AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શેરબજારમાં રોકાણ કરવા માટે હાલમાં સમય કેવો છે? જાણો નિષ્ણાંતોનો અભિપ્રાય

1લી જૂનથી શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ છે.ક્યારેક 2,600 પોઈન્ટનો વધારો તો ક્યારેક 4,000 પોઈન્ટનો ઘટાડોજોવા મળે છે. ચૂંટણી પછી ઘણું બધું અસ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં રોકાણ કરવું હોય તો શું કરવું તે મૂંઝવણ ઉભી થઇ રહી છે.

શેરબજારમાં રોકાણ કરવા માટે હાલમાં સમય કેવો છે? જાણો નિષ્ણાંતોનો અભિપ્રાય
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 11, 2024 | 6:30 AM
Share

1લી જૂનથી શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ છે.ક્યારેક 2,600 પોઈન્ટનો વધારો તો ક્યારેક 4,000 પોઈન્ટનો ઘટાડોજોવા મળે છે. ચૂંટણી પછી ઘણું બધું અસ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં રોકાણ કરવું હોય તો શું કરવું તે મૂંઝવણ ઉભી થઇ રહી છે.

નિષ્ણાંતો અનુસાર શેરબજાર અત્યારે ભારે અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં જો તમે રોકાણ કરવા માંગતા હોય તો નવી સરકાર આવ્યા પછી થોડો સમય રાહ જુઓ. મ્યુચ્યુઅલ ફંડ્સ સહિતના સંસ્થાકીય રોકાણકારો નવી સરકારના મંત્રાલયોની વહેંચણી પર નજર રાખી રહ્યા હતા કારણ કે આ વખતે ભાજપની બેઠકોમાં ઘટાડો થવાને કારણે કેટલાક મંત્રાલયો તેના સાથી પક્ષો પાસે રહેશે. આ વખતે ભાજપે તેના સહયોગીઓની શરતો પર કામ કરવું પડશે જેના કારણે સરકાર માટે છેલ્લા 10 વર્ષના ટ્રેક પર કામ કરવું મુશ્કેલ બની શકે છે. આવી સ્થિતિમાં બજારના ઉછાળામાં નરમાઈ આવી શકે છે અથવા ઉછાળો વધુ વધી શકે છે.

સરકારી કંપનીઓમાં રોકાણ સમજદારીપૂર્વક કરવું જોઈએ

તે મુશ્કેલ છે કે સરકાર પહેલાની જેમ જ સુધારાઓ ચાલુ રાખે. બે-ત્રણ વર્ષમાં જોવામાં આવે તો સરકારી કંપનીઓના શેરે અનેક ગણું વળતર આપ્યું છે. હવે આમાં થોડો વિરામ આવી શકે છે. સરકારી કંપનીઓના શેર અત્યારે ઊંચા ભાવે છે. આવી સ્થિતિમાં જો તમે રોકાણ કરો છો તો આ શેરોથી થોડું અંતર રાખો અને રાહ જોવાની વ્યૂહરચના અપનાવો.

સારા શેરોમાં રોકાણ કરવાનું ચાલુ રાખી શકો છો

વિશ્લેષકો માને છે કે પાંચ વર્ષ માટે રાજકીય સ્થિરતાના સંકેત છે. છેલ્લા કેટલાક દિવસોના ઉતાર-ચઢાવ દર્શાવે છે કે શા માટે રોકાણકારોએ સારા સમયમાં રોકાણ કરવું જોઈએ અને ઈક્વિટીમાં રોકાણ વધારવા માટે મંદીનો લાભ લેવો જોઈએ. સરકારમાં ઘટક પક્ષોની ભાગીદારી સાથે કલ્યાણકારી યોજનાઓ પર ભાર મૂકવામાં આવશે. તેનાથી વપરાશ અને ગ્રામીણ માંગમાં વધારો થશે. આ કારણે એફએમસીજી વધુ સારું કરી રહ્યું છે.

મોટા ઘટાડા બાદ બજાર ફરી જૂના સ્તરે

3 જૂનના રોજ BSE સેન્સેક્સ 2,507 પોઈન્ટના વધારા સાથે 76,469ની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ બંધ થયો હતો જે 1 જૂનના રોજ મતદાનના છેલ્લા તબક્કા પછી આવેલા એક્ઝિટ પોલ્સ પર આધારિત હતો. તે દિવસે રોકાણકારોએ ભારે નફો કર્યો હતો. ચૂંટણીના પરિણામો બાદ સેન્સેક્સમાં 6,000 પોઈન્ટનો ઘટાડો થયો હતો, જેના કારણે રોકાણકારોને 45 લાખ કરોડ રૂપિયા સુધીનું નુકસાન થયું હતું. જો કે સાંજ સુધીમાં બજાર બંધ થતાં નુકસાન ઘટીને 31 લાખ કરોડ રૂપિયા થઈ ગયું હતું. જોકે, 3 જૂનથી અત્યાર સુધી બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. હવે નુકસાન લગભગ ભરપાઈ થઈ ગયું છે અને સેન્સેક્સ ફરીથી 77,000ને પાર કરી ગયો છે.૧૦ જૂને સેન્સેક્સ 77,079.04 ના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">