Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના પરિવારમાં છે લગ્નનો માહોલ, જાણો પરિવારમાં કોણ કોણ છે

થોડા દિવસો પહેલા હિંડનબર્ગ રિપોર્ટમાં ગૌતમ અદાણી (Gautam Adani)ના મોટા ભાઈ વિનોદ અદાણીનું નામ પણ સામેલ હતું. રિપોર્ટમાં તેના પર આરોપ લગાવવામાં આવ્યો હતો.

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના પરિવારમાં છે લગ્નનો માહોલ, જાણો પરિવારમાં કોણ કોણ છે
Follow Us:
| Updated on: Dec 12, 2024 | 5:23 PM

Gautam Adani Family: એક સમયે એશિયાના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અમેરિકન ફર્મ હિંડનબર્ગના અહેવાલને પગલે વિવાદમાં રહ્યા હતા,તેએક સમયે વિશ્વના ત્રીજા સૌથી અમીર ગણાતા અદાણી આ રિપોર્ટ સામે આવ્યા બાદ એક સપ્તાહમાં 16માં નંબરે સરકી ગયા હતા.એક સમયે સાત ભાઈ-બહેન અને માતા-પિતા સાથે નાની ચાલીમાં રહેતા હતા. આજે એ જ અદાણીના બાળકો પ્રાઈવેટ જેટમાં મુસાફરી કરે છે. આવો જાણીએ ગૌતમ અદાણીની સંપૂર્ણ સ્ટોરી. તેના પરિવાર વિશે બધું…

Gautam Adani Family tree Know who is who in Gautam Ambani's family

ગરોળીનું શરીરના કયા અંગ પર પડવું શુભ કે અશુભ? જાણો અહીં
Plant In Pot : ચટાકેદાર વાનગીઓ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતો ફુદીનો ઘરે કૂંડામાં ઉગાડો
આજનું રાશિફળ તારીખ : 27-03-2025
IPL 2025થી 7000 કિમી દૂર છે ગૌતમ ગંભીર
IPL ઈતિહાસમાં આ રેકોર્ડ બનાવનાર શ્રેયસ અય્યર પ્રથમ કેપ્ટન,જુઓ ફોટો
એરલાઇન કંપનીનો માલિક છે, આ અભિનેતા જુઓ ફોટો

ગૌતમ અદાણી અત્યારે કેટલા અમીર છે?

ફોર્બ્સના રીઅલ-ટાઇમ ડેટા અનુસાર, તે 67.4 બિલિયનની નેટવર્થ સાથે 16માં નંબરે છે. શોર્ટ સેલર હિંડનબર્ગના અહેવાલો વચ્ચે 2023માં અદાણી ગ્રૂપની નેટવર્થમાં સતત ઘટાડો થયો છે.

આ પણ વાંચો :Ambani Family Tree: ધીરુભાઈથી લઈને ઈશા અને આકાશના બાળકો સુધી આખા અંબાણી પરિવાર વિશે જાણો

ગૌતમ અદાણીએ જુલાઈ 2022માંમાઈક્રોસોફ્ટના ચીફ બિલ ગેટ્સને પાછળ છોડી દીધા હતા. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ગૌતમ અદાણીએ રિલાયન્સ ગ્રુપના વડા મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા હતા. આ સાથે અદાણી ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા હતા. એપ્રિલ 2022માં, અદાણીની નેટવર્થ પ્રથમ વખત 100 અરબ ડોલરને વટાવી ગઈ. પરંતુ વિવાદો વચ્ચે મુકેશ અંબાણી ફરી એકવાર અદાણી કરતા આગળ નીકળી ગયા છે. અંબાણી હાલમાં વિશ્વના 10મા સૌથી અમીર વ્યક્તિ છે.

ગૌતમ અદાણીની સ્ટોરી

ગૌતમ અદાણીનો જન્મ 24 જૂન 1962ના રોજ અમદાવાદ, ગુજરાતમાં એક સામાન્ય પરિવારમાં થયો હતો. ગૌતમે પ્રારંભિક શિક્ષણ અમદાવાદની શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાલયમાંથી લીધું હતું. આ પછી તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી કોમર્સનો અભ્યાસ શરૂ કર્યો.ગૌતમ અદાણીના પિતાનું નામ શાંતિલાલ અને માતાનું નામ શાંતા બેન હતું. તેના પિતા કપડાનો નાનો મોટો ધંધો કરતા હતા. એવું કહેવાય છે કે ગૌતમ તે સમયે તેના માતા-પિતા અને ભાઈઓ સાથે એક નાની ચૌલમાં રહેતા હતા. પહેલાં શાંતિલાલ ઉત્તર ગુજરાતના થરાદ શહેરમાં રહેતા હતા.

અદાણીને સાત ભાઈ-બહેન છે

ગૌતમને સાત ભાઈ-બહેન છે. સૌથી મોટા ભાઈનું નામ મનસુખભાઈ અદાણી. અન્ય ભાઈઓમાં વિનોદ અદાણી, રાજેશ શાંતિલાલ અદાણી, મહાસુખ અદાણી અને વસંત એસ અદાણીનો સમાવેશ થાય છે. બહેન વિશે વધુ માહિતી મીડિયામાં આવી નથી.

વિનોદ અદાણી કોણ છે?

વિનોદ અદાણી ગૌતમ અદાણીના મોટા ભાઈ છે. તે દુબઈમાં રહે છે અને દુબઈ, સિંગાપોર અને જકાર્તામાં ઘણી કંપનીઓનું સંચાલન કરે છે. વિનોદ શાંતિલાલ અદાણી સૌથી ધનિક NRI તરીકે ઓળખાય છે.

નાની ઉંમરે મુંબઈ આવ્યા

ગૌતમને તેના પિતાના વ્યવસાયમાં રસ નહોતો, તેથી તેણે અભ્યાસ છોડી દીધો અને 17 વર્ષની ઉંમરે મુંબઈ આવી ગયા. અહીં તેણે હીરાના વેપારી મહિન્દ્રા બ્રધર્સમાં બે વર્ષ કામ કર્યું. 20 વર્ષની ઉંમરે, તેણે મુંબઈમાં પોતાનો હીરાની દલાલીનો વ્યવસાય શરૂ કર્યો અને પહેલા વર્ષમાં જ લાખોની કમાણી કરી.

કેવી રીતે આગળ વધ્યા અદાણી?

ગૌતમના મોટા ભાઈ મનસુખભાઈ અદાણીએ 1981માં અમદાવાદમાં પ્લાસ્ટિકની કંપની ખરીદી હતી. ગૌતમને પણ બોલાવ્યા હતા. અદાણીએ પોલીવિનાઇલ ક્લોરાઇડ (PVC)ની આયાત કરીને વૈશ્વિક બિઝનેસમાં પ્રવેશ કર્યો.

વ્યવસાયનો પૂરતો અનુભવ મેળવ્યા પછી, તેમણે 1998માં અદાણી એક્સપોર્ટ્સ લિમિટેડની સ્થાપના કરી. આ કંપની પાવર અને એગ્રીકલ્ચર કોમોડિટીઝના ક્ષેત્રમાં કામ કરે છે. 1991 સુધીમાં, કંપનીએ તેના પગ જમાવી ચૂકી છે અને ભારે નફો કરવાનું શરૂ કર્યું.

શરૂઆતના દિવસોમાં ગૌતમ સ્કૂટર લઈને ફરતો હતો, આ પછી ગૌતમે મારુતિ-800થી પોતાની સફર શરૂ કરી હતી, હવે તે લક્ઝરી વાહનોથી મુસાફરી કરે છે. ગૌતમ પાસે અનેક હેલિકોપ્ટર અને ખાનગી ચાર્ટર્ડ પ્લેન છે.

પત્ની અદાણી ફાઉન્ડેશનના પ્રમુખ

ગૌતમના લગ્ન પ્રીતિ અદાણી સાથે થયા છે. પ્રીતિ વ્યવસાયે ડેન્ટિસ્ટ છે અને અદાણી ફાઉન્ડેશનની ચેરપર્સન પણ છે. આ દ્વારા તે સામાજિક કાર્ય કરે છે. ગૌતમ અને પ્રીતિ અદાણીને બે પુત્રો છે. મોટા પુત્રનું નામ કરણ અદાણી અને નાના પુત્રનું નામ જીત અદાણી છે.

કરણ અદાણીએ પરડ્યુ યુનિવર્સિટી, યુએસએમાંથી સ્નાતક થયા છે. તેઓ અદાણી પોર્ટ્સના સીઈઓ તરીકે કંપનીમાં કામ કરે છે. આ સિવાય તેઓ ઘણી કંપનીઓની જવાબદારી સંભાળી રહ્યા છે. વર્ષ 2013માં, કરણે ભારતના અગ્રણી કોર્પોરેટ કાયદાના વકીલોમાંના એક સિરિલ શ્રોફની પુત્રી પરિધિ શ્રોફ સાથે લગ્ન કર્યા હતા.

કરણની જેમ તેનો નાનો ભાઈ જીત અદાણી પણ વિદેશમાં ભણ્યો છે. પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા પછી, જીત વર્ષ 2019 માં ભારત પાછો ફર્યો અને કંપનીની જવાબદારી સંભાળવાનું શરૂ કર્યું.

સાગર અદાણી ગ્રુપમાં પણ સક્રિય છે

સાગર અદાણી પણ અદાણી ગ્રુપમાં સક્રિય છે. તે ગૌતમના ભાઈ રાજેશનો પુત્ર છે. સાગર યુએસની બ્રાઉન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા બાદ 2015માં અદાણી જૂથમાં જોડાયો હતો. પ્રોજેક્ટ્સમાં તેમની કારકિર્દી શરૂ કર્યા પછી, તેમણે અદાણી ગ્રીન એનર્જીના સમગ્ર સોલાર અને વિન્ડ પોર્ટફોલિયોનું નિર્માણ કર્યું. તેઓ હાલમાં સંસ્થાના નિર્માણની સાથે અદાણી ગ્રીન એનર્જીની તમામ વ્યૂહાત્મક અને નાણાકીય બાબતોનું ધ્યાન રાખે છે.

ગૌતમ અદાણી પર ગંભીર આરોપ

અમેરિકન પ્રોસિક્યુટરે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર ગંભીર આરોપ લગાવ્યા છે. યુએસ પ્રોસિક્યુટર્સે બ્રુકલિન, ન્યૂયોર્કમાં દાખલ કેસમાં કહ્યું છે કે અદાણી ગ્રુપે ભારતમાં સોલાર પાવર કોન્ટ્રાક્ટ મેળવવા માટે $250 મિલિયન (રૂ. 2110 કરોડ)ની લાંચ આપી હતી. જેમાં ગૌતમ અદાણી, સાગર આર અદાણી અને વિનીત એસ જૈન પર પણ અમેરિકન રોકાણકારોને ગેરમાર્ગે દોરવાનો આરોપ છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">