Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coromandel Train Accident: કોરોમંડલ ટ્રેન દુર્ઘટના બાદ ગૌતમ અદાણીની મોટી જાહેરાત, માતા-પિતા ગુમાવનારા બાળકોના અભ્યાસની લીધી જવાબદારી

જણાવી દઈએ કે, ઓડિશામાં કોરોમંડલ ટ્રેન દુર્ઘટનામાં લગભગ 275 લોકોએ જીવ ગુમાવ્યા છે. તે જ સમયે, 900થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં બાળકો, વૃદ્ધો સહિત અનેક લોકો સામેલ છે.

Coromandel Train Accident: કોરોમંડલ ટ્રેન દુર્ઘટના બાદ ગૌતમ અદાણીની મોટી જાહેરાત, માતા-પિતા ગુમાવનારા બાળકોના અભ્યાસની લીધી જવાબદારી
Gautam Adani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2023 | 5:49 PM

Coromandel Train Accident: કોરોમંડલ ટ્રેન દુર્ઘટના પર ગૌતમ અદાણી (Gautam Adani) મોટી જાહેરાત કરી છે. એક ટ્વીટમાં તેમણે કહ્યું કે જે બાળકોએ અકસ્માતમાં પોતાના માતા-પિતાને ગુમાવ્યા છે, હવે તેમના શિક્ષણની જવાબદારી ગૌતમ અદાણી પોતે લેશે. જણાવી દઈએ કે, ઓડિશામાં કોરોમંડલ ટ્રેન દુર્ઘટનામાં લગભગ 275 લોકોએ જીવ ગુમાવ્યા છે. તે જ સમયે, 900થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં બાળકો, વૃદ્ધો સહિત અનેક લોકો સામેલ છે. ટ્રેન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. જો કે, જેમણે જીવ ગુમાવ્યો છે તેમને કોઈ પરત લાવી શકતું નથી. પરંતુ ગૌતમ અદાણીના આ નિવેદનથી માતાપિતા ગુમાવનારા બાળકોને મોટી રાહત મળી છે.

દોષિતોને છોડવામાં આવશે નહીં: વડાપ્રધાન મોદી

તમને જણાવી દઈએ કે કોરોમંડલ ટ્રેન દુર્ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. વડાપ્રધાનથી લઈને રેલવે મંત્રાલય અને અન્ય રાજ્ય સરકારો આ મુશ્કેલીના સમયમાં મૃતકો અને પીડિતોના પરિવારજનો સાથે છે. વડાપ્રધાન મોદીએ પણ ઘટનાની સમીક્ષા કર્યા પછી કહ્યું કે દોષિતોને છોડવામાં આવશે નહીં.

આ પણ વાંચો: Indian Railways: સુરક્ષામાં કોઈ બાંધછોડ નહીં.. કેન્દ્રએ રેલવે માટે લીધા છે મહત્વના નિર્ણયો…

10 લાખના વળતરની કરી જાહેરાત

કોરોમંડલ ટ્રેન દુર્ઘટનામાં વડાપ્રધાન મોદીએ મૃતકોના નજીકના સંબંધીઓ માટે 2 લાખ રૂપિયા અને ઘાયલો માટે 50,000 રૂપિયાના વળતરની જાહેરાત મૃતકોના પરિજનો અને ઘાયલો માટે પીએમ રાહત ફંડમાંથી કરી છે. બીજી તરફ રેલ્વે મંત્રાલયે પણ મૃતકોના પરિજનોને 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ સિવાય તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પણ તેમના રાજ્યોના પીડિત પરિવારો માટે વળતરની જાહેરાત કરી છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

31 માર્ચથી 3 એપ્રિલ સુધી આ જિલ્લામાં રહેશે વરસાદી માહોલ
31 માર્ચથી 3 એપ્રિલ સુધી આ જિલ્લામાં રહેશે વરસાદી માહોલ
આજથી ચૈત્ર મહિનાનો પ્રારંભ, શક્તિપીઠ સહિતના મંદિરોમાં લાગી ભક્તોની ભીડ
આજથી ચૈત્ર મહિનાનો પ્રારંભ, શક્તિપીઠ સહિતના મંદિરોમાં લાગી ભક્તોની ભીડ
મુસ્લિમોનો અત્યાચાર ભૂલવાનો નથી - પૂર્વ નાયબ CM નીતિન પટેલ
મુસ્લિમોનો અત્યાચાર ભૂલવાનો નથી - પૂર્વ નાયબ CM નીતિન પટેલ
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અશ્લીલ હરકત કરતા 2 તબીબને કરાયા ટર્મિનેટ
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અશ્લીલ હરકત કરતા 2 તબીબને કરાયા ટર્મિનેટ
મંજુસર GIDCમાં ટાઈલ્સનો પાઉડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
મંજુસર GIDCમાં ટાઈલ્સનો પાઉડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
Rajkot : ન્યારી ડેમ રોડ પર થયેલા અકસ્માત ચોંકાવનારા CCTV આવ્યા સામે
Rajkot : ન્યારી ડેમ રોડ પર થયેલા અકસ્માત ચોંકાવનારા CCTV આવ્યા સામે
Dwarka : ખંભાળિયામાં દારુની હેરાફેરી ઝડપાઈ
Dwarka : ખંભાળિયામાં દારુની હેરાફેરી ઝડપાઈ
ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, આ તારીખે કેટલાક જિલ્લાઓમાં પડશે માવઠું
ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, આ તારીખે કેટલાક જિલ્લાઓમાં પડશે માવઠું
WITT 2025: જયા કિશોરી એક સારી કથાકાર છે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યુ
WITT 2025: જયા કિશોરી એક સારી કથાકાર છે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યુ
g clip-path="url(#clip0_868_265)">