Jagannath Rath Yatra : ભગવાન જગન્નાથ નગરચર્યાએ નિકળે છે, ગુંડીચા 5 દિવસ કરે છે આરામ, જાણો રથયાત્રાનો ઇતિહાસ

Jagannath Rath Yatra 2022 : જગન્નાથ પુરીની યાત્રા આજથી શરૂ થઈ છે. આ કાર્યક્રમ 10 દિવસ સુધી ચાલશે. અહીં જાણો દસ દિવસની યાત્રાની સંપૂર્ણ વિગતો, યાત્રાનું મહત્વ અને ઇતિહાસ.

Jagannath Rath Yatra : ભગવાન જગન્નાથ નગરચર્યાએ નિકળે છે, ગુંડીચા 5 દિવસ કરે છે આરામ, જાણો રથયાત્રાનો ઇતિહાસ
Jagganath Puri Rathyatra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2022 | 6:27 PM

અષાઢ માસના શુક્લ પક્ષની બીજ તિથિએ નીકળનારી જગન્નાથ રથયાત્રા આજે 1 જુલાઈ 2022ના રોજથી શરૂ થઈ છે. 15 દિવસ સુધી એકાંત કારાવાસમાં રહ્યા બાદ ભગવાન જગન્નાથ (Jagannath Rath Yatra) હવે ભગવાન સંપુર્ણ સ્વસ્થ થયા પછી, ભગવાન જગન્નાથ તેમના ભક્તોને દર્શન આપે છે અને મોટા ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે રથ પર સવાર થઈને ગુંડીચા મંદિર (Gundicha Temple)માં તેમની માસીના ઘરે જાય છે. બલરામ જી, દેવી સુભદ્રા અને જગન્નાથ જી, ત્રણેયના રથ અલગ-અલગ છે. આ રથયાત્રામાં ભાગ લેવા માટે ભગવાન જગન્નાથના ભક્તો દૂર-દૂરથી પુરી પહોંચે છે. દરેક ભક્ત ભગવાનનો રથ ખેંચીને યોગ્યતા મેળવવા માંગે છે. જગન્નાથ રથયાત્રા આજથી શરૂ થઇ છે અને 12મી જુલાઈના રોજ સમાપ્ત થશે. ચાલો આ અવસર પર જાણીએ કે શા માટે જગન્નાથ યાત્રા કાઢવામાં આવે છે. જાણો ઇતિહાસ

જગન્નાથ રથયાત્રાનો ઈતિહાસ

જગન્નાથ રથયાત્રાનો ઉલ્લેખ પદ્મ પુરાણ, નારદ પુરાણ અને બ્રહ્મ પુરાણમાં જોવા મળે છે. પદ્મ પુરાણ અનુસાર, ભગવાન જગન્નાથ એટલે કે શ્રી કૃષ્ણના બહેન સુભદ્રા બંન્ને ભાઇઓના પ્રિય હતા. એકવાર સુભદ્રાએ બંને ભાઈઓને શહેરની મુલાકાત લેવાની ઈચ્છા વ્યક્ત કરી. તે બહેનની ઇચ્છાને કેવી રીતે ટાળી શકે, તેથી બંને ભાઈઓ તેમની બહેનને શહેરની મુલાકાતે લઈ ગયા. દરમિયાન તે તેની માસી ગુંડીચાના ઘરે પણ ગયા અને અહીં તેણે 7 દિવસ આરામ કર્યો હતો. ત્યારથી ભગવાન જગન્નાથની રથયાત્રાની પરંપરા શરૂ થઈ. આ યાત્રા દરમિયાન પણ ભગવાન દેવી સુભદ્રા અને મોટા ભાઈ બલરામ અલગ-અલગ રથ પર સવાર થઈને શહેરની યાત્રા દરમિયાન માસીના ઘર એટલે કે ગુંડીચા મંદિરની મુલાકાત લે છે. આગળ બલરામનો રથ છે, મધ્યમાં બહેન સુભદ્રાનો રથ છે અને પાછળના જગન્નાથનો રથ છે. માસીના ઘરે પહોંચ્યા પછી, ત્રણેય લોકો તેમની માસીના હાથે બનાવેલ પૂડપીઠ લે છે અને ત્યાં સાત દિવસ આરામ કરે છે. તેઓ સાત દિવસ પછી પાછા ફરે છે. રથયાત્રાનો આ સમગ્ર ઉત્સવ 10 દિવસ સુધી ચાલે છે.

આ રહ્યું રથયાત્રાનું સંપૂર્ણ શિડ્યુલ

રથયાત્રા શરૂ થાય છે: શુક્રવાર, 01 જુલાઈ 2022 (તે દરમિયાન ભગવાન ગુંડીચા માસીના ઘરે જશે)

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

હેરા પંચમી: મંગળવાર, 05 જુલાઈ 2022 (પ્રથમ પાંચ દિવસ ભગવાન ગુંડીચા મંદિરમાં રહે છે)

સંધ્યા દર્શન: શુક્રવાર, 08 જુલાઇ 2022 (આ દિવસે જગન્નાથના દર્શન કરવાથી 10 વર્ષ સુધી શ્રી હરિની પૂજા કરવા જેવું જ પુણ્ય મળે છે)

બહુદા યાત્રા: શનિવાર, 09 જુલાઈ 2022 (ભગવાન જગન્નાથ, બલભદ્ર અને બહેન સુભદ્રાની વતન યાત્રા)

સુનાબેસા : રવિવાર, 10 જુલાઈ 2022 (જગન્નાથ મંદિરમાં પાછા ફર્યા પછી ભગવાન તેમના ભાઈ-બહેનો સાથે શાહી સ્વરૂપ ધારણ કરે છે)

આધાર પાન : સોમવાર, 11 જુલાઈ 2022 (આષાઢ શુક્લ દ્વાદશીના રોજ આ રથ પર પાન ચઢાવવામાં આવે છે જે દૂધ, પનીર, ખાંડ અને ડ્રાયફ્રૂટ્સથી બનેલું છે)

નીલાદ્રી બીજે : મંગલવાર, 12 જુલાઈ 2022 (જગન્નાથ રથયાત્રાની સૌથી રસપ્રદ વિધિઓમાંની એક નીલાદ્રી બીજે છે, જેની સાથે રથયાત્રા સમાપ્ત થાય છે)

જગન્નાથ રથયાત્રાનું મહત્વ

જગન્નાથ રથયાત્રામાં ભાગ લેવો ખૂબ જ પુણ્યદાયક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માત્ર આ યાત્રામાં ભાગ લેવાથી વ્યક્તિ 100 યજ્ઞો સમાન પુણ્ય પ્રાપ્ત કરે છે. આ દરમિયાન, જેઓ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અથવા મોટા ભાઈ બલરામનો રથ ખેંચે છે, તેઓ ભાગ્યશાળી માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ભગવાનના રથને ખેંચવાથી જાણ્યે-અજાણ્યે કરેલા તમામ પાપોનો નાશ થાય છે. આવી વ્યક્તિ જીવનના તમામ આનંદ ભોગવે છે અને અંતે મોક્ષ પ્રાપ્ત કરે છે.

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">