AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pitru Paksha 2023: જ્યારે પિતૃઓની તિથિ યાદ ન હોય તો તેમનું શ્રાદ્ધ ક્યારે અને કેવી રીતે કરવું ?

Pitra Paksha 2023 : પિતૃ પક્ષ ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની પુનમથી શરૂ થાય છે અને અમાસ સુધી ચાલુ રહે છે. માન્યતાઓ અનુસાર જે પૂર્વજો શ્રાદ્ધ નથી કરતા તેમની આત્માઓને ક્યારેય શાંતિ મળતી નથી અને પરિવાર હંમેશા કોઈને કોઈ સમસ્યામાં ફસાયેલો રહે છે. આવી સ્થિતિમાં પિતૃઓનું શ્રાદ્ધ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

Pitru Paksha 2023: જ્યારે પિતૃઓની તિથિ યાદ ન હોય તો તેમનું શ્રાદ્ધ ક્યારે અને કેવી રીતે કરવું ?
Pitra Paksh
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2023 | 7:01 PM
Share

હિંદુ ધર્મમાં પિતૃ પક્ષને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. પિતૃપક્ષમાં જ તમામ પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શ્રાદ્ધ કરવાથી પિતૃઓને મોક્ષ મળે છે અને તેમના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે છે. પિતૃ પક્ષ ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની પુનમથી શરૂ થાય છે અને અમાસ સુધી ચાલુ રહે છે. માન્યતાઓ અનુસાર જે લોકો પૂર્વજોનું શ્રાદ્ધ નથી કરતા તેમના તેમના પિતૃઓના આત્માઓને ક્યારેય શાંતિ મળતી નથી અને પરિવાર હંમેશા કોઈને કોઈ સમસ્યામાં ફસાયેલો રહે છે. આવી સ્થિતિમાં પિતૃઓનું શ્રાદ્ધ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ વર્ષે પિતૃ પક્ષ 29 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે અને 14 સપ્ટેમ્બરે સર્વ પિતૃ અમાવસ્યા સાથે સમાપ્ત થશે. માન્યતાઓ અનુસાર પિતૃપક્ષ દરમિયાન સાચા મનથી શ્રાદ્ધ, તર્પણ વગેરે કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના પરિવારને આશીર્વાદ આપે છે. જો કે, ઘણી વખત લોકો તેમના પૂર્વજોની શ્રાદ્ધ તિથિ ભૂલી જાય છે અથવા કેટલીકવાર એવી સ્થિતિ ઊભી થાય છે જ્યારે કોઈની અંતિમ વિધિ ધાર્મિક વિધિ મુજબ કરી શકાતી નથી. ઘણા પરિવારોને એ પણ ખબર નથી હોતી કે અકસ્માતનો ભોગ બનેલા અથવા અચાનક ગુમ થયેલા તેમના પરિવારના સભ્ય જીવિત છે કે નહીં. આવી સ્થિતિમાં શું કરવું? ચાલો જાણીએ પિતૃપક્ષ દરમિયાન કઈ તિથિ યાદ ન હોય તો ક્યારે શ્રાદ્ધ કરવું.

આ પણ વાંચો : Vastu Upay: ભૂલથી પણ ખુલ્લી ન રાખો આ 5 વસ્તુઓ, નહીં તો લાગશે વાસ્તુ દોષ

તિથિ યાદ ન હોય તો શ્રાદ્ધ ક્યારે કરવું

જો કોઈને પોતાના પૂર્વજોની તિથિ યાદ ન હોય અથવા કોઈ મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર ધાર્મિક વિધિ મુજબ કરવામાં ન આવ્યા હોય તો આવા લોકોના તમામ પૂર્વજો અમાસના દિવસે શ્રાદ્ધ કરી શકાય છે.

તેવી જ રીતે, જો તમને તિથિ યાદ ન હોય, તો તમે નવમી તિથિના દિવસે વિવાહિત સ્ત્રી અથવા માતાના મૃત્યુ માટે શ્રાદ્ધ કરી શકો છો. અકાળ મૃત્યુ, કોઈના દ્વારા હત્યા, ડૂબી જવાથી અથવા આત્મહત્યાથી મૃત્યુ પામેલા લોકો માટે ચતુર્દશી પર શ્રાદ્ધ કરી શકાય છે.

તેરસની તિથિએ બાળકોનું શ્રાદ્ધ કરી શકાય છે.

શ્રાદ્ધ વીધિ

શ્રાદ્ધના દિવસે પૂરી ભક્તિ સાથે સાત્વિક ભોજન તૈયાર કરો.

આ પછી કોઈ બ્રાહ્મણને ઘરે બોલાવો અને તેને ભોજન પીરસો. આ પછી, તમારી ક્ષમતા અનુસાર દાન કરો.

શ્રાદ્ધના દિવસે ગાય, કૂતરા, કાગડા અને કીડીઓને પણ ખોરાક ખવડાવવામાં આવે છે.

બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી જાણ્યે-અજાણ્યે થયેલી ભૂલો માટે પૂર્વજો પાસેથી ક્ષમા માગો.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
g clip-path="url(#clip0_868_265)">