AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લઈ લો શ્રીરામનું નામ, હનુમાનજી પૂર્ણ કરશે તમારા દરેક કામ !

હનુમાનજીના તો હૃદયમાં વસે છે શ્રીરામ. અને તે સ્વયં દિન-રાત લે છે શ્રીરામનું નામ. આ રામનું નામ જ તમને પ્રાપ્ત કરાવી શકે છે હનુમાનજીની પરમ કૃપા !

લઈ લો શ્રીરામનું નામ, હનુમાનજી પૂર્ણ કરશે તમારા દરેક કામ !
LORD RAM AND HANUMANJI (SYMBOLIC IMAGE)
TV9 Bhakti
| Edited By: | Updated on: Mar 19, 2022 | 6:30 AM
Share

શ્રીરામના (SHRI RAM) નામ પર તો પત્થરો પણ તરી જાય છે બસ, સાચી શ્રદ્ધા હોવી જરૂરી છે. શાસ્ત્રોમાં રામનામનો તારક મંત્ર તરીકે ઉલ્લેખ છે. કે જે વ્યક્તિને મોક્ષના માર્ગ તરફ દોરી જાય છે. પણ, જ્યારે આ જ રામનામ હનુમાનજીના સાનિધ્યે બોલવામાં આવે છે ત્યારે તે જીવનની સઘળી બાધાઓથી મુક્તિ અપાવી દે છે. પવનસુત હનુમાન (HANUMAN) એટલે તો શ્રીરામના પરમ ભક્ત, શ્રીરામના સૌથી પ્રિય ભક્ત ! કહે છે કે આ રુદ્રાવતારને જગતમાં શ્રીરામથી વિશેષ કશું જ પ્રિય નથી. કારણ કે હનુમાનજીના તો હૃદયમાં વસે છે શ્રીરામ. અને તે સ્વયં દિન-રાત લે છે શ્રીરામનું નામ.

પણ, શું આપ જાણો છો કે આ રામનું નામ જ તમને પ્રાપ્ત કરાવી શકે છે હનુમાનજીની પરમ કૃપા ! એટલે કે, શ્રીરામના નામથી જ તમે મેળવી શકો છો પવનસુતની પ્રસન્નતા ! લૌકિક માન્યતામાં શ્રીરામના નામ સંબંધી આવા અનેક ઉપાયોનું વર્ણન મળે છે. ત્યારે આવો આજે એ જાણીએ કે શ્રીરામનું નામ લેવાથી કેવાં-કેવાં આશિષની પ્રાપ્તિ કરાવે છે હનુમાનજી ?

કહેવાય છે કે હનુમાનજી તો સ્વયં શ્રીરામના નામનો સતત જાપ કરે છે. કારણકે હનુમાનજી તો શ્રીરામના ભક્ત છે. કહે છે કે તમે જો હનુમાનજીની મૂર્તિની સન્મુખ બેસીને શ્રીરામચંદ્રજીનું નામ લો છો તેનાથી શ્રીરામ અને હનુમાન બંન્નેની કૃપા પ્રાપ્ત થાય છે. અને ધારેલા કામ ઝડપથી પાર પડે છે.

ઉલ્લેખનિય છે કે મંગળવાર અને શનિવારના રોજ આ પ્રયોગ કરવો જોઈએ. આ દિવસે કોઈપણ હનુમાન મંદિરમાં જઈને હનુમાન પ્રતિમાની સન્મુખ બેસવું. ત્યારબાદ 108 વખત શ્રીરામના નામનો જાપ કરવો. મંદિરમાં નામજાપ શક્ય ન હોય તો ઘરે પણ આ પ્રયોગ કરી શકાય. કહે છે કે દર મંગળવારે કે શનિવારે જો આ પ્રયોગ કરવામાં આવે તો હનુમાનજી પ્રસન્ન થાય છે. અને શ્રીરામના નામથી પ્રસન્ન થઈ વિવાહ આડેના સર્વ વિઘ્ન પણ દૂર કરી દે છે. આ વિશેષ પ્રયોગ અજમાવીને તમે ચોક્કસથી મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ પણ કરી શકો છો.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : દૂર્વા ઘાસ શા માટે મનાય છે અત્યંત પવિત્ર ? જાણો દૂર્વાની પ્રાગટ્ય કથા

આ પણ વાંચો : સુખી જીવન માટે સંજીવનીબુટ્ટી છે વિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર.

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">