AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Plants Vastu Tips: આ 5 છોડ ઘરમાં વાવવાથી ઘરમાં આવે છે નકારાત્મકતા, જાણો તેનાથી બચવા માટે યોગ્ય વાસ્તુ નિયમો

પંચતત્વો પર આધારિત વાસ્તુશાસ્ત્ર અનુસાર, જે લોકો સુખ અને સૌભાગ્યની ઈચ્છા રાખે છે તેઓએ ભૂલથી પણ આ 5 છોડ ક્યારેય પોતાના ઘર-આંગણામાં ન લગાવવા જોઈએ.

Plants Vastu Tips: આ 5 છોડ ઘરમાં વાવવાથી ઘરમાં આવે છે નકારાત્મકતા, જાણો તેનાથી બચવા માટે યોગ્ય વાસ્તુ નિયમો
Astro tips for plants
TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2023 | 8:00 AM
Share

હિંદુ ધર્મમાં વૃક્ષો અને છોડને ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. હિંદુ માન્યતા અનુસાર, એવા ઘણા છોડ છે જેના પર દેવી-દેવતાઓનો વાસ હોય છે. જેની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં સૌભાગ્ય આવે છે, પરંતુ શું તમે જાણો છો કે કેટલાક એવા છોડ છે જે તમારા જીવનમાં ખરાબ નસીબનું મોટું કારણ બની જાય છે. પંચ તત્વોથી સંબંધિત વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં છોડ લગાવતી વખતે માત્ર સુંદરતા જ નહીં પણ શુભ અને અશુભતાનું પણ ધ્યાન રાખવું જોઈએ. ચાલો જાણીએ એવા છોડ વિશે જે ભૂલથી પણ ઘરમાં ક્યારેય ન લગાવવા જોઈએ જેથી દુઃખ અને દુર્ભાગ્યથી બચી શકાય.

બોન્સાઈ

ઘરની સુંદરતા વધારવા માટે આજકાલ બોન્સાઈના છોડ વાવવાનું ચલણ વધ્યું છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર ઘર, આંગણા કે રૂમ વગેરેમાં આવા છોડ લગાવવાની ભલામણ કરતું નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર, બોન્સાઈનો છોડ જોવામાં સુંદર હોઈ શકે છે, પરંતુ શુભની દૃષ્ટિએ તે બિલકુલ સારો નથી કારણ કે તે ખૂબ જ ધીરે ધીરે વધે છે. આવી સ્થિતિમાં જે લોકો જીવનમાં ઝડપી વિકાસ કે પ્રગતિ ઈચ્છે છે તેમણે આ છોડને પોતાના ઘર કે કાર્યસ્થળ પર ક્યારેય ન લગાવવો જોઈએ.

બોંસાઈ

ઘરની સુંદરતા વધારવા માટે આજકાલ બોન્સાઈના છોડ વાવવાનું ચલણ વધ્યું છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર ઘર, આંગણા કે રૂમ વગેરેમાં આવા છોડ લગાવવાની ભલામણ કરતું નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર, બોન્સાઈનો છોડ જોવામાં સુંદર હોઈ શકે છે, પરંતુ શુભની દૃષ્ટિએ તે બિલકુલ સારો નથી કારણ કે તે ખૂબ જ ધીરે ધીરે વધે છે. આવી સ્થિતિમાં જે લોકો જીવનમાં ઝડપી વિકાસ કે પ્રગતિ ઈચ્છે છે તેમણે આ છોડને પોતાના ઘર કે કાર્યસ્થળ પર ક્યારેય ન લગાવવો જોઈએ.

લીંબુ

આજે ઘરમાં ગાર્ડનિંગનું ચલણ ઘણું વધી ગયું છે. જેના કારણે ઘણા લોકો પોતાના ઘરમાં તમામ પ્રકારના શાકભાજી અને ફળોના છોડ લગાવે છે, પરંતુ ધ્યાનમાં રાખો કે કેટલાક છોડ લગાવવાથી તમને અશુભ ફળ મળી શકે છે. વાસ્તુ અનુસાર ઘરમાં લીંબુનો છોડ ક્યારેય ન લગાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આ કાંટાવાળા અને ખાટા સ્વાદના છોડની અસર તે ઘરમાં રહેતા લોકોના જીવન પર પડે છે.

પીપલ

હિંદુ ધર્મમાં ખૂબ જ પૂજનીય માનવામાં આવતા પીપળનું વૃક્ષ ઘરની અંદર હોવું અશુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર, ઘરની અંદરની દીવાલો અથવા છત પર વારંવાર નીકળતા પીપળાને દુર્ભાગ્યનું મોટું કારણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ છોડને જડમૂળથી ઉખાડીને બહાર ખેતરમાં ક્યાંક રોપવા જોઈએ.

આકડો

હિંદુ ધર્મમાં ભગવાન શિવની પૂજામાં ખૂબ જ શુભ માનવામાં આવતા આક અથવા મદારના ફૂલનો ઉપયોગ વાસ્તુ અનુસાર ઘરમાં ક્યારેય ન કરવો જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર, દૂધવાળા છોડ ઘરની અંદર નકારાત્મક ઉર્જા ફેલાવવાનું મુખ્ય કારણ બની જાય છે. આવી સ્થિતિમાં, ફક્ત આક જ નહીં પરંતુ તમામ એવા તમામ છોડ જેમાથી દુધ નિકળે છે તેને તમારા ઘરમાં લગાવવાનું ટાળવું જોઈએ.

આ પણ વાંચો :Best Vastu Tips : વાસ્તુ અનુસાર ઘરની પશ્ચિમ દિશાનું મહત્વ શું છે ? જાણો વાસ્તુશાસ્ત્રના નિયમો

કેક્ટસ

ઘણા લોકો પોતાના ગાર્ડન કે ટેરેસમાં તમામ પ્રકારના કેક્ટસ લગાવવાના શોખીન હોય છે, પરંતુ વાસ્તુ અનુસાર હંમેશા આવું કરવાથી બચવું જોઈએ. વાસ્તુ અનુસાર માત્ર કેક્ટસ જ નહીં પરંતુ તમામ કાંટાવાળા છોડ હોય છે, તેને ઘર-આંગણામાં લગાવવાથી ઘણી વાર અશુભ અસર જોવા મળે છે.કેક્ટસને તમારા ઘરની અંદર અથવા દરવાજા પર ભૂલથી પણ ન લગાવવો જોઈએ.

(અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Follow Us
વડોદરાના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે સવાલ
વડોદરાના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે સવાલ
નિકોલમાં 1.66 કરોડની જ્વેલરીની ચોરી કરનાર સેલ્સ ગર્લ આખરે ઝડપાઈ-Video
નિકોલમાં 1.66 કરોડની જ્વેલરીની ચોરી કરનાર સેલ્સ ગર્લ આખરે ઝડપાઈ-Video
ઓનલાઈન વસતી ગણતરી શરૂ, હર્ષ સંઘવીની ખાસ અપીલ
ઓનલાઈન વસતી ગણતરી શરૂ, હર્ષ સંઘવીની ખાસ અપીલ
પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો
પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો
પંટ્રોલ પંપ પર જથ્થો ખૂટ્યો હોવાની ચર્ચા, જુઓ વીડિયો
પંટ્રોલ પંપ પર જથ્થો ખૂટ્યો હોવાની ચર્ચા, જુઓ વીડિયો
ગાંધીનગરના જાણીતા પિત્ઝા રેસ્ટોરેન્ટમાં પિત્ઝામાંથી નીકળી જીવાત
ગાંધીનગરના જાણીતા પિત્ઝા રેસ્ટોરેન્ટમાં પિત્ઝામાંથી નીકળી જીવાત
વડોદરામાં ફ્લાઈટમાં મુસાફરો ગૂંગળામણમાં ફસાયા, જુઓ Video
વડોદરામાં ફ્લાઈટમાં મુસાફરો ગૂંગળામણમાં ફસાયા, જુઓ Video
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">