Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા મળશે? બજેટમાં મોટી જાહેરાતની અપેક્ષા

Budget 2024 : કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ આ મહિને રજૂ થનાર બજેટની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2024-25 માટે શું મહત્વની જાહેરાત કરશે તેના પર સમગ્ર દેશવાસીઓની નજર ટકેલી છે.

Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા મળશે? બજેટમાં મોટી જાહેરાતની અપેક્ષા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2024 | 7:31 AM

Budget 2024 : કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ આ મહિને રજૂ થનાર બજેટની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2024-25 માટે ઘણી મહત્વની જાહેરાત કરશે તેવી અપેક્ષા છે . સરકારની યોજાયો પાર  સમગ્ર દેશવાસીઓની નજર ટકેલી છે.

ભારત ભાઈ પટેલ જે ભરૂચ જિલ્લાના ખેડૂત છે તેમને પણ બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. તે ઈચ્છે છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો વધારવો જોઈએ. હાલમાં તેમને વાર્ષિક 6000 રૂપિયા મળી રહ્યા છે. સરકારે તેને વધારીને 10,000 રૂપિયા કરવા જોઈએ, તેનાથી તેમને મદદ મળશે. ભરતભાઈની જેમ દેશમાં એવા ઘણા ખેડૂતો છે જેઓ આ બજેટને લઈને નાણામંત્રી પાસેથી ઘણી અપેક્ષાઓ રાખી રહ્યા છે.

પીએમ કિસાન યોજનાનો વ્યાપ વધારવો જોઈએ

નવસારીના ભુરાભાઇ ગામીત કહે છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વ્યાપ વધારવો જોઈએ. હપ્તાની રકમ વધારવાની જરૂર છે. તેનાથી ખેડૂતોને ખેતી સંબંધિત વસ્તુઓ ખરીદવામાં મદદ મળશે. આ ઉપરાંત, પાત્રતાના માપદંડોમાં વધુ સુધારો કરવો જોઈએ જેથી કરીને આવા ખેડૂતોને મદદ કરી શકાય જેઓ માત્ર ખેતી દ્વારા જ પોતાનું જીવનનિર્વાહ કમાય છે. તમને જણાવી દઈએ કે આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2019માં ખેડૂતોની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે શરૂ કરવામાં આવી હતી. ત્રીજી વખત પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદીએ પાત્ર ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો જાહેર કર્યો હતો.

મીઠો લીમડો કઇ બીમારીમાં ઉપયોગી છે?
હાર્દિક સાથે છૂટાછેડાની ચર્ચા વચ્ચે નતાશા ભાભી થયા ગુસ્સે ! વીડિયો થયો વાયરલ
વરસાદમાં ભીના થયા પછી આંખોમાં થાય છે બળતરા, જાણો ઘરેલુ ઉપચાર
Travel Tips : કોઈ ફરવા માટે તૈયાર નથી તો એકલા આ સ્થળોની મુલાકાત લઈ આવો
ડાન્સ ફ્લોર પર મુકેશ અંબાણીનો અલગ અંદાજ, જમાઈ આનંદને ગળે લગાવ્યા...સાથે કર્યો ડાન્સ
કાવ્યા મારનના જાબાઝે કર્યો મોટો કમાલ, તોડ્યો 14 વર્ષ જૂનો રેકોર્ડ

 ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સબસીડી આપવાની માંગ

ખેડૂતો અનુસાર હજુ પણ ઘણી એવી યોજનાઓ છે જેનો સીધો લાભ ખેડૂતો સુધી પહોંચતો નથી. ખેડૂતયુ જણાવે છે કે વચેટિયાઓના વર્ચસ્વને કારણે ખેડૂતોને તેમની મહેનત પ્રમાણે યોગ્ય પૈસા મળતા નથી. સબસિડી DBT હેઠળ આવે તેવી માંગ છે.

સસ્તા દરે લોનની અપેક્ષા

અન્ય ઘણા ખેડૂતો કહે છે કે તેમની આર્થિક સ્થિતિ સુધારવા માટે વ્યાજબી દરે લોન આપવી જોઈએ. ઉપરાંત, સરકારે એવી વ્યવસ્થા કરવી જોઈએ કે જેમાં તેઓ કોઈપણ શરત વિના સરળતાથી લોન લઈ શકે અને તેમને તેની ચૂકવણી કરવા માટે પૂરતો સમય મળી શકે. આ સિવાય સરકારે કૌશલ્ય વિકાસ કાર્યક્રમ માટે સમયાંતરે મફત તાલીમ આપવી જોઈએ.

Latest News Updates

અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
g clip-path="url(#clip0_868_265)">