આ વર્ષના અંત સુધીમાં શરૂ થશે તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ, મંત્રાલયે કહ્યું સામાન્ય થશે ઉડાન સેવા

હાલમાં જ નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે સરકાર આંતરરાષ્ટ્રીય મુસાફરીનું સંચાલન ફરીથી નોર્મલ કરવા ઈચ્છે છે અને આ અંતર્ગત આગળની પ્રક્રિયાનું મૂલ્યાંકન પણ કરવામાં આવી રહ્યું છે. નિષ્ણાતો હજુ પણ માને છે કે ભારતના ઉડ્ડયન ઉદ્યોગની સ્થિતિ હજુ પણ યોગ્ય નથી.

આ વર્ષના અંત સુધીમાં શરૂ થશે તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ, મંત્રાલયે કહ્યું સામાન્ય થશે ઉડાન સેવા
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2021 | 5:20 PM

કોરોના મહામારી (Corona Virus)ના કારણે છેલ્લા ઘણા સમયથી સ્થગિત નિયમિત આંતરરાષ્ટ્રીય ઉડાનો (Regular International Flights) ફરી શરૂ કરવામાં આવશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય (Ministry Of Civil Aviation) બુધવારે કહ્યું કે ભારતથી નિયમિત આંતરરાષ્ટ્રીય ઉડાનો આ વર્ષના અંતમાં ફરીથી શરૂ કરવામાં આવશે. હાલમાં વંદે ભારત મિશન હેઠળ ફ્લાઈટ્સની અવરજવર ચાલી રહી છે. ત્યારે આ વર્ષના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ સર્વિસ સામાન્ય થવાની આશા છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવ રાજીવ બંસલે આ વિશે જાણકારી આપતા કહ્યું કે રેગ્યુલર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ઝડપી જ શરૂ થઈ શકે છે. આશા છે કે આ વર્ષના અંત સુધીમાં ફરીથી સેવા શરૂ કરવામાં આવે. કોરોના રોગચાળા બાદ ગયા વર્ષે માર્ચમાં ભારત આવવા જવા આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ સ્થગિત કરવામાં આવી હતી. આ સસ્પેન્શન આ વર્ષે 30 નવેમ્બર સુધી લંબાવવામાં આવ્યું હતું.

જ્યોતિરાદિત્ય સિંધિયાએ શું કહ્યું હતું?

હાલમાં જ નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે સરકાર આંતરરાષ્ટ્રીય મુસાફરીનું સંચાલન ફરીથી નોર્મલ કરવા ઈચ્છે છે અને આ અંતર્ગત આગળની પ્રક્રિયાનું મૂલ્યાંકન પણ કરવામાં આવી રહ્યું છે. નિષ્ણાતો હજુ પણ માને છે કે ભારતના ઉડ્ડયન ઉદ્યોગની સ્થિતિ હજુ પણ યોગ્ય નથી.

એર વિસ્તારાએ આ મહિનાની શરૂઆતમાં જણાવ્યું હતું કે ભારતમાં અને ત્યાંથી સુનિશ્ચિત આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સનું લાંબા સમય સુધી સસ્પેન્શન મોટાભાગની એરલાઈન્સની નાણાકીય સંભાવનાઓને અસર કરી રહ્યું છે. વિસ્તારાના સીઈઓ વિનોદ કન્નને જણાવ્યું હતું કે સુનિશ્ચિત આંતરરાષ્ટ્રીય કામગીરીના લાંબા સમય સુધી સસ્પેન્શન ચોક્કસપણે મોટાભાગની એરલાઈન્સના નાણાકીય સ્વાસ્થ્યને અસર કરી રહ્યું છે, જેનાથી આવક પર દબાણ પડે છે.

ભારતનો 28 દેશ સાથે એર બબલ કરાર

હાલ ભારતે અમેરિકા, બ્રિટેન, યુએઈ, કેન્યા, ભૂટાન અને ફ્રાંસ સહિત લગભગ 28 દેશની સાથે એર બબલ કરાર કર્યો છે. એર બબલ કરાર હેઠળ બે દેશની વચ્ચે વિશેષ પ્રતિબંધોની સાથે તેમની એરલાઈન્સ તરફથી સ્પેશિયલ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ચલાવવામાં આવી શકે છે.

આ પણ વાંચો: Delhi : કેજરીવાલ સરકારની મોટી જાહેરાત, દિલ્હીના તમામ વડીલોને મફત અયોધ્યા યાત્રા કરાવશે સરકાર

આ પણ વાંચો: કૃષિ કાયદાને પરત કરવાના પ્રસ્તાવને મળી કેબિનેટની મંજૂરી, હવે સંસદમાં રજુ કરવામાં આવશે બીલ

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">