AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Positive Energy Plant : માં લક્ષ્મીને પ્રિય છે આ 6 છોડ, ઘરમાં લાવતા જ શરૂ થશે ધનલાભ?

વાસ્તુ શાસ્ત્રમાં, અમુક છોડ ઘરમાં રાખવાથી ધનલાભ થઈ શકે છે. આ છોડ ઘરમાં વાવવાથી ધન અને સમૃદ્ધિ જળવાઈ રહી શકે છે. આવા છોડ ઘરના વાતાવરણને શાંત અને આનંદમય બનાવવામાં મદદરૂપ બની શકે છે.

Positive Energy Plant : માં લક્ષ્મીને પ્રિય છે આ 6 છોડ, ઘરમાં લાવતા જ શરૂ થશે ધનલાભ?
Positive Energy PlantImage Credit source: Whisk
| Updated on: May 09, 2026 | 12:53 PM
Share

વાસ્તુ શાસ્ત્રમાં, કેટલાક છોડને શુભ માનવામાં આવેલું છે. તે છોડ યોગ્ય દિશામાં લગાવવાથી ઘરમાં ધન-દોલત અને સુખ-સમૃદ્ધિમાં વધારો થઈ શકે છે. હિંદુ ધાર્મિક માન્યતાઓ અનુસાર કેટલાક છોડને દેવી લક્ષ્મીજીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. માં લક્ષ્મીને આ છોડ ખૂબ પ્રિય હોય છે. યોગ્ય રીતે તેમને ઘરમાં રાખવાથી માત્ર ઘરની સુંદરતા જ નથી વધતી, પરંતુ આર્થિક મુશ્કેલીઓ પણ દૂર થઈ શકે છે.

અપરાજિતા

વાદળી ફૂલવાળી અપરાજિતાની વેલ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય હોય છે. ભગવાન વિષ્ણુને આ વાદળી વેલ પ્રિય હોવાથી તે દેવી લક્ષ્મીને પણ આકર્ષે છે. જે ઘરમાં અપરાજિતાનો છોડ વાવવામાં આવે છે તે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. તેને ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં લગાવવું જોઈએ, જેનાથી શુભ ફળ મળી શકે છે.

તુલસી

હિન્દુ ધર્મમાં, તુલસીને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવેલું છે. જે ઘરમાં તુલસીનો છોડ વાવવામાં આવે છે ત્યાં ક્યારેય નકારાત્મકતા પ્રવર્તતી નથી. તુલસીની દૈનિક પૂજા આર્થિક મુશ્કેલીઓને અટકાવે છે. ઘરનો ભંડાર હંમેશા ધનથી ભરેલો રહે છે. હંમેશા તુલસીનો છોડ ઘરના ઉત્તર કે ઉત્તર-પૂર્વ (ઈશાન ખૂણા) માં લગાવો જોઈએ.

મની પ્લાન્ટ

એવું કહેવાય છે કે ઘરમાં મની પ્લાન્ટ લગાવવાથી નાણાકીય લાભ મળી શકે છે. આ છોડ ધન આકર્ષે છે. વાસ્તુ અનુસાર, જેમ જેમ છોડ ઉપર તરફ વધે છે તેમ તેમ ઘરની સમૃદ્ધિ પણ વધી શકે છે. તેને ઘરના દક્ષિણ-પૂર્વ (અગ્નેય ખૂણા) માં લગાવવું સૌથી શુભ હોય છે. ખાતરી કરો કે મની પ્લાન્ટની વેલ ક્યારેય જમીનને સ્પર્શે નહીં.

શમીનો છોડ

માન્યતા અનુસાર, શમીનો છોડ શનિદેવ અને ભગવાન શિવને પ્રિય હોય છે. શમીનો છોડ ઘરના મુખ્ય દરવાજા પાસે લગાવવો જોઈએ. ઘરથી બહાર નીકળતા સમયે તે તમારા જમણા હાથ તરફ હોવો જોઈએ. માન્યતા છે કે શમીનો છોડ લગાવવાથી વેપારમાં આવતી અડચણો દૂર થઈ શકે છે અને નફો વધી શકે છે.

જેડ પ્લાન્ટ

તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વારની જમણી બાજુએ જેડ પ્લાન્ટ મૂકવો જોઈએ. આ પ્લાન્ટ ધન આકર્ષે છે. જેડ પ્લાન્ટને ઓફિસ ડેસ્ક પર રાખવું પણ શુભ માનવામાં આવે છે. તેને ડેસ્કની ઉત્તર બાજુએ રાખવું જોઈએ.

વાંસનો છોડ

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, વાંસનો છોડ ભાગ્યશાળી માનવામાં આવે છે. તેને ઘરના પૂર્વ અથવા ઉત્તર-પૂર્વ ખૂણામાં મૂકવો જોઈએ. ઘરમાં વાંસનો છોડ રાખવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ અને જ્યોતિષ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

આ પણ વાંચો, Vastu Tips : બેડરૂમમાં આ વસ્તુઓ રાખવાથી પતિ-પત્નીના સંબંધોમાં વધી શકે છે તણાવ?

Follow Us
નિયમિત કસરતની દિનચર્યા જાળવો, તમારી સુખાકારીમાં વધારો થશે
નિયમિત કસરતની દિનચર્યા જાળવો, તમારી સુખાકારીમાં વધારો થશે
‘કામચોરી’ ભારે પડી! AMCના 13 અધિકારીઓને 'શો-કોઝ' નોટિસ - જુઓ Video
‘કામચોરી’ ભારે પડી! AMCના 13 અધિકારીઓને 'શો-કોઝ' નોટિસ - જુઓ Video
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ, "આ માત્ર મંદિર નહીં.....
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ,
g clip-path="url(#clip0_868_265)">