Diwali 2021: જાણો પ્રકાશના મહાપર્વ દિવાળીના તહેવારનો ઈતિહાસ અને મહત્વ

આ તહેવારને દીપાવલી તરીકે પણ ઓળખવામાં આવે છે જેનો અર્થ 'પ્રકાશની પંક્તિ' થાય છે અને તે પાંચ દિવસના સમયગાળામાં ઉજવવામાં આવે છે.

Diwali 2021: જાણો પ્રકાશના મહાપર્વ દિવાળીના તહેવારનો ઈતિહાસ અને મહત્વ
Diwali 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 1:47 PM

Diwali 2021: દિવાળી એ વ્યક્તિના અંતરને પ્રકાશિત કરવાનો અને અંદરના તમામ અંધકારને દૂર કરવાનો દિવસ છે. આ વર્ષે ભારતીયો 4 નવેમ્બરે પ્રકાશનું મહાપર્વ દિવાળી ઉજવશે જે ગુરુવારે આવશે. આ તહેવાર ઘરોને દિપક અને રોશનીથી પ્રકાશિત કરવા, મીઠાઈઓ ખાવા, નવા કપડાં પહેરવા અને ફટાકડા ફોડવા માટે જાણીતો છે. તે હિંદુ સંસ્કૃતિના સૌથી મોટા તહેવારોમાંનો એક છે અને સમગ્ર વિશ્વમાં તેને ઉજવવામાં આવે છે.

આ તહેવારને દીપાવલી તરીકે પણ ઓળખવામાં આવે છે જેનો અર્થ ‘પ્રકાશની પંક્તિ’ થાય છે અને તે પાંચ દિવસના સમયગાળામાં ઉજવવામાં આવે છે. દિવાળીની ઉત્પત્તિ પ્રાચીન ભારતમાં શોધી શકાય છે, જ્યારે તે લણણીના તહેવાર તરીકે શરૂ થઈ હોવાનું કહેવાય છે. જો કે, તેના ઇતિહાસ સાથે વિવિધ દંતકથાઓ જોડાયેલ છે. જ્યારે કેટલાક માને છે કે તે દેવી લક્ષ્મી (સંપત્તિની દેવી) અને ભગવાન વિષ્ણુના લગ્નની ઉજવણી છે, તો કેટલાક તેને દેવી લક્ષ્મીના જન્મની ઉજવણી તરીકે પણ માને છે.

બંગાળમાં, આ તહેવાર શક્તિશાળી દેવી કાલીની પૂજાને સમર્પિત છે અને કેટલાક ઘરોમાં શુભ અને શાણપણના પ્રતીક તરીકે ભગવાન ગણેશની પણ પૂજા કરવામાં આવે છે. કેટલાક જૈન ઘરોમાં, દિવાળી ભગવાન મહાવીરના નિર્વાણ પ્રાપ્ત કરવાની મહાન ઘટનાને પણ ચિહ્નિત કરે છે. હિંદુઓ માટે, આ તહેવાર ભગવાન રામના 14 વર્ષના વનવાસ પછી અયોધ્યા પરત ફર્યા અને રાવણ પર વિજય મેળવ્યો તેની ઉજવણી છે. એવું કહેવાય છે કે અયોધ્યાના લોકોએ સમગ્ર રાજ્યમાં દીવાઓની પંક્તિઓ સાથે રામનું સ્વાગત કર્યું.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

દિવાળી તહેવારનું મહત્વ દિવાળી એ બુરાઈ પર સારાની જીતનું પ્રતીક છે. અંધકાર અને દુષ્ટતાના નાશના સંકેત આપતા પ્રકાશ અને દિવડાઓ દરેક જગ્યાએ હાજર છે. બધા લોકો સાથે મળીને ઉજવણી કરે છે અને પ્રાર્થના કરે છે, પ્રેમ અને પવિત્રતાનું વાતાવરણ બનાવે છે. ભૂતકાળ પર ચિંતન કરવાનો અને આવનારા વર્ષમાં વધુ સારા નિર્ણયો લેવાનો આ દિવસ છે.

આ દિવસ ક્ષમા અને ભૂલી જવાનો સંકેત આપે છે, તે તમારી આસપાસ અને તમારી જાતને નવી શરૂઆત આપવા જેવું છે. તે સમૃદ્ધિની ઉજવણી છે જેમાં લોકો પરિવાર, મિત્રો અને કર્મચારીઓને ભેટ આપે છે. દિવાળી આપણી અંદરના તમામ અંધકારને દૂર કરીને આપણા અંતરને પ્રકાશિત કરવાનો સંદેશ આપે છે.

આ પણ વાંચો: Video : આ વ્યક્તિએ ફસાયેલા ટ્રેક્ટરને કાઢવા ગજબનુ દિમાગ લગાવ્યુ, જોઈને લોકોએ કહ્યુ ” આ એક ગુજ્જુ જ કરી શકે”

આ પણ વાંચો: સુરેન્દ્રનગર : મૂળી તાલુકામાં એરંડાના પાકમાં કાળી ઇયળોનો ઉપદ્રવ, પાક નિષ્ફળ જાય તેવી ખેડૂતોને ભીતિ

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">