દૂર્વા ઘાસ શા માટે મનાય છે અત્યંત પવિત્ર ? જાણો દૂર્વાની પ્રાગટ્ય કથા

વિવિધ પુરાણોમાં દૂર્વાની મહત્તાનું તેમજ તેના દ્વારા થતી પૂજાવિધિની મહત્તાનું વર્ણન મળે છે. ત્યારે ધર્મ સિંધુમાં દૂર્વાનો ઉલ્લેખ ‘અમૃતજન્મા' તરીકે કરવામાં આવ્યો છે. એટલે કે દૂર્વાનો જન્મ વાસ્તવમાં તો અમૃતમાંથી થયો હોવાનું મનાય છે !

દૂર્વા ઘાસ શા માટે મનાય છે અત્યંત પવિત્ર ? જાણો દૂર્વાની પ્રાગટ્ય કથા
Durva grass
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Mar 02, 2022 | 6:27 AM

દૂર્વા (durva) એ ધરતી પરનું સૌથી પવિત્ર ઘાસ મનાય છે. એક એવું ઘાસ કે જેના વિના શ્રીગણેશની (ganesha) પૂજા જ અપૂર્ણ મનાય છે. ગુજરાતમાં આ દૂર્વા ધરોના નામે સવિશેષ પ્રચલિત છે. વાસ્તવમાં તો આ ધરો ઔષધિય ગુણોનો ભંડાર છે. તો, હિંદુ ધર્મના વિવિધ પૂજા-વિધાનમાં પણ દૂર્વાનો પ્રયોગ અનિવાર્ય મનાય છે. પણ, પ્રશ્ન તો એ છે કે આ દૂર્વાનું આટલું મહત્વ શા માટે ? ધરતી પર આ અત્યંત પવિત્ર ઘાસનું પ્રાગટ્ય થયું કેવી રીતે ?

વિવિધ પુરાણોમાં દૂર્વાની મહત્તાનું તેમજ તેના દ્વારા થતી પૂજાવિધિની મહત્તાનું વર્ણન મળે છે. ત્યારે ધર્મ સિંધુમાં દૂર્વાનો ઉલ્લેખ ‘અમૃતજન્મા’ તરીકે કરવામાં આવ્યો છે. એટલે કે દૂર્વાનો જન્મ વાસ્તવમાં તો અમૃતમાંથી થયો હોવાનું મનાય છે !

સમુદ્રમંથનની કથા

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

અમૃતની પ્રાપ્તિ અર્થે દેવો-દાનવો વચ્ચે થયેલા સમુદ્રમંથનની કથા સર્વ વિદિત છે. પ્રચલિત માન્યતા અનુસાર સમુદ્રમંથન સમયે સૌથી અંતમાં અમૃતનું પ્રાગટ્ય થયું. આ અમૃત માટે દેવતાઓ અને દાનવો વચ્ચે ઘર્ષણ થયું. કહે છે કે ત્યારે અમૃતની થોડી બુંદ જમીન પર પડી. અને તેમાંથી જ દૂર્વા ઘાસની ઉત્પત્તિ થઈ !

શ્રીહરિનો અંશ !

અન્ય એક કથા અનુસાર સમુદ્રમંથન સમયે એક સમય એવો આવ્યો કે જ્યારે દેવતાઓ અને દાનવો બંન્ને ખૂબ જ થાકી ગયા. કહે છે કે ત્યારે શ્રીહરિ વિષ્ણુ સ્વયં મંદરાચલને તેમના સાથળ પર મૂકીને સમુદ્રમંથન કરવા લાગ્યા. મંદરાચલ પર્વતના ઘર્ષણને લીધે પ્રભુના રોમ એટલે કે રુંવાડા સમુદ્રમાં પડ્યા. ક્ષીરસાગરમાંથી આ રોમ કિનારે પહોંચ્યા. અને પછી તે જ રોમ ‘દૂર્વા’ ઘાસમાં પરિવર્તિત થઈ ગયા. માન્યતા એવી છે કે સમુદ્રમંથનના અંતમાં જ્યારે અમૃતની પ્રાપ્તિ થઈ ત્યારે અમૃત કળશ સર્વ પ્રથમ તે જ દૂર્વા પર રાખવામાં આવ્યો હતો. તે કળશમાંથી કેટલાંક ટીપા દૂર્વા પર પડ્યા. અને તેને લીધે દૂર્વા પણ અમૃતતુલ્ય થઈ ગઈ !

ત્વં દૂર્વે અમૃતનામાસિ સર્વદેવૈસ્તુ વન્દિતા । વન્દિતા દહ તત્સર્વં દુરિતં યન્મયા કૃતમ ।।

અમૃત નામ ધરાવનારી દૂર્વાને તો સ્વયં દેવતાઓ પણ વંદન કરે છે. સ્વયં શ્રીવિષ્ણુના જ રોમમાંથી પ્રગટ થઈ હોઈ દેવતાઓમાં પણ તે અત્યંત પૂજનીય અને પવિત્ર છે. એમાં પણ શ્રીગણેશને તો દૂર્વા એટલી પ્રિય છે કે દૂર્વા વિના દુંદાળા દેવની પૂજા જ અપૂર્ણ મનાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : મની પ્લાન્ટ લાગવતી વખતે રાખો આ ખાસ ધ્યાન, નહીં તો થવા લાગશે નુકસાન

આ પણ વાંચો : કેસરના આ ઉપાયથી થશે દરેક મનોકામના પુર્ણ, તમને ભાગ્યનો પૂરો મળશે સાથ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">