Commodity Market Today : ભારતે ચોખાની નિકાસ ઉપર લગાવી બ્રેક, જાણો નિર્ણયની શું પડશે અસર?

|

Jul 21, 2023 | 6:37 AM

Commodity Market Today :  કેન્દ્ર સરકારે નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ(Ban on export of non-basmati rice) મૂક્યો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને કારણે ઘણા દેશોમાં ચોખાનું સંકટ ઉભું થશે. ખાસ કરીને એવા દેશો કે જેઓ ચોખા માટે સીધા ભારત પર નિર્ભર છે.

Commodity Market Today : ભારતે ચોખાની નિકાસ ઉપર લગાવી બ્રેક, જાણો નિર્ણયની શું પડશે અસર?

Follow us on

Commodity Market Today :  કેન્દ્ર સરકારે નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ(Ban on export of non-basmati rice) મૂક્યો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને કારણે ઘણા દેશોમાં ચોખાનું સંકટ ઉભું થશે. ખાસ કરીને એવા દેશો કે જેઓ ચોખા માટે સીધા ભારત પર નિર્ભર છે. ભારત વિશ્વમાં સૌથી વધુ ચોખાની નિકાસ કરતો દેશ છે. અહીંથી યુરોપ, અમેરિકા અને આફ્રિકા તેમજ એશિયા ખંડ સહિતના અનેક દેશોમાં ચોખાની નિકાસ થાય છે.

નિષ્ણાતોનું કહેવું છે કે દેશમાં ખાદ્ય ચીજવસ્તુઓની વધતી કિંમતોને રોકવા માટે કેન્દ્ર સરકારે નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. કારણ કે દેશના મોટાભાગના લોકોનો ખોરાક માત્ર ચોખા છે. ખાસ વાત એ છે કે ભારતીય લોકો નોન-બાસમતી ચોખાનું સૌથી વધુ સેવન કરે છે. જો નોન-બાસમતી ચોખાની નિકાસ ચાલુ રહી હોત તો તેના ભાવ વધી શક્યા હોત. આવી સ્થિતિમાં સામાન્ય જનતાનું પેટ ભરવું મુશ્કેલ બની જશે. આ જ કારણ છે કે કેન્દ્ર સરકારે નોન-બાસમતી ચોખા પર થોડા દિવસો માટે પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.

નેપાળ સહીત આ દેશોને સૌથી વધુ અસર થશે

મોટાભાગના નોન-બાસમતી ચોખા ભારતમાંથી નેપાળ, કેમરૂન, ફિલિપાઈન્સ અને ચીન સહિતના ઘણા દેશોમાં નિકાસ કરવામાં આવે છે. જો આ પ્રતિબંધ લાંબા સમય સુધી રહેશે તો આ દેશોમાં ચોખાની અછત સર્જાઈ શકે છે. ખાસ કરીને નેપાળને સૌથી વધુ અસર થશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

તૂટેલા ચોખાની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો

એવું કહેવામાં આવી રહ્યું છે કે નોન-બાસમતી ચોખા પર પ્રતિબંધને કારણે ભારતમાંથી નિકાસ કરવામાં આવતા લગભગ 80 ટકા ચોખાને અસર થશે. જો કે કેન્દ્ર સરકારના આ પગલાથી છૂટક બજારમાં ચોખાના ભાવમાં ઘટાડો થઈ શકે છે.

દૂધના ભાવમાં પ્રતિ લિટર 3 રૂપિયાનો વધારો થઈ શકે છે

ખેડૂતો ડેરી કંપનીઓને મોંઘા ભાવે દૂધ વેચી રહ્યા છે. આ જ કારણ છે કે ઉંચી કિંમતના કારણે ડેરી કંપનીઓ પણ દૂધનું પ્રોસેસિંગ અને પેકેજિંગ કર્યા પછી મોંઘા ભાવે દૂધ વેચી રહી છે. છેલ્લા દોઢ વર્ષથી ઘણા રાજ્યોમાં લાખો પશુઓને વાયરસનો ચેપ લાગ્યો હતો. જેના કારણે હજારો દૂધાળા પશુઓના મોત થયા હતા. ઉપરાંત, વાયરસથી સંક્રમિત પશુઓએ સમય પહેલા દૂધ આપવાનું બંધ કરી દીધું છે. જેના કારણે અચનાક દૂધના ઉત્પાદનમાં ઘટાડો થતાં ભાવમાં વધારો થયો છે. આ ઉપરાંત કમોસમી વરસાદના કારણે પાક બરબાદ થયો હતો. તેના કારણે ઘાસચારો પણ મોંઘો થયો છે. તેની અસર દૂધના ભાવ પર પણ પડી છે.

MCX માં સોના – ચાંદીનો છેલ્લો બંધ ભાવ ( 20/7/2023, 23:29)

  • Gold : 59557.00 -233.00 (-0.39%)
  • Silver : 75425.00 -984.00 (-1.29%)
Next Article