કૃષિ કાયદાને પરત કરવાના પ્રસ્તાવને મળી કેબિનેટની મંજૂરી, હવે સંસદમાં રજુ કરવામાં આવશે બીલ

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કેબિનેટે ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવાની ઔપચારિકતાઓ પૂર્ણ કરી છે. સંસદના આગામી સત્ર દરમિયાન આ ત્રણેય કાયદાઓ પાછા ખેંચવાની અમારી પ્રાથમિકતા રહેશે.

કૃષિ કાયદાને પરત કરવાના પ્રસ્તાવને મળી કેબિનેટની મંજૂરી, હવે સંસદમાં રજુ કરવામાં આવશે બીલ
Cabinet meeting(File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2021 | 3:56 PM

દિલ્હી(Delhi)માં કેન્દ્રીય કેબિનેટ(Central cabinet)ની બેઠકમાં કૃષિ કાયદા(Agricultural laws)ને પાછો ખેંચવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. બુધવારે દિલ્હીમાં 7 લોક કલ્યાણ માર્ગ પર મળેલી કેબિનેટની આ બેઠકમાં કૃષિ કાયદાને રદ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં લગભગ 40 ખેડૂત સંગઠનો(Farmer Association) છેલ્લા એક વર્ષથી દિલ્હીની સરહદ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કેબિનેટે ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવાની ઔપચારિકતાઓ પૂર્ણ કરી છે. સંસદના આગામી સત્ર દરમિયાન આ ત્રણેય કાયદાઓ પાછા ખેંચવાની અમારી પ્રાથમિકતા રહેશે.

ઔપચારિકતા પૂર્ણ કરાઇ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસો પહેલા રાષ્ટ્રને સંબોધનમાં ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાના નિર્ણયની જાહેરાત કરી હતી. જે અનુસાર કેબિનેટમાં ત્રણે કૃષિ બીલને પરત ખેંચવાની ઔપચારિકતા પૂર્ણ કરવામાં આવી છે. હવે સંસદમાં આ કાયદો પરત લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે,

લોકસભા સચિવાલયના બુલેટિન અનુસાર, 29 નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર દરમિયાન ત્રણ કૃષિ કાયદાઓને રદ્દ કરવા સંબંધિત બિલો રજૂ કરાશે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

બિલ કાયદા મંત્રાલયને મોકલાશે 29 નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રમાં સરકાર આ બિલને પાછું ખેંચવા માટે બિલ રજૂ કરશે. બિલ લાવતા પહેલા કૃષિ મંત્રાલય સંસદમાં ત્રણ કૃષિ કાયદાઓને પાછું ખેંચવા સંબંધિત પ્રસ્તાવ તૈયાર કરીને કાયદા મંત્રાલયને મોકલશે.

અવરોધ વિના મળી શકે છે મંજુરી કાયદા મંત્રાલય આ પ્રસ્તાવની કાનૂની માન્યતાની તપાસ કરશે. જો કે, સરકારની સંમતિને કારણે, આ ખરડાને પરત ખેંચી લેવા માટે કાયદા મંત્રાલય દ્વારા કોઈપણ અવરોધ વિના મંજૂરી આપવામાં આવશે. આ પછી, કૃષિ મંત્રાલય ડ્રાફ્ટના આધારે બિલ તૈયાર કરશે અને તેને સંસદમાં રજૂ કરશે. આ પછી, બિલ પરત કરવા પર ચર્ચા, ચર્ચા અને મતદાન થશે. લોકસભાના વોટિંગમાં બે તૃતિયાંશ બહુમતી મળ્યા બાદ તેને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે અને ત્યાં પણ બિલ પાસ થયા બાદ તેને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે.

બે તૃતીયાંશ બહુમતી જરૂરી રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આ કાયદો રદ્દ થઈ જશે. તમને જણાવી દઈએ કે જો કાયદો બંધારણીય સુધારો છે, તો તેના માટે બે તૃતીયાંશ બહુમતી જરૂરી છે અને રદ્દ કરાયેલા બિલ માટે સમાન બે તૃતીયાંશ બહુમતીની જરૂર પડશે.

ખેડૂતો માગ પર અડગ મહત્વનું છે કે 19 નવેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાત કરી હતી. આ સાથે તેમણે મહિનાઓથી આંદોલન કરી રહેલા ખેડૂતોને ઘરે પરત ફરવાની અપીલ પણ કરી હતી. જો કે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું છે કે જો સરકારે જાહેરાત કરી હોય તો તેઓ પ્રસ્તાવ લાવી શકે છે, પરંતુ MSP અને 700 ખેડૂતોના મોત એ પણ અમારો મુદ્દો છે. સરકારે પણ આ અંગે વાત કરવી જોઈએ. જો સરકાર 26 જાન્યુઆરી પહેલા સંમત થશે તો અમે નીકળી જઈશું. ચૂંટણીની આચારસંહિતા લાગુ થયા બાદ ચૂંટણી વિશે જણાવીશું.

લગભગ એક વર્ષથી વિરોધ કરી રહેલા ખેડૂતોના સંગઠનોની મુખ્ય માગ આ ત્રણ કાયદાને રદ કરવાની છે. જ્યારે સરકારે આ કાયદાઓને ખેડૂતોની આવક વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું, ત્યારે ખેડૂતોએ કહ્યું હતું કે આ કાયદાઓ તેમને કોર્પોરેટ ગૃહો પર નિર્ભર બનાવશે.

આ પણ વાંચો : Rajasthan Corona Alert: 22 દિવસમાં 19 બાળક કોરોના પોઝિટિવ, આરોગ્ય મંત્રીએ કહ્યું કેન્દ્રના નિયમો અનુસાર છૂટછાટ આપવામાં આવી, ભાજપે સાધ્યુ નિશાન

આ પણ વાંચો : Viral Video : લો બોલો ! પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યુ, ‘ગાર્લિક એટલે આદુ’, સોશિયલ મીડિયા પર મંત્રીની ઉડી મજાક

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">