. હવે ખબર આવી રહી છે કે પત્ની નવાઝે છૂટાછેડા માટે મોટી રકમની માગ કરી છે.

આ કેસ સાથે સંકળાયેલ એક વ્યક્તિએ આ અંગે માહિતી આપી હતી. આ મુજબ નવાઝે તેના પતિની કુલ 11,660 કરોડની સંપત્તિમાં 75% હિસ્સો માગ્યો છે. આ રકમ 8745 કરોડ રૂપિયા હતી. જેમાં બે છોકરીઓ નિહારિકા અને નિસા અને નવાઝ નો ભાગ રહેશે. જોકે આ વાતને લઈ ગૌતમ સિંઘાનિયા પણ સહમત છે.

ગૌતમ સિંઘાનિયાના નિધન બાદ તેમના પરિવારના સભ્યોને મિલકતનો વારસો મળશે. પરંતુ નવાઝ આ શરત સ્વીકારતા નથી. હાલમાં, રેમન્ડ ગ્રૂપ પાસે અનેક ટ્રસ્ટો છે. આમાં જે. કે. ટ્રસ્ટ અને સુનિતિ દેવી સિંઘાનિયા હોસ્પિટલ ટ્રસ્ટ મુખ્ય છે. હાલમાં આ તમામ ટ્રસ્ટનું નિયંત્રણ ગૌતમ સિંઘાનિયા પાસે છે. તેઓ ટ્રસ્ટના અધ્યક્ષ અને મેનેજિંગ ટ્રસ્ટી છે અને તેમની પત્ની નવાઝ સભ્ય છે.

આ પણ વાંચો : 30મી નવેમ્બરે પીએમ મોદી વિકાસ ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે કરશે વાતચીત, શરુ કરશે મહિલા કિસાન ડ્રોન કેન્દ્ર

શું છે સમગ્ર મામલો?

રેમન્ડ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેન ગૌતમ સિંઘાનિયાએ દિવાળી દરમિયાન આ મોટો બોમ્બ ફોડ્યો હતો. તેણે જાહેર કર્યું કે તેણે તેની પત્ની નવાઝ મોદી સિંઘાનિયા સાથેનું 32 વર્ષ જૂનું સુખી જીવન તોડી નાખ્યું છે. તેણે તેની પત્નીથી અલગ થવાનો નિર્ણય કર્યો. જોકે આ વાતને લઈને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">