AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI એ તેના કરોડો ગ્રાહકો અંગે જરૂરી સૂચના જારી કરી, સેવિંગ ખાતાના KYC ને લઈ શું કહ્યું બેંકે? જાણો વિગતવાર

જો તમે પણ KYC અપડેટ કરવા માંગો છો અને કોઈ કારણસર તમે હોમ બ્રાન્ચમાં જઈને આ કામ પૂર્ણ કરી શકતા નથી, તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે તમે હોમ બ્રાન્ચની મુલાકાત લીધા વિના પણ આ પરિપૂર્ણ કરી શકો છો.

SBI એ તેના કરોડો ગ્રાહકો અંગે જરૂરી સૂચના જારી કરી, સેવિંગ ખાતાના KYC ને લઈ શું કહ્યું બેંકે?  જાણો વિગતવાર
State Bank of India - SBI
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2021 | 7:53 AM
Share

SBI KYC UPDATE: KYC અપડેટ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે જો તમે સમયસર KYC અપડેટ નહીં કરો, તો આ સ્થિતિમાં બેંક સાથેના તમારા વ્યવહારો બંધ થઈ શકે છે. વાસ્તવમાં તે ગ્રાહક માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે KYC દ્વારા બેંકને તેના ગ્રાહકને જાણવાની તક મળે છે. આવી સ્થિતિમાં જ્યારે ગ્રાહક KYC અપડેટ કરે છે ત્યારે વેરિફાઈડ થાય છે, ગ્રાહકના તમામ વ્યવહારો બેંકની નજર હેઠળ રહે છે.

જો તમે પણ KYC અપડેટ કરવા માંગો છો અને કોઈ કારણસર તમે હોમ બ્રાન્ચમાં જઈને આ કામ પૂર્ણ કરી શકતા નથી, તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે તમે હોમ બ્રાન્ચની મુલાકાત લીધા વિના પણ આ પરિપૂર્ણ કરી શકો છો. તેમજ KYC ઓનલાઈન પણ અપડેટ કરી શકાય છે. આ માટે SBIએ ગ્રાહકોને જણાવ્યું છે કે KYC કેવી રીતે અપડેટ કરવું.

ગ્રાહકે ટ્વિટ કરીને SBI પાસે મદદ માંગી હાલમાં જ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના એક ગ્રાહકે ટ્વિટ કરીને બેંક પાસે મદદ માંગી હતી. ગ્રાહકે ટ્વીટ કરીને લખ્યું કે હું SBIનો ગ્રાહક છું અને કેટલાક કારણોસર KYC અપડેટ માટે બેંકની હોમ બ્રાન્ચમાં જઈ શકતો નથી. તો હોમ બ્રાન્ચની મુલાકાત લીધા વિના કેવાયસી કેવી રીતે અપડેટ કરી શકાય? જેથી કરીને કોઈપણ સમસ્યા વિના તમારી બેંકિંગ સેવાનો ઉપયોગ કરી શકાય. SBIએ પણ ટ્વીટ કરીને ગ્રાહકના આ સવાલનો જવાબ આપ્યો છે.

હોમ બ્રાન્ચની મુલાકાત લીધા વગર KYC અપડેટ કરી શકાય છે બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગ્રાહકો આ પ્રક્રિયાને અનુસર્યા પછી પણ KYC અપડેટ કરી શકે છે.

  • ગ્રાહકોએ તેમના KYC દસ્તાવેજો સાથે SBIની કોઈપણ શાખાની મુલાકાત લેવી જોઈએ
  • SBIની કોઈપણ શાખામાં જઈને KYC અપડેટ કરવામાં આવશે
  • ગ્રાહકો KYC અપડેટ માટે તેમની અરજી ઈમેલ અથવા પોસ્ટ દ્વારા પણ મોકલી શકે છે
  • ગ્રાહકો હોમ બ્રાન્ચની મુલાકાત લીધા વિના પણ KYC અપડેટ કરી શકે છે
  • તમે SBIની જે પણ બ્રાન્ચમાં જાઓ ત્યારે KYC ના અસલ દસ્તાવેજો તમારી પાસે રાખો.

કયા દસ્તાવેજોની જરૂર પડશે?

  • આધાર કાર્ડ
  • પાસપોર્ટ
  • મતદાર ઓળખ કાર્ડ
  • ડ્રાઈવિંગ લાઇસન્સ
  • પેન્શન પેમેન્ટ ઓર્ડર

SBI એ ટ્વીટ કરીને તેના ગ્રાહકના પ્રશ્નનો જવાબ આપ્યો છે જેથી ગ્રાહકો તેમની નજીકની SBI શાખામાંથી તેમના કામનો સરળતાથી વ્યવહાર કરી શકે. તમને જણાવી દઈએ કે, KYC અપડેટ કર્યા પછી કોઈ તમારા બેંક ખાતાનો દુરુપયોગ કરી શકશે નહીં.

આ પણ વાંચો : 23 વર્ષનો છોકરો પ્લાસ્ટિકના કચરામાંથી શૂઝ બનાવી રહ્યો છે! ઈમ્પ્રેસ થયેલા આનંદ મહિન્દ્રા ફંડિંગ માટે બતાવી આતુરતા

આ પણ વાંચો : Stock Market: બજારમાં સતત ત્રીજા દિવસે પણ મંદી, Paytm માં રોકાણકારોનું 35,000 કરોડ રૂપિયાનું નુકશાન

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">