AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar-PAN Link : આ લોકો માટે આધાર – પાન લિંકિંગ જરૂરી નહિ, જાણો શું છે નિયમ

જ્યાં સુધી તમારું PAN કાર્ડ આધાર સાથે લિંક નહીં થાય ત્યાં સુધી PAN નકામું રહેશે. જો PAN અમાન્ય બને છે તો TDS અથવા TCS પર વધુ પૈસા કાપવામાં આવશે. અન્ય ઘણી સમસ્યાઓ હોઈ શકે છે

Aadhaar-PAN Link : આ લોકો માટે આધાર - પાન લિંકિંગ જરૂરી નહિ, જાણો શું છે નિયમ
Aadhaar-PAN Linking
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2022 | 9:50 AM
Share

પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક (Aadhaar-PAN Link)કરવાની છેલ્લી તારીખ (Aadhaar pan link deadline) 31 માર્ચ છે. સરકારે આ માટે સમય મર્યાદા આપી છે. તેથી આગામી રાહતની રાહ જોયા વિના બંને દસ્તાવેજ લિંક કરો નહીંતર તમારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે. આવકવેરા અધિનિયમ 1961 ની કલમ 139AA મુજબ દરેક આધાર અને PAN ધરાવનાર વ્યક્તિએ લિંક કરવા માટે 31 માર્ચ, 2022 સુધીમાં તેના આધારને તેના PAN સાથે લિંક કરવું પડશે. જો આમ ન કરવામાં આવે તો ઘણી સમસ્યાઓ થશે જેના કારણે તમારા નાણાકીય વ્યવહારો પર અસર પડશે. એટલું જ નહીં તમારું PAN નકામું થઈ જશે અને જ્યારે તમે આગલી વખતે તેનો ઉપયોગ કરશો તો તમારે દંડ ભરવો પડશે.

જ્યાં સુધી તમારું PAN કાર્ડ આધાર સાથે લિંક નહીં થાય ત્યાં સુધી PAN નકામું રહેશે. જો PAN અમાન્ય બને છે તો TDS અથવા TCS પર વધુ પૈસા કાપવામાં આવશે. અન્ય ઘણી સમસ્યાઓ હોઈ શકે છે જે નીચે જણાવવામાં આવી રહી છે.

  • 50,000 રૂપિયાથી વધુની FD લઈ શકશે નહીં
  • 50,000 થી વધુ રોકડ જમા કરાવી શકશે નહીં
  • નવું ડેબિટ કે ક્રેડિટ કાર્ડ મેળવી શકશે નહીં
  • મ્યુચ્યુઅલ ફંડ તેમાં રોકાણ કે રિડીમ કરી શકશે નહીં
  • 50,000 થી વધુ ખર્ચ કરીને કોઈપણ વિદેશી ચલણ ખરીદી શકશે નહીં

કોના માટે પાન-આધાર લિંક જરૂરી નથી

  • જેમની પાસે આધાર નંબર કે એનરોલમેન્ટ આઈડી નથી
  • આસામ, જમ્મુ અને કાશ્મીર અને મેઘાલયના રહેવાસીઓ માટે
  • આવકવેરા અધિનિયમ 1961 મુજબ બિન-નિવાસી
  • 80 વર્ષથી વધુ ઉંમરના અથવા 80 થી વધુ ઉંમરના વ્યક્તિ
  • જેઓ ભારતના નાગરિક નથી

જો લિંક હોય તો આ રીતે તપાસો

આ લિંક પર ક્લિક કરો https://www.pan.utiitsl.com/panaadhaarlink/forms/pan.html/panaadhaar

PAN અને જન્મ તારીખ દાખલ કરો

  • કેપ્ચા દાખલ કરો અને ‘સબમિટ’ પર ક્લિક કરો
  • લિંકિંગ સ્ટેટસ આગલી સ્ક્રીનમાં દેખાશે

અન્ય કોઈ દસ્તાવેજોની જરૂર છે?

ના, આ માટે તમારે ફક્ત તમારા આધાર નંબર અને PANની જરૂર પડશે. જો કે, લિંકિંગ સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે કે કેમ તે નિર્ધારિત કરવા માટે બંને દસ્તાવેજો પરની વ્યક્તિગત માહિતી મેળ ખાતી હોવી જોઈએ.

લિંકિંગ ક્યારે નહીં થાય?

જો નામ, જન્મ તારીખ, લિંગ વગેરે સહિતની કોઈપણ વ્યક્તિગત માહિતી મેળ ખાતી નથી તો સીડીંગ અથવા લિંક કરવાની પ્રક્રિયા સફળ થશે નહીં અને પોર્ટલ પર ‘આઇડેન્ટિટી ડેટા મિસમેચ’નો સંદેશ જનરેટ થશે. આવા કિસ્સાઓમાં, તમારે ડેટાબેઝની કોઈપણ ખામીઓ શોધવાની અને લિંકિંગ પ્રક્રિયા સાથે આગળ વધવા માટે તેને ઠીક કરવાની જરૂર પડશે.

ઑફલાઇન કેવી રીતે લિંક કરવું

તમે આધાર અને PAN ને ઑફલાઇન લિંક કરી શકો છો. આધાર સાથે નોંધાયેલ તમારા મોબાઈલથી કોઈપણ PAN ઈશ્યુ કરનાર એજન્સી (NSDL અથવા UTIITSL) ને 567678 અથવા 56161 પર SMS મોકલો. તમારા SMSમાં આ ફોર્મેટનો ઉપયોગ કરો: UIDPAN <12-અંકનો આધાર> <10-અંકનો PAN>. ખાતરી કરો કે UIDPAN, તમારો આધાર નંબર અને તમારા PAN વચ્ચે અંતર છે.

આ પણ વાંચો : MONEY9: સોનામાં રોકાણ કરો પરંતુ ઘરેણામાં નહીં !

આ પણ વાંચો : GST ચોરી મામલે 11 ક્રિપ્ટો એક્સચેન્જ પર સરકારની મોટી કાર્યવાહી, વસૂલ્યા 96.86 કરોડ રૂપિયા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">