AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતનું આગ્રુપ 40 શહાદતોની સામે 4 હજાર સૈનિકોને સરહદે મોકલવાની કરી રહ્યું છે તૈયારી, 7 યુવાનોએ તો મોરચો પણ સંભાળી લીધો

પુલવામામાં થયેલા આતંકી હુમલામાં એક અઠવાડિયા કરતા વધુ સમય વીતી ચૂક્યો છે. લોકોમાં આક્રોશની આગ શમવાની વાત તો છોડો પરંતુ રોષ અને દુઃખની લાગણી વધી રહી છે. સોશિયલ મીડિયા હોય કે અન્ય કોઈ પણ માધ્યમ, દેશના ખૂણે ખૂણેથી  લોકો પાકિસ્તાન સામે બદલો લેવાની માગ કરી રહ્યાં છે. બસ એક જ અવાજ આવી રહ્યો છે કે […]

સુરતનું આગ્રુપ 40 શહાદતોની સામે 4 હજાર સૈનિકોને સરહદે મોકલવાની કરી રહ્યું છે તૈયારી, 7 યુવાનોએ તો મોરચો પણ સંભાળી લીધો
Parul Mahadik
| Edited By: | Updated on: Feb 21, 2019 | 6:32 AM
Share

પુલવામામાં થયેલા આતંકી હુમલામાં એક અઠવાડિયા કરતા વધુ સમય વીતી ચૂક્યો છે. લોકોમાં આક્રોશની આગ શમવાની વાત તો છોડો પરંતુ રોષ અને દુઃખની લાગણી વધી રહી છે. સોશિયલ મીડિયા હોય કે અન્ય કોઈ પણ માધ્યમ, દેશના ખૂણે ખૂણેથી  લોકો પાકિસ્તાન સામે બદલો લેવાની માગ કરી રહ્યાં છે.

બસ એક જ અવાજ આવી રહ્યો છે કે આતંકવાદીઓને જવાબ આપો. તેમનો ખાત્મો બોલાવો. કેન્ડલ માર્ચ, રેલી, વિરોધ પ્રદર્શન, સૂત્રોચ્ચારોની વચ્ચે સુરતના યુવાનોનું ગ્રૂપ એ જ જોશ સાથે કરી રહ્યા છે ભારતીય સેનામાં જોડાવાની તૈયારી. સુરતના ડીંડોલી વિસ્તારમાં ‘દૌડ યહી જિંદગી’ નામના ગ્રૂપ સાથે જોડાયેલા યુવાનો છેલ્લા 8 મહિનાથી દિવસ રાત તનતોડ મહેનત કરી રહ્યા છે. તેમનું સપનું છે કે ભારતીય સેનામાં જોડાઈને દેશ માટે તેઓ કંઈ કરી શકે.

આ ગ્રુપમાં 30થી વધુ નવયુવાનો છે. જેમાંથી કોઈ વિદ્યાર્થી છે તો કોઈ નોકરિયાત. સમય કાઢીને તેઓનો નિત્યક્રમ છે કે વહેલી સવારે અથવા મોડી રાત સુધી તનતોડ મહેનત કરીને ભારતીય સેનામાં જોડાવા માટે કાબેલ બને. ડામરના રસ્તા પર કોઈપણ જાતની સુવિધા વિના તેઓ જે મહેનત કરી રહ્યા છે તે જોઈને કોઈને પણ ગર્વની લાગણી થાય.

મહત્ત્વની વાત તો એ છે કે આ જ ગ્રુપના નવયુવાનોમાંથી 7 જેટલા યુવાનોએ સીઆરપીએફ અને બીએસએફમાં ભરતી કરી લીધી છે. પુલવામામાં થયેલા આતંકી હુમલા પછી તેમના જુસ્સામાં બમણો વધારો થયો છે. 40 જવાનોની શહીદી તેઓ એળે નહીં જવા દેવાના ધ્યેય સાથે એ જ જોશથી મહેનત કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે દેશે 44 જવાનો ગુમાવ્યા છે. પણ અમે અમારા જેવા બીજા 4 હજાર જવાનોને તૈયાર કરીને દેશની સરહદ પર મોકલવા તૈયાર છીએ.

[yop_poll id=1653]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
g clip-path="url(#clip0_868_265)">