AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat Crime : સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, રોષે ભરાયેલા લોકોએ પોલીસ ચોકીનો ઘેરાવ કર્યો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ

Surat Crime : સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, રોષે ભરાયેલા લોકોએ પોલીસ ચોકીનો ઘેરાવ કર્યો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2024 | 7:21 AM
Share

Ganpati Pandal in surat : ગણપતિ પંડાલ પર પથ્થરમારો કર્યા બાદ લોકોએ સૈયદપુરા પોલીસ ચોકીને ઘેરી લીધી હતી. આ ઘટના બાદ ધારાસભ્ય કાંતિ બલર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અહીં તેમણે કહ્યું કે આરોપીઓને છોડવામાં આવશે નહીં અને પોલીસ કડક કાર્યવાહી કરશે તેવી ખાતરી આપી હતી.

Surat ganesh Pandal : ગુજરાત સહિત દેશભરમાં ગણેશ ઉત્સવ પૂરજોશમાં ચાલી રહ્યો છે. લોકો બાપ્પાની આસ્થામાં લીન છે. આવા સંજોગોમાં સુરતના સૈયદપુરા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ પંડાલ પર પથ્થરમારાની ઘટનાને પગલે વાતાવરણ ગરમાયું હતું. જે બાદ રોષે ભરાયેલા લોકોએ પોલીસ ચોકીનો ઘેરાવ કર્યો હતો.

લોકોએ સૈયદપુરા પોલીસ ચોકીને ઘેરી

મળતી માહિતી મુજબ ગુસ્સે ભરાયેલા લોકોએ સૈયદપુરા પોલીસ ચોકીને ઘેરી લીધી હતી. આ ઘટના બાદ ધારાસભ્ય કાંતિ બલર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અહીં તેમણે કહ્યું કે આરોપીઓને છોડવામાં આવશે નહીં અને પોલીસ કડક કાર્યવાહી કરશે તેવી ખાતરી આપી હતી.

(Credit Source : @PTI_News)

પોલીસે જણાવ્યું કે આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ હંગામા દરમિયાન લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને જરૂર જણાય ત્યાં ટીયર ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શાંતિ ભંગ કરનારા તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે.

પોલીસે 6 લોકોની ધરપકડ કરી હતી

ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલ પર છ લોકોએ પથ્થરમારો કર્યો હતો. આ તમામ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે આવી ઘટનાને પ્રોત્સાહન આપવા માટે સામેલ અન્ય 27 લોકોની પણ ધરપકડ કરી છે. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે. સુરતના તમામ વિસ્તારોમાં પોલીસ તૈનાત છે. શાંતિ ભંગ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે.

(Credit Source : @ANI)

પોલીસે ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો

સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, કેટલાક લોકોએ ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો. જેના પગલે અથડામણ થઈ હતી. પોલીસે તેમને તરત જ ત્યાંથી હટાવ્યા હતા. વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જરૂર જણાય ત્યાં લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ટીયર ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો. શાંતિ ભંગ કરનારા તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. ચારે બાજુ લગભગ 1000 પોલીસકર્મીઓ તૈનાત છે.

(Credit Source : @ANI)

Published on: Sep 09, 2024 07:08 AM
g clip-path="url(#clip0_868_265)">