Ganesh Chaturthi: એ મંદિર જ્યાં સૂંઢ વગર બિરાજમાન છે ગણેશ, ભક્તો ચિઠ્ઠી લખી જણાવે છે સમસ્યા

|

Sep 09, 2024 | 6:57 PM

ભારતમાં એવા ઘણા ભગવાન છે જેમના દેશભરમાં અલગ-અલગ મંદિરો છે અને આ મંદિરો અલગ-અલગ કારણોસર ખૂબ જ લોકપ્રિય છે. ઘણા મંદિરો એટલા દુર્લભ છે કે ઘણા લોકો તેમના વિશે જાણતા પણ નથી. અમે એક એવા મંદિર વિશે જણાવી રહ્યા છીએ જ્યાં ભગવાની મૂર્તિ સુંઢ વગરની છે.

Ganesh Chaturthi: એ મંદિર જ્યાં સૂંઢ વગર બિરાજમાન છે ગણેશ, ભક્તો ચિઠ્ઠી લખી જણાવે છે સમસ્યા
Ganesh Chaturthi

Follow us on

Ganesh Chaturthi 2024: આપણી હિન્દુ સંસ્કૃતિમાં ભગવાન ગણેશનું ઘણું મહત્વ છે. ભક્તો દેવી-દેવતાઓની પૂજા કરે છે અને સારા જીવન માટે પ્રાર્થના કરે છે. હાલમાં ગણેશ ચતુર્થીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ 10 દિવસ સુધી ચાલે છે. આ સમય દરમિયાન લોકો પોતાના ઘરે બાપ્પાની મૂર્તિ લાવે છે. તેઓ તેમની પૂજા કરે છે અને પછી તેમનું વિસર્જન છે. દર વર્ષે ભારતમાં આ તહેવાર નિમિત્તે એક અલગ જ ઉજવણી કરવામાં આવે છે. હિંદુ ધર્મમાં ભગવાન ગણેશનું સ્થાન સર્વોચ્ચ છે. કોઈપણ કાર્ય શરૂ કરતા પહેલા બાપ્પાને યાદ કરવામાં આવે છે. દેશભરમાં ભગવાન ગણેશના અનેક મંદિરો છે. પરંતુ કેટલાક મંદિરો એવા છે જે દુર્લભ છે. તેઓ વિશેષ મહત્વ ધરાવે છે અને લાખો ભક્તો દર્શન માટે આ મંદિરોની મુલાકાત લે છે. આવા જ એક ગણેશ મંદિર વિશે આજે અમે તમને જણાવીશું.

આ મંદિર ઘણા કારણોસર ખાસ છે. આ મંદિરમાં ભગવાન ગણેશની મૂર્તિ પણ એકદમ અનોખી છે. આ સિવાય આ મંદિરમાં ભગવાન ગણેશની પૂજા કરવાની રીત પણ થોડી અલગ છે. અમે તમને ભગવાન ગણેશના મંદિર વિશે જણાવી રહ્યા છીએ જ્યાં ભક્તો અલગ-અલગ રીત અપનાવીને પોતાની સમસ્યાઓ ભગવાન સુધી પહોંચાડે છે અને ભગવાન તેનો ઉકેલ પણ આપે છે. તો જો તમે પણ આ મંદિરની નજીક રહેતા હોવ તો તમે આ મંદિરની મુલાકાતે ચોક્કસ જઈ શકો છો.

કયું મંદિર છે

આ મંદિરને ગઢ ગણેશ મંદિર તરીકે ઓળખવામાં આવે છે અને તે ભગવાન ગણેશના સૌથી જૂના મંદિરોમાંનું એક છે. આ મંદિર રાજસ્થાનની રાજધાની જયપુરમાં આવેલું છે. તે નાહરગઢ અને જયગઢ કિલ્લાની નજીક સ્થિત છે. આ મંદિર લગભગ 300 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. એવું કહેવાય છે કે તેનું નિર્માણ સવાઈ જયસિંહે કરાવ્યું હતું અને તેમણે પ્રખ્યાત પંડિતોને પણ અહીં બોલાવ્યા હતા અને અશ્વમેધ યજ્ઞ કર્યો હતો. તેનું ચઢાણ લગભગ 500 મીટર લાંબુ છે. કુલ 365 પગથિયાં ચડ્યા બાદ ભક્તો આ મંદિરમાં બાપ્પાના દર્શન કરી શકશે. એવું કહેવાય છે કે વર્ષમાં જેટલા દિવસો હોય તેટલી સીડીઓ ચઢીને તમે ગઢમાં ભગવાન ગણેશના દર્શન કરી શકો છો. આ મંદિરમાં હજારો ભક્તો પૂજા માટે આવે છે.

આજનું રાશિફળ તારીખ : 19-09-2024
5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા

શા માટે આ મંદિર દુર્લભ છે?

આ મંદિર ઘણા કારણોસર પ્રખ્યાત છે. આ મંદિરમાં પથ્થરની બે ઉંદરની મૂર્તિઓ સ્થાપિત છે. ભક્તો આ બે ઉંદરો પાસે જાય છે અને તેમના જીવનની પીડા તેમના કાનમાં વ્યક્ત કરે છે. તે ઉંદરો ભગવાન ગણેશને ભક્તોની દુર્દશા જણાવે છે જેના પછી ભગવાન ગણેશ ભક્તોના દુઃખ દૂર કરે છે. આ ઉપરાંત આ મંદિર સુધી પહોંચવાની વચ્ચે એક શિવ મંદિર પણ છે. લોકો પહેલા આ મંદિરમાં રોકાય છે અને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે અને પછી મુખ્ય મંદિર પરિસરમાં પ્રવેશ કરે છે. આ ઉપરાંત એવી પણ માન્યતા છે કે આ મંદિરમાં બાપ્પાની પૂજા કરવાની રીત પણ એકદમ અલગ છે.

ભક્તો ભગવાનને પત્રો લખે છે

આ મંદિરમાં ભગવાન ગણેશની પૂજા દરમિયાન ભક્તો તેમને પત્ર લખીને પોતાની લાગણી વ્યક્ત કરે છે. ભક્તોનું માનવું છે કે આમ કરવાથી તેમનો સંદેશ ભગવાન સુધી પહોંચે છે અને ભગવાન તેમના ભક્તોના દુઃખ દૂર કરે છે. એવું માનવામાં આવે છે કે જો તમે 7 બુધવારે સતત ભગવાનના દર્શન કરો છો, તો તમને ઇચ્છિત પરિણામ મળે છે અને ભગવાન ગણેશ પણ તેનાથી ખૂબ જ પ્રસન્ન થાય છે.

Next Article