AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amreli: સિંહોની વસ્તી ગણતરી પહેલા 4 દિવસમાં ત્રણ સિંહોના મોતથી મચ્યો હડકંપ, સિંહપ્રેમીઓમા વ્યાપી ચિંતા

અમરેલી જિલ્લામાં ચાર દિવસમાં એક સિંહબાળ સહિત ત્રણ સિંહોના મોતથી સિંહપ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃત્યુ પામેલા સિંહોમાં એક સિંહબાળ, એક સિંહણ અને એક યુવા સિંહનું મોત થયુ છે. હાલ વન વિભાગે સિંહોના મૃતદેહ કબ્જે લઈ એનિમલ કેર સેન્ટર ખસેડી તેમના પીએમ માટેની તજવીજ હાથ ધરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2025 | 3:37 PM
Share

સિંહની વસ્તીગણતરી આવતા 10 દિવસમા આવી રહી છે વનવિભાગ સિંહોની વસ્તીગણતરી માટેની તૈયારીઓ કરી રહ્યા છે. આ વચ્ચે સિંહોના મોતની ઘટનાઓ અમરેલી જિલ્લામાં વધી રહી છે. 3 જેટલા સિંહોએ જીવ ગુમાવ્યા હોવાથી વનવિભાગમાં દોડધામ મચી ગઈ છે. અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના પીપાવાવ ભેરાઈ વિસ્તારમાં 2 દિવસ પહેલા બાળ સિંહનો મૃતદેહ મળતા વનવિભાગ દ્વારા કબજો લઈ પીએમ માટે એનિમલકેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો.

ત્યારબાદ  26 એપ્રિલે રાજુલાના કોટડી ગામ નજીક જવાના માર્ગે રેવન્યુ વિસ્તારમાં આવેલ વાડી વિસ્તારમાં એક પાઠડા સિંહ કે જે દોઢથી બે વર્ષના સિંહનો મૃતદેહ મળી આવતા રાજુલા વનવિભાગની ટીમ ઘટના સ્થળેથી મૃતદેહ કબ્જે લઈ પીએમ માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.  આ સિંહનું પણ કુદરતી મોત થયુ હોવાનું જાહેર કરવામાં આવ્યુ છે.

બંને મૃતદેહોના એનિમલ ડોકટર ટીમ દ્વારા પીએમ કરવામાં આવ્યું છે.સમગ્ર મામલે શેત્રુંજી ડીવીઝન એસીએફ વિરલસિંહ ચાવડાનો સંપર્ક કરતા કહ્યું બંને સિંહોના કુદરતી રીતે મોત થયા છે કોઈ અકુદરતી રીતે મોતની ઘટનાય નથી.

અમરેલી જિલ્લામાં 4 દિવસમાં ત્રણ સિંહોના મોતથી હડકંપ

સિંહોની વસ્તી ગણતરી પહેલા સિંહોએ જીવ ગુમાવતા સિંહપ્રેમીઓમા ચિંતા વધી છે પ્રથમ સાવરકુંડલા અમરેલી વચ્ચે ટ્રક હડફેટે સિંહનું મોત થયા બાદ રાજુલાના ભેરાઈ પીપાવાવ વિસ્તારમાં સિંહબાળનો મૃતદેહ મળ્યો ત્યાદબાદ ગઈ કાલે રાજુલાના કોટડી ગામ નજીકથી એક સિંહનો મૃતદેહ મળ્યો આમ જિલ્લામાં 4 દિવસમાં 3 સિંહોએ જીવ ગુમાવ્યાની ઘટના સામે આવી છે.જેના કારણે સિંહપ્રેમીઓમાં ચિંતા પ્રસરી ગઈ છે.

Input Credit- Jaydev Kathi- Amreli

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">