Aadhaar- PAN Linking : છેલ્લી તારીખનો ઇંતેજાર ન કરી ફટાફટ પતાવી લો આ કામ, સમય મર્યાદા ચૂકશો તો મુશ્કેલીમાં પડશો

જો તમે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી છેલ્લી તારીખ સુધી તમારા આધાર અને PANને લિંક નથી કરાવતા તો તમારે આ માટે 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે. બીજી તરફ જેમણે 31 માર્ચ 2022 સુધીમાં પાન કાર્ડને આધાર સાથે લિંક કર્યું નથી તેમનું પાન કાર્ડ 1 એપ્રિલ 2022થી નિષ્ક્રિય થઈ જશે.

Aadhaar- PAN Linking : છેલ્લી તારીખનો ઇંતેજાર ન કરી ફટાફટ પતાવી લો આ કામ, સમય મર્યાદા ચૂકશો તો મુશ્કેલીમાં  પડશો
Aadhaar Card (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2021 | 8:10 AM

આધાર અને પાન કાર્ડ હવે દરેક સામાન્ય વ્યક્તિ માટે જરૂરી દસ્તાવેજ બની ગયા છે. સરકારના નિયમ મુજબ આ દસ્તાવેજોને એકબીજા સાથે લિંક કરવા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે એટલા માટે જરૂરી છે કે આવકવેરા રિટર્ન (ITR) ભરવાથી લઈને મોટા બેંકિંગ વ્યવહારો માટે દરેક વ્યક્તિ પાસે પાન કાર્ડ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

બીજી તરફ જો કોઈ કામ ફાઇનાન્સ સાથે સંબંધિત છે તો તેના માટે PAN પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં આવકવેરા વિભાગે આધાર અને પાન કાર્ડ સંબંધિત અપડેટ જારી કર્યું છે.

છેલ્લી તારીખ 31 માર્ચ 2022 તમને જણાવી દઈએ કે આવકવેરા વિભાગે PAN ને આધાર સાથે લિંક કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2022 નક્કી કરી છે. જો તમારું PAN કાર્ડ- આધાર કાર્ડ આપેલ સમયમર્યાદા સુધી લિંક કરવામાં આવ્યું નથી તો તમારે તેના માટે ભારે દંડ ચૂકવવો પડી શકે છે. અમને જણાવો કે તમે તમારા આધાર કાર્ડને પાન કાર્ડ સાથે કેવી રીતે લિંક કરી શકો છો.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

જો તમે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી છેલ્લી તારીખ સુધી તમારા આધાર અને PANને લિંક નથી કરાવતા તો તમારે આ માટે 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે. બીજી તરફ જેમણે 31 માર્ચ 2022 સુધીમાં પાન કાર્ડને આધાર સાથે લિંક કર્યું નથી તેમનું પાન કાર્ડ 1 એપ્રિલ 2022થી નિષ્ક્રિય થઈ જશે. એટલે કે તેઓ તેનો ઉપયોગ કરી શકશે નહીં.

વેબસાઇટ દ્વારા લિંક કેવી રીતે કરી શકાય ?

  • પ્રથમ ઇન્કમ ટેક્સની વેબસાઇટ પર જાઓ
  • આધાર કાર્ડમાં આપેલ નામ, પાન નંબર અને આધાર નંબર દાખલ કરો
  • આધારકાર્ડમાં જન્મના વર્ષનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે ટિક કરો
  • હવે કેપ્ચા કોડ દાખલ કરો
  •  હવે Link Aadhaar બટન પર ક્લિક કરો
  • તમારો પાન આધાર સાથે જોડવામાં આવશે.

SMS દ્વારા PANને આધાર સાથે જોડવાની રીત આ માટે તમારે તમારા ફોન પર UIDPAN ટાઇપ કરવું પડશે. આ પછી 12-અંકનો આધાર નંબર અને પછી 10-અંકનો પાન નંબર લખો. હવે step 1 માં ઉલ્લેખિત સંદેશને 567678 અથવા 56161 પર મોકલો.

Deactive PAN કેવી રીતે ઓપરેટીવ કરી શકાય નિષ્ક્રીય પાન કાર્ડ ઓપરેટિવ કરી શકાય છે. આ માટે તમારે એક SMS કરવો પડશે. તમારા રજિસ્ટર્ડ મોબાઈલમાંથી 12-અંકનો પાન નંબર દાખલ કર્યા પછી તમારે 10 અંકનો આધાર નંબર દાખલ કરવો પડશે અને મેસેજ 567678 અથવા 56161 પર મોકલવો પડશે.

આ પણ વાંચો :  SBI એ તેના કરોડો ગ્રાહકો અંગે જરૂરી સૂચના જારી કરી, સેવિંગ ખાતાના KYC ને લઈ શું કહ્યું બેંકે? જાણો વિગતવાર

આ પણ વાંચો : 23 વર્ષનો છોકરો પ્લાસ્ટિકના કચરામાંથી શૂઝ બનાવી રહ્યો છે! ઈમ્પ્રેસ થયેલા આનંદ મહિન્દ્રા ફંડિંગ માટે બતાવી આતુરતા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">