Video : વડોદરામાં 19થી વધારે કોલેરાના શંકાસ્પદ કેસ નોંધાયા, વિવિધ વિસ્તારોમાંથી લેવાયા પાણીના સેમ્પલ
ચોમાસાની શરૂઆત થતા જ પાણી જન્ય રોગચાળો વકરતો હોય છે. ત્યારે વડોદરા શહેરમાં કોલેરાએ દસ્તક દીધી છે. શહેરમાં 19થી વધારે કોલેરાના શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેના પગલે વિવિધ વિસ્તારોમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે.
ચોમાસાની શરૂઆત થતા જ પાણી જન્ય રોગચાળો વકરતો હોય છે. ત્યારે વડોદરા શહેરમાં કોલેરાએ દસ્તક દીધી છે.શહેરમાં 19થી વધારે કોલેરાના શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાંથી 5 દર્દીઓ હાલ સારવાર હેઠળ SSG હોસ્પિટલ અને જમનાબાઇ હોસ્પિટલમાં દાખલ કરાયેલા છે.
તો બીજી તરફ જે દર્દીઓ જે વિસ્તારમાંથી મળ્યા છે તે તમામ વિસ્તારોમાં પાણીના સેમ્પલ લેવાની પ્રક્રિયા આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. શંકાસ્પદ જણાયેલા વિસ્તારોમાં ક્લોરિનેશનની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.
કોલેરાના કેસમાં વધારો
એક તરફ પાલિકા દ્વારા પ્રિ મોન્સુની કામગીરીના નામે ફક્ત શહેરની કાંસોની સફાઈ કરવામાં આવી છે.પરંતુ તેવું પાલિકાના સત્તાધિશોને ધ્યાને નહીં આવતા શહેરમાં ઝાડા ઉલટીના કેસો સતત વધી રહ્યા છે.
હાલ તો પાલિકાના સત્તાધીશો જણાવી રહ્યા છે કે કોલેરામાંથી મુક્તિ મેળવવા અને દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે પાલિકાના તમામ આરોગ્ય કેન્દ્ર પર વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણીમાં કોન્ટમિનેશન આવતું હોવાનું પાલિકાને વારંવાર ફરિયાદ મળતી હોય છે. તેવામાં વડોદરાના કેટલાક વિસ્તારમાંથી કોલેરોના કેસમાં વધારો થયો છે.

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા

આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન

પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન

પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
