AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coromandel Train Accident: કોરોમંડલ ટ્રેન દુર્ઘટના બાદ ગૌતમ અદાણીની મોટી જાહેરાત, માતા-પિતા ગુમાવનારા બાળકોના અભ્યાસની લીધી જવાબદારી

જણાવી દઈએ કે, ઓડિશામાં કોરોમંડલ ટ્રેન દુર્ઘટનામાં લગભગ 275 લોકોએ જીવ ગુમાવ્યા છે. તે જ સમયે, 900થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં બાળકો, વૃદ્ધો સહિત અનેક લોકો સામેલ છે.

Coromandel Train Accident: કોરોમંડલ ટ્રેન દુર્ઘટના બાદ ગૌતમ અદાણીની મોટી જાહેરાત, માતા-પિતા ગુમાવનારા બાળકોના અભ્યાસની લીધી જવાબદારી
Gautam Adani
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2023 | 5:49 PM
Share

Coromandel Train Accident: કોરોમંડલ ટ્રેન દુર્ઘટના પર ગૌતમ અદાણી (Gautam Adani) મોટી જાહેરાત કરી છે. એક ટ્વીટમાં તેમણે કહ્યું કે જે બાળકોએ અકસ્માતમાં પોતાના માતા-પિતાને ગુમાવ્યા છે, હવે તેમના શિક્ષણની જવાબદારી ગૌતમ અદાણી પોતે લેશે. જણાવી દઈએ કે, ઓડિશામાં કોરોમંડલ ટ્રેન દુર્ઘટનામાં લગભગ 275 લોકોએ જીવ ગુમાવ્યા છે. તે જ સમયે, 900થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં બાળકો, વૃદ્ધો સહિત અનેક લોકો સામેલ છે. ટ્રેન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. જો કે, જેમણે જીવ ગુમાવ્યો છે તેમને કોઈ પરત લાવી શકતું નથી. પરંતુ ગૌતમ અદાણીના આ નિવેદનથી માતાપિતા ગુમાવનારા બાળકોને મોટી રાહત મળી છે.

દોષિતોને છોડવામાં આવશે નહીં: વડાપ્રધાન મોદી

તમને જણાવી દઈએ કે કોરોમંડલ ટ્રેન દુર્ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. વડાપ્રધાનથી લઈને રેલવે મંત્રાલય અને અન્ય રાજ્ય સરકારો આ મુશ્કેલીના સમયમાં મૃતકો અને પીડિતોના પરિવારજનો સાથે છે. વડાપ્રધાન મોદીએ પણ ઘટનાની સમીક્ષા કર્યા પછી કહ્યું કે દોષિતોને છોડવામાં આવશે નહીં.

આ પણ વાંચો: Indian Railways: સુરક્ષામાં કોઈ બાંધછોડ નહીં.. કેન્દ્રએ રેલવે માટે લીધા છે મહત્વના નિર્ણયો…

10 લાખના વળતરની કરી જાહેરાત

કોરોમંડલ ટ્રેન દુર્ઘટનામાં વડાપ્રધાન મોદીએ મૃતકોના નજીકના સંબંધીઓ માટે 2 લાખ રૂપિયા અને ઘાયલો માટે 50,000 રૂપિયાના વળતરની જાહેરાત મૃતકોના પરિજનો અને ઘાયલો માટે પીએમ રાહત ફંડમાંથી કરી છે. બીજી તરફ રેલ્વે મંત્રાલયે પણ મૃતકોના પરિજનોને 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ સિવાય તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પણ તેમના રાજ્યોના પીડિત પરિવારો માટે વળતરની જાહેરાત કરી છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">