AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pitru Paksha 2023: જ્યારે પિતૃઓની તિથિ યાદ ન હોય તો તેમનું શ્રાદ્ધ ક્યારે અને કેવી રીતે કરવું ?

Pitra Paksha 2023 : પિતૃ પક્ષ ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની પુનમથી શરૂ થાય છે અને અમાસ સુધી ચાલુ રહે છે. માન્યતાઓ અનુસાર જે પૂર્વજો શ્રાદ્ધ નથી કરતા તેમની આત્માઓને ક્યારેય શાંતિ મળતી નથી અને પરિવાર હંમેશા કોઈને કોઈ સમસ્યામાં ફસાયેલો રહે છે. આવી સ્થિતિમાં પિતૃઓનું શ્રાદ્ધ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

Pitru Paksha 2023: જ્યારે પિતૃઓની તિથિ યાદ ન હોય તો તેમનું શ્રાદ્ધ ક્યારે અને કેવી રીતે કરવું ?
Pitra Paksh
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2023 | 7:01 PM
Share

હિંદુ ધર્મમાં પિતૃ પક્ષને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. પિતૃપક્ષમાં જ તમામ પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શ્રાદ્ધ કરવાથી પિતૃઓને મોક્ષ મળે છે અને તેમના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે છે. પિતૃ પક્ષ ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની પુનમથી શરૂ થાય છે અને અમાસ સુધી ચાલુ રહે છે. માન્યતાઓ અનુસાર જે લોકો પૂર્વજોનું શ્રાદ્ધ નથી કરતા તેમના તેમના પિતૃઓના આત્માઓને ક્યારેય શાંતિ મળતી નથી અને પરિવાર હંમેશા કોઈને કોઈ સમસ્યામાં ફસાયેલો રહે છે. આવી સ્થિતિમાં પિતૃઓનું શ્રાદ્ધ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ વર્ષે પિતૃ પક્ષ 29 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે અને 14 સપ્ટેમ્બરે સર્વ પિતૃ અમાવસ્યા સાથે સમાપ્ત થશે. માન્યતાઓ અનુસાર પિતૃપક્ષ દરમિયાન સાચા મનથી શ્રાદ્ધ, તર્પણ વગેરે કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના પરિવારને આશીર્વાદ આપે છે. જો કે, ઘણી વખત લોકો તેમના પૂર્વજોની શ્રાદ્ધ તિથિ ભૂલી જાય છે અથવા કેટલીકવાર એવી સ્થિતિ ઊભી થાય છે જ્યારે કોઈની અંતિમ વિધિ ધાર્મિક વિધિ મુજબ કરી શકાતી નથી. ઘણા પરિવારોને એ પણ ખબર નથી હોતી કે અકસ્માતનો ભોગ બનેલા અથવા અચાનક ગુમ થયેલા તેમના પરિવારના સભ્ય જીવિત છે કે નહીં. આવી સ્થિતિમાં શું કરવું? ચાલો જાણીએ પિતૃપક્ષ દરમિયાન કઈ તિથિ યાદ ન હોય તો ક્યારે શ્રાદ્ધ કરવું.

આ પણ વાંચો : Vastu Upay: ભૂલથી પણ ખુલ્લી ન રાખો આ 5 વસ્તુઓ, નહીં તો લાગશે વાસ્તુ દોષ

તિથિ યાદ ન હોય તો શ્રાદ્ધ ક્યારે કરવું

જો કોઈને પોતાના પૂર્વજોની તિથિ યાદ ન હોય અથવા કોઈ મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર ધાર્મિક વિધિ મુજબ કરવામાં ન આવ્યા હોય તો આવા લોકોના તમામ પૂર્વજો અમાસના દિવસે શ્રાદ્ધ કરી શકાય છે.

તેવી જ રીતે, જો તમને તિથિ યાદ ન હોય, તો તમે નવમી તિથિના દિવસે વિવાહિત સ્ત્રી અથવા માતાના મૃત્યુ માટે શ્રાદ્ધ કરી શકો છો. અકાળ મૃત્યુ, કોઈના દ્વારા હત્યા, ડૂબી જવાથી અથવા આત્મહત્યાથી મૃત્યુ પામેલા લોકો માટે ચતુર્દશી પર શ્રાદ્ધ કરી શકાય છે.

તેરસની તિથિએ બાળકોનું શ્રાદ્ધ કરી શકાય છે.

શ્રાદ્ધ વીધિ

શ્રાદ્ધના દિવસે પૂરી ભક્તિ સાથે સાત્વિક ભોજન તૈયાર કરો.

આ પછી કોઈ બ્રાહ્મણને ઘરે બોલાવો અને તેને ભોજન પીરસો. આ પછી, તમારી ક્ષમતા અનુસાર દાન કરો.

શ્રાદ્ધના દિવસે ગાય, કૂતરા, કાગડા અને કીડીઓને પણ ખોરાક ખવડાવવામાં આવે છે.

બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી જાણ્યે-અજાણ્યે થયેલી ભૂલો માટે પૂર્વજો પાસેથી ક્ષમા માગો.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">