AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amreli: સિંહોની વસ્તી ગણતરી પહેલા 4 દિવસમાં ત્રણ સિંહોના મોતથી મચ્યો હડકંપ, સિંહપ્રેમીઓમા વ્યાપી ચિંતા

અમરેલી જિલ્લામાં ચાર દિવસમાં એક સિંહબાળ સહિત ત્રણ સિંહોના મોતથી સિંહપ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃત્યુ પામેલા સિંહોમાં એક સિંહબાળ, એક સિંહણ અને એક યુવા સિંહનું મોત થયુ છે. હાલ વન વિભાગે સિંહોના મૃતદેહ કબ્જે લઈ એનિમલ કેર સેન્ટર ખસેડી તેમના પીએમ માટેની તજવીજ હાથ ધરી હતી.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2025 | 3:37 PM

સિંહની વસ્તીગણતરી આવતા 10 દિવસમા આવી રહી છે વનવિભાગ સિંહોની વસ્તીગણતરી માટેની તૈયારીઓ કરી રહ્યા છે. આ વચ્ચે સિંહોના મોતની ઘટનાઓ અમરેલી જિલ્લામાં વધી રહી છે. 3 જેટલા સિંહોએ જીવ ગુમાવ્યા હોવાથી વનવિભાગમાં દોડધામ મચી ગઈ છે. અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના પીપાવાવ ભેરાઈ વિસ્તારમાં 2 દિવસ પહેલા બાળ સિંહનો મૃતદેહ મળતા વનવિભાગ દ્વારા કબજો લઈ પીએમ માટે એનિમલકેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો.

ત્યારબાદ  26 એપ્રિલે રાજુલાના કોટડી ગામ નજીક જવાના માર્ગે રેવન્યુ વિસ્તારમાં આવેલ વાડી વિસ્તારમાં એક પાઠડા સિંહ કે જે દોઢથી બે વર્ષના સિંહનો મૃતદેહ મળી આવતા રાજુલા વનવિભાગની ટીમ ઘટના સ્થળેથી મૃતદેહ કબ્જે લઈ પીએમ માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.  આ સિંહનું પણ કુદરતી મોત થયુ હોવાનું જાહેર કરવામાં આવ્યુ છે.

બંને મૃતદેહોના એનિમલ ડોકટર ટીમ દ્વારા પીએમ કરવામાં આવ્યું છે.સમગ્ર મામલે શેત્રુંજી ડીવીઝન એસીએફ વિરલસિંહ ચાવડાનો સંપર્ક કરતા કહ્યું બંને સિંહોના કુદરતી રીતે મોત થયા છે કોઈ અકુદરતી રીતે મોતની ઘટનાય નથી.

વાત દોષ શું છે? લક્ષણો અને તેમને સંતુલિત કરવાના ઉપાયો જાણો
શું છે જિયો હોમ, જેમાં ચાલશે આખા ઘરનું ઇન્ટરનેટ, જાણો પ્લાન
બોલિવૂડના સૌથી પ્રિય સિંગરના પરિવાર વિશે જાણો
litchi: લીચી કોણે ન ખાવી જોઈએ?
ભારતનો 1 રુપિયો તુર્કીના કેટલા લીરા બરાબર છે?
આ સાઈન દેખાય તો સમજો કે તમારો મોબાઇલ હેક થઈ ગયો છે, તો આ સેટિંગ્સ પર ધ્યાન આપો

અમરેલી જિલ્લામાં 4 દિવસમાં ત્રણ સિંહોના મોતથી હડકંપ

સિંહોની વસ્તી ગણતરી પહેલા સિંહોએ જીવ ગુમાવતા સિંહપ્રેમીઓમા ચિંતા વધી છે પ્રથમ સાવરકુંડલા અમરેલી વચ્ચે ટ્રક હડફેટે સિંહનું મોત થયા બાદ રાજુલાના ભેરાઈ પીપાવાવ વિસ્તારમાં સિંહબાળનો મૃતદેહ મળ્યો ત્યાદબાદ ગઈ કાલે રાજુલાના કોટડી ગામ નજીકથી એક સિંહનો મૃતદેહ મળ્યો આમ જિલ્લામાં 4 દિવસમાં 3 સિંહોએ જીવ ગુમાવ્યાની ઘટના સામે આવી છે.જેના કારણે સિંહપ્રેમીઓમાં ચિંતા પ્રસરી ગઈ છે.

Input Credit- Jaydev Kathi- Amreli

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

માવઠાને કારણે સુરેન્દ્રનગરના અગરિયાઓને 30 કરોડનું નુકસાન જવાની ભીતિ
માવઠાને કારણે સુરેન્દ્રનગરના અગરિયાઓને 30 કરોડનું નુકસાન જવાની ભીતિ
Morbi : બંધુનગર વિસ્તારની એક દુકાનમાંથી ઝડપાયો ગાંજો ! એકની ધરપકડ
Morbi : બંધુનગર વિસ્તારની એક દુકાનમાંથી ઝડપાયો ગાંજો ! એકની ધરપકડ
જગનું મિનરલ પાણી પીતા લોકો ચેતી જજો ! પાણીના 20 નમૂના ફેલ
જગનું મિનરલ પાણી પીતા લોકો ચેતી જજો ! પાણીના 20 નમૂના ફેલ
વાહનોના ફિટનેસ સર્ટીનું કૌભાંડનો પર્દાફાશ, પોલીસે તપાસ હાથ ધરી
વાહનોના ફિટનેસ સર્ટીનું કૌભાંડનો પર્દાફાશ, પોલીસે તપાસ હાથ ધરી
રખિયાલમાં ગેરકાયદે બાંધેલા 20થી વધુ કારખાના અને દુકાનો તોડી પાડી
રખિયાલમાં ગેરકાયદે બાંધેલા 20થી વધુ કારખાના અને દુકાનો તોડી પાડી
ખાણખનીજ વિભાગમાં ACBએ કરેલી ટ્રેપમાં 2 કર્મચારી પકડાયા
ખાણખનીજ વિભાગમાં ACBએ કરેલી ટ્રેપમાં 2 કર્મચારી પકડાયા
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
હુલ્લડબાજને સાથ આપવો પોલીસકર્મીઓને ભારે પડ્યો
હુલ્લડબાજને સાથ આપવો પોલીસકર્મીઓને ભારે પડ્યો
પીવાના પાણીને લઈને તંત્રએ એક નિર્ણયાત્મક પગલું લીધું
પીવાના પાણીને લઈને તંત્રએ એક નિર્ણયાત્મક પગલું લીધું
હાઈવે પર આગના કારણે ટ્રાફિક જામ, લાખો રૂપિયાનો માલ બળી ગયો
હાઈવે પર આગના કારણે ટ્રાફિક જામ, લાખો રૂપિયાનો માલ બળી ગયો
g clip-path="url(#clip0_868_265)">