AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : GST ઘટાડા બાદ ગુજરાતમાં દૂધના ભાવમાં ફેરફાર અંગે અમૂલના MD નું સૌથી મોટું નિવેદન, જાણો

અમુલના MD નું નિવેદન સામે આવ્યું છે કે, અમુલ પેકેજ્ડ પાઉચ દૂધના ભાવમાં કોઈ ફેરફાર નહીં કરે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) ના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા કહ્યું છે કે તાજા પાઉચ દૂધના ભાવમાં કોઈ ફેરફાર પ્રસ્તાવિત નથી. આ સાથે તેમણે કારણ પણ જણાવ્યું હતું.

Breaking News : GST ઘટાડા બાદ ગુજરાતમાં દૂધના ભાવમાં ફેરફાર અંગે અમૂલના MD નું સૌથી મોટું નિવેદન, જાણો
| Updated on: Sep 11, 2025 | 12:57 PM
Share

અમૂલે 22 સપ્ટેમ્બરથી અમલમાં આવનાર GST 2.0 સુધારા અંગે મોટી સ્પષ્ટતા આપી છે. કંપનીએ કહ્યું છે કે પેકેજ્ડ પાઉચ દૂધના ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં. અમૂલે કહ્યું કે પાઉચ દૂધ પર હંમેશા શૂન્ય ટકા GST રહ્યો છે. તેથી, તેમાં કોઈ ઘટાડો કે વધારો થવાનો કોઈ પ્રશ્ન જ નથી.

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) ના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “તાજા પાઉચ દૂધના ભાવમાં કોઈ ફેરફારનો પ્રસ્તાવ નથી. કારણ કે તેના પર ક્યારેય GST લાગ્યો નથી. તે હંમેશા શૂન્ય ટકા ટેક્સના દાયરામાં રહ્યું છે.” ફક્ત UTH દૂધ સસ્તું થશે આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે પાઉચ દૂધ પ્રતિ લિટર 3 થી 4 રૂપિયા સસ્તું થઈ શકે છે.

22 સપ્ટેમ્બરથી સંપૂર્ણપણે GST નાબૂદ

હાલમાં, મહેતાએ આ અહેવાલો અંગે કહ્યું છે કે ફક્ત લાંબા ગાળાના UTH (UTH- અલ્ટ્રા હાઇ ટેમ્પરેચર પ્રોસેસિંગ) દૂધ સસ્તું થશે. અત્યાર સુધી તેના પર 5% GST લાગતો હતો, જે હવે 22 સપ્ટેમ્બરથી સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે. નાણામંત્રીએ GSTમાં સુધારાની જાહેરાત કરી હતી.

3 સપ્ટેમ્બરના રોજ, નાણામંત્રી નિર્મલા સીતારમણે GST કાઉન્સિલની બેઠકમાં GST દરોમાં સુધારાની જાહેરાત કરી હતી. તેને ‘નેક્સ્ટ-જનરેશન GST રિફોર્મ’ તરીકે વર્ણવવામાં આવ્યું હતું. 56મી GST કાઉન્સિલની બેઠકમાં, 12% અને 28% સ્લેબને ફક્ત બે દરોમાં મર્જ કરવામાં આવ્યા હતા – 5% અને 18%.

પનીર, ચીઝ, ઘી, માખણ, પીણાં અને આઈસ્ક્રીમ જેવા ઉત્પાદનો પરના કરમાં ઘટાડો

અમૂલ અને મધર ડેરી જેવી દૂધ સહકારી સંસ્થાઓએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે પનીર, ચીઝ, ઘી, માખણ, પીણાં અને આઈસ્ક્રીમ જેવા ઉત્પાદનો પરના કરમાં ઘટાડો કરવાથી વપરાશ વધશે અને ખેડૂતોને સીધો લાભ મળશે. “આ પગલું ગુજરાતના 36 લાખ ખેડૂત પરિવારો અને દેશભરના 10 કરોડ ડેરી ખેડૂતો માટે મોટી રાહત છે.”

ગ્રાહકો માટે સારા સમાચાર, હોન્ડા કાર થઈ ગઈ સસ્તી, તહેવારોની સિઝનમાં મળી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ

આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
g clip-path="url(#clip0_868_265)">